Gandhinagar: હવેથી ગુજરાતની આ 11 યુનિવર્સિટીઓ આવશે સરકાર હસ્તક, સ્ટૂડન્ટ પોલિટિક્સ ખતમ
ગાંધીનગર: ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક ગૃહમાં પસાર કરવામા આવ્યું છે. જેનાથી હવે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે રહેશે.
ગાંધીનગર: ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક ગૃહમાં પસાર કરવામા આવ્યું છે. જેનાથી હવે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે રહેશે. રાજ્યની સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક રહેશે. યુનિવર્સિટીઓની સત્તા, ભરતી સહીતની બાબતોના નિયમો ઘડાયા છે. યુનિવર્સિટી સાથે જોડાયેલા પ્રદ્યાપકો ખાનગી ટ્યુશન કે ક્લાસિસ ચલાવી શકશે નહી. યુનિવર્સિટીઓના કર્મચારીઓ હવેથી રજસેવક ગણાશે.
કુલપતિની નીમણૂંક , પ્રાદ્યાપકો કર્મચારીઓની બદલી થઈ શકશે. રાજ્ય સરકારની મંજૂરી વિના ભરતી પ્રક્રિયા થઈ શકશે નહી. યુનિવર્સિટીઓની સ્થાવર મિલકત વેચાણ અથવા ભાડે ચઢાવવા સરકારની મંજૂરી લેવી પડશે. યુનિવર્સિટીઓના ફંડનો ઉપયોગ અન્ય હેતુ માટે કરી શકાશે નહી. સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણીઓ હવે યુનિવર્સિટીમાં નહિ થાય. યુનિવર્સિટી અને કોલેજમાંથી સ્ટુડન્ટ પોલિટિકસ ખતમ થઈ જશે. સેનેટ અને સિન્ડિકેટની જગ્યાએ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અસ્તિત્વમાં આવશે.
વિવિધ યુનિવર્સિટીઓના પોતાના અધિનિયમો અને નિયમો ખતમ થશે. તમામ સરકારી યુનિવર્સિટીમાં એકસમાન અભ્યાસક્રમ, પ્રવેશ અને પરીક્ષા પદ્ધતિ અમલમાં આવશે. પ્રવેશ,પરીક્ષા અને પદવીમાં એકસૂત્રતા આવી જશે. 11 સરકારી યુનિવર્સિટીની સ્વાયત્તતા ખતમ અને સરકારની સત્તા અમલમાં આવશે. 11 સરકારી યુનિવર્સિટીઓની એકેડેમીક અને ફાઈનાન્સિયલ ઓટોનોમિ ખતમ થશે. કુલપતિની ટર્મ 3ના બદલે 5 વર્ષની અને કુલપતિ રિપિટ નહિ થાય.
યુનિવર્સિટીના પોતાના સક્ષમ સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ્સ, નવા કોર્સિસ શરુ કરવા માટે સ્વાયત રહેશે. યુનિવર્સિટી એક્સ્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે.ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. દૂરવર્તી પાઠ્યક્રમો પણ ચલાવી શકશે.
પ્રોફેસર કે અન્ય સ્ટાફની ભરતી એક જ જગ્યાએથી થશે. વડોદરા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં રાજમાતા સુભાંગીની ગાયકવાડ ચાન્સેલર રહેશે. બાકીની 10 યુનિવર્સિટીના ચાન્સેલર રાજ્યપાલ રહેશે. પબ્લિક યુનિવર્સિટી એકટથી યુનિવર્સિટીની ભરતીમાં 33 ટકા મહિલા અનામત રહેશે. અધ્યાપકો અને આચાર્યોની ભરતીમાં 33 ટકા મહિલા અનામત રહેશે. યુનિવર્સિટી પ્રોફેસરો અને અધ્યક્ષોની નિમણુંકમાં પણ 33 ટકા મહિલા અનામત રહેશે.
1 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા
2 ગુજરાત યુનિવર્સિટી
3 સરદાર પટેલ યુનિવર્સિટી
4 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
5 મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનર્વિસટી
6 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી
7 ડોકટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
8 ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનવર્સિટી
9 ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી
10 ગુરુ ગોવિંદ યુનિવર્સિટી
11 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવર્સિટી
આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ૨,૮૪૧થી વધુ કાર્યક્રમો યોજાયા છે, જેમાં રાજ્યભરના ૨,૩૨,૦૬૪થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લામાં ભારત સરકારશ્રી દ્વારા ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (નવસારી કૃષિ યુનિવર્સિટી), દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે તા. ૪/૬/૨૦૨૫ ના રોજ સાગબારા તાલુકાના પાનખલા ગામમાં ખેડૂતલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ 02 જૂન 2025 ના રાત્રે લગભગ 22:00 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન ના સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર સુરક્ષા નિરીક્ષણ દરમ્યાન રેલવે સુરક્ષા બળ ના એસઆઈપીએફ પિયુષ ચૌધરી ને એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ટીટીઈ ની વર્દીમાં જોવા મળ્યો.