મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત વડોદરાના ગીતાબેન હાંડે બન્યા પગભર
શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા ગંગાસ્વરૂપા ગીતાબેન હાંડે આર્થિક રીતે પગભર બનતા માન્યો સરકારનો આભાર.
રાજ્યની ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો અંતર્ગત લોન તથા સબસિડી મળતા વડોદરાના ગંગાસ્વરૂપા ગીતાબેન હાંડે આર્થિક રીતે પગભર બનતા સરકારનો આભાર માની રહ્યા છે.
ગીતાબેન હાંડે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પોતાની બે દીકરીઓ સાથે રહે છે. આજથી પાંચ વર્ષ પહેલાં પોતાના પતિનું હૃદયરોગના હુમલામાં નિધન થતાં તેઓ સાવ ભાંગી પડ્યા હતા. પોતાની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તથા રોજી રોટી માટે તેમને ચાર વર્ષ પહેલાં રેડીમેડ ગારમેન્ટની દુકાન ખોલી હતી.
અગાઉ દુકાન શરૂ કરવા તથા માલસામાન લાવવા માટે ગીતાબેને ખાનગી માઇક્રો ફાઇનાન્સ બેંકમાંથી લોન લેતા હતા. ત્યારબાદ મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મળતી લોન વિશે જાણ થતાં તેમણે લોન મેળવવા માટે અરજી કરી હતી. ચાર મહિના પહેલા યોજના અંતર્ગત બે લાખ રૂપિયાની લોન અને લોનના ૪૦% લેખે સબસિડી મળતા ખુબજ મોટી આર્થિક સહાય મળી છે.
સરકાર શ્રીનો આભાર માનતા ગીતાબેન જણાવે છે કે, આ યોજના અંતર્ગત મળેલ તમામ રકમ પોતાના રેડીમેડ ગારમેન્ટની દુકાન માટે જ ખર્ચ કરી છે તથા સબસીડી સાથે આ લોન મળતા ખુબજ મોટી રાહત થઈ છે. મહિલાઓને પગભર કરવા માટે આવી યોજનાઓ ખુબજ જરૂરી છે.
વધુમાં ઉમેરતાં લાભાર્થી ગીતાબેન જણાવે છે કે આ યોજના અંતર્ગત લાભ મળતા તેઓ પોતાના પરિવાર માટે કમાણીમાં ખુબ જ મોટું યોગદાન આપી રહ્યા છે. અને તેમના રેડીમેડ ગારમેન્ટના ધંધાને વિકસાવવામાં ખૂબ જ મોટી મદદ મળી છે.
જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી ના જણાવ્યા અનુસાર જિલ્લામાં આવી કુલ ૯ મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે. આ યોજના અંતર્ગત મળેલ લોન અને સબસિડી થકી મહિલાઓએ કપડાંની દુકાન, અનાજ કરિયાણાની દુકાન, ડેરી ઉદ્યોગ, સીવણ કામની દુકાન અને અન્ય વેપારને વિકસાવીને સ્વરોજગારીનો માર્ગ અપનાવ્યો છે.
આમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા સ્વાવલંબન યોજના થકી ગીતાબેન જેવી અનેક મહિલાઓ સ્વરોજગાર મેળવીને સ્વાવલંબી બની છે. આજે રાજ્યની મહિલાઓ સરકારશ્રીની યોજનાનો લાભ લઇ સશક્ત બની ઘર પરિવારના ગુજરાન માટે આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓ કરતી થઈ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.