સરકારે ખેડૂતો માટે તિજોરી ખોલી, 4500 કરોડની સબસિડી સાથે શ્રેણીબદ્ધ વચનો આપ્યા
પીએમ મોદી કેબિનેટ : કેન્દ્ર સરકારે દિવાળી પહેલા ખેડૂતો માટે તિજોરી ખોલી દીધી છે. આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેન્દ્રીય કેબિનેટે પોષક તત્વો આધારિત સબસિડીના દરોને મંજૂરી આપી છે.
કેન્દ્રીય કેબિનેટની બેઠકઃ કેન્દ્ર સરકારે દિવાળી પહેલા ખેડૂતો માટે તિજોરી ખોલી દીધી છે. ખેડૂતહિત માટે સતત તત્પર રહેતી સરકારે ખેડૂતોની આવક વધારવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતભરના ખેડૂતોને આર્થિક સહાય સહિત તેમજ વિવિધ પ્રકારની સબસિડીનો લાભ મળી રહ્યો છે. આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેન્દ્રીય કેબિનેટે પોષક તત્વો આધારિત સબસિડીના દરોને મંજૂરી આપી છે.
તમને જણાવી દઈએ કે કેબિનેટની બેઠકમાં રવી સિઝન 2023-24 (01.10.2023 થી 31.03.2024 સુધી) માટે ફોસ્ફેટ પર પોષક તત્વો આધારિત સબસિડી (NBS) ના દરો નક્કી કરવામાં આવ્યા છે. અખબારી યાદી અનુસાર, આગામી રવી સિઝન 2023-24માં NBS પર 22,303 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ઘણો ફાયદો થશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર મળશે. આ ખાતરોની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, રવી સિઝન 2023-24 માટે ખાતરો પર સબસિડી આપવામાં આવશે.
20થી 28 ફેબ્રુઆરી 2026 વચ્ચે શરૂ થયા વધારાના હોલ્ટ્સ – ગુવાહાટી-સિલચર, ગુવાહાટી-ડિબ્રુગઢ સહિત ઘણી ટ્રેનોમાં નવા સ્ટેશનો જેમ કે બારપથર, લંકા, હોજાઈ.
કેન્દ્ર સરકારે દેશના રેલ્વે માળખાને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે. મંત્રીમંડળે આશરે ₹9,072 કરોડના ત્રણ મુખ્ય રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ 4 રાજ્યોના 8 જિલ્લાઓમાં કનેક્ટિવિટી અને વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા છે.
મુંબઈ પોલીસે શહેરમાં ડ્રગ માફિયાઓ સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ચાર વર્ષમાં, તેઓએ ₹6,738 કરોડથી વધુના ડ્રગ્સ જપ્ત કર્યા છે, જેના કારણે ડ્રગ માફિયાઓને નોંધપાત્ર નુકસાન થયું છે.