નર્મદા જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ
નર્મદા જિલ્લામાં તા.૨૬ ફેબ્રુઆરી થી ૨૯ ફેબ્રુઆરી દરમિયાન તમામ તાલુકાઓના વિવિધ ગ્રામ પંચાયતો ખાતે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોને માળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
રાજપીપલા : નર્મદા જિલ્લામાં તા. ૨૬ ફેબ્રુઆરી થી ૨૯ ફેબ્રુઆરી દરમિયાન તમામ તાલુકાઓના વિવિધ ગ્રામ પંચાયતો ખાતે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોને માળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
ગ્રામસભામાં પંચાયત વિકાસ સૂચકાંક અને તેના લાભો, ઉદ્દેશો, જરૂરિયાતો સહિત ગામ અને
ગ્રામજનોના સર્વાંગી વિકાસને આવરી લેનારા મુદ્દાઓ જેવા કે, ગરીબી મુક્ત અને રોજગારી ઉન્નત ગામ, સ્વસ્થ ગામ, આત્મનિર્ભર આધારરૂપ વ્યવસ્થા ધરાવતુ ગામ, સામાજિક રીતે સુરક્ષિત ગામ, પૂરતુ પાણી ધરાવતુ ગામ, સ્વચ્છ અને હરિયાળુ ગામ, મહિલા મૈત્રીપૂર્ણ ગામ, બાળ મૈત્રીપુર્ણ ગામ, સુશાસિત ગામ બનાવવા અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં પાંચ દિવસ દરમિયાન યોજાયેલી ગ્રામસભામાં નાંદોદ
તાલુકામાં કુલ ૭૬, તિલકવાડા તાલુકામાં કુલ ૩૪, ગરૂડેશ્વર તાલુકામાં કુલ ૪૭, દેડીયાપાડા તાલુકામાં કુલ ૪૬ અને સાગબારા તાલુકામાં કુલ ૩૨ એમ કુલ મળીને ૨૩૫ જેટલી ગ્રામસભાઓ મળી હતી. જેમાં તલાટીશ્રીઓ, સરપંચશ્રીઓ, સંબંધિત અધિકારી-પ્રતિનિધિશ્રીઓ, CHO શ્રીઓ, ગ્રામસેવક સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!
ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.