29 નવેમ્બરે આણંદમાં મહાઆંદોલન! ઈસુદાન ગઢવીનું ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ
29 નવેમ્બરે આણંદના અંબાલી ચોકડીએ AAPની કિસાન મહાપંચાયત! ઈસુદાન ગઢવીએ ખેડૂતોને મોટી સંખ્યામાં પધારવા આમંત્રણ આપ્યું. ભાજપ સામે ખેડૂતોનો રોષ!
અમદાવાદ/આણંદ/ગુજરાત : આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોને ન્યાય અપાવવા માટે મેદાને પડી છે. બોટાદના કડદા કાંડથી શરૂ થયેલા આંદોલનને વેગ આપવા માટે આમ આદમી પાર્ટી વિવિધ જિલ્લાઓમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરી રહી છે. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત આગામી કિસાન મહાપંચાયતમાં પધારવા માટે ગુજરાતના તમામ ખેડૂતોને આમંત્રણ પાઠવતા જણાવ્યું હતું કે, ભાજપ સતત ખેડૂતોની અવહેલના-અવગણના કરી રહી છે. ભાવની વાત હોય, ખાતર-બિયારણની વાત હોય, સહાય ચૂકવવાની વાત હોય, પાક વીમાની વાત હોય, છેલ્લે કડદા કરીને પણ ખેડૂતો પર અત્યાચાર કરીને તેમને લૂંટવાનું ભાજપ ચૂકતી નથી.
પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટી સતત કિસાન મહાપંચાયતનું આયોજન કરતી આવી છે. આગામી 29 તારીખે આંકલાવના અંબાલી ચોકડી પાસે સાંજે ચાર કલાકે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વ કિસાન ભાઈઓને ખેડૂતોને હું વિનંતી કરું છું મોટી સંખ્યામાં પધારજો. હું પણ આ કિસાન મહાપંચાયતમાં આવી રહ્યો છું આપણે ખેડૂતોએ એક થઈને આ ભાજપ સરકાર પાસે જે આપણી માંગણીઓ છે એ મુકીશું અને જો ભાજપ તે નહીં સ્વીકારે તો આપણે બધા ખેડૂતો એક થઈશું. જો આપણે બધા એક થઈશું તો કોઈ પણ સત્તા ટકી શકશે નહીં.
ગોવામાં આમ આદમી પાર્ટી 2027 વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની રણનીતિમાં બૂથ-સ્તર સંગઠન, પર્યાવરણ રક્ષણ, ભ્રષ્ટાચાર વિરોધ અને યુવાનો-મહિલાઓની ભાગીદારી. પંજાબ મોડેલ ગોવામાં લાગુ કરીને પરિવર્તનની ગેરંટી. વાંચો વિગતો.
બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 7 AAP ખેડૂત નેતાઓને જામીન મંજૂર કર્યા. ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” – ભાજપ સરકારે કડદા રોકનારાઓને જેલમાં નાખ્યા, પરંતુ સત્યની જીત થઈ. ખેડૂતોમાં રોષ અને ખુશીની લાગણી. આગામી કાર્યક્રમોની જાહેરાત – વિગતો અહીં વાંચો.
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વડોદરામાં હરણી મોટનાથ તળાવ (Harni Motnath Lake) બોટ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. 19 જાન્યુઆરી, 2026 ના રોજ વડોદરાની મુલાકાત દરમિયાન કેજરીવાલે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જીવ લેનારી આ કરૂણ ઘટનામાં ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.