ગુજરાત પશુપાલક એવોર્ડ 2026: 565 પશુપાલકોને ₹91 લાખ પ્રોત્સાહન
ગુજરાતમાં 6 જાન્યુઆરીએ શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ સમારોહ – 565 પશુપાલકોને ₹91 લાખ+ પ્રોત્સાહન, જીતુ વાઘાણી હસ્તે વિતરણ.
ગુજરાતની ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન પશુપાલન વ્યવસાયને વધુ વેગ આપવા અને પશુપાલકોના કૌશલ્યને બિરદાવવા માટે આવતીકાલ તા. ૬ જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU) ખાતે ‘શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ’ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને પશુપાલન રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા ખાસ ઉપસ્થિત રહીને વિજેતાઓને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરશે.
આધુનિક ટેકનોલોજી અને પશુ સંવર્ધનની પરંપરાગત પદ્ધતિઓના સંગમ દ્વારા જે પશુપાલકોએ દૂધ ઉત્પાદન અને પશુ સ્વાસ્થ્ય ક્ષેત્રે નવા માપદંડો સ્થાપિત કર્યા છે, તેમને આ મંચ પરથી પ્રોત્સાહિત કરવામાં આવશે. રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના હેઠળ રાજ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર પશુપાલકોને એવોર્ડની સાથે-સાથે પ્રોત્સાહન માટે ક્રમશ: રૂ. ૧,૦૦,૦૦૦, રૂ. ૫૧,૦૦૦ અને રૂ. ૩૧,૦૦૦ની પ્રોત્સાહક રાશિ પણ એનાયત કરવામાં આવશે.
આ ઉપરાંત દરેક જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર પશુપાલકોને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર પશુપાલકને રૂ. ૨૫,૦૦૦ અને દ્વિતીય ક્રમે આવનાર પશુપાલકને રૂ. ૨૦,૦૦૦ની પ્રોત્સાહક રાશિ આપવામાં આવશે. તેવી જ રીતે, તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરનાર પશુપાલકને રૂ. ૨૦,૦૦૦ અને દ્વિતીય ક્રમ હાંસલ કરનાર પશુપાલકને રૂ. ૧૦,૦૦૦ની પ્રોત્સાહક રાશિ આપવામાં આવશે.
આમ, શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના અંતર્ગત આવતીકાલે રાજ્ય કક્ષાએ વિજેતા બનેલા કુલ ૩, જિલ્લા કક્ષાએ વિજેતા બનેલા કુલ ૬૬ અને તાલુકા કક્ષાએ વિજેતા બનેલા કુલ ૪૯૬ પશુપાલકો મળી સમગ્ર રાજ્યના કુલ ૫૬૫ પશુપાલકોને કુલ રૂ. ૯૧,૦૦,૦૦૦થી વધુની પ્રોત્સાહક રાશિ એનાયત કરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.