ગુજરાતને મળી છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ, અસારવા–ઉદયપુર સિટી વચ્ચે શરૂ થશે આ પ્રતિષ્ઠિત ટ્રેન સેવા
ગુજરાતને મળી 6ઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ! અસારવા–ઉદયપુર સિટી રૂટ પર 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટ્રેન 09663 ઉદયપુરથી 12:25, 26964 અસારવાથી 17:45 (મંગળવાર સિવાય). રૂટમાં હિંમતનગર, ડુંગરપુર, જાવર સ્ટોપેજ. 8 કોચ, AC ચેર કાર + એક્ઝિક્યુટિવ ચેર કાર, સુરક્ષિત મુસાફરી. બુકિંગ 15 ફેબ્રુઆરીથી IRCTC પર. વિગતો જુઓ.
ભારતીય રેલ દ્વારા ગુજરાતમાં આધુનિક રેલ સેવાઓના વિસ્તરણ ની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા અસારવા–ઉદયપુર સિટી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ ગુજરાતની છઠ્ઠી વંદે ભારત ટ્રેન હશે, જે ક્ષેત્રીય કનેક્ટિવિટી ને મજબૂત બનાવવાની સાથે-સાથે મુસાફરોની સુવિધા, પર્યટન અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે.
ભારતીય રેલ અપગ્રેડ કરાયેલા સ્ટેશનો, નવી રેલ લાઈનો અને અદ્યતન સુવિધાઓ દ્વારા ક્ષેત્રીય વિકાસ અને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ આ પ્રતિબદ્ધતાનું એક સશક્ત ઉદાહરણ છે.
આ અદ્યતન ટ્રેન રીક્લાઈનિંગ અને આરામદાયક સીટો, સ્લાઇડિંગ દરવાજા, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, બાયો-ટોયલેટ, સ્વચાલિત પ્રવેશ અને નિકાસ દ્વાર તેમજ સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ટ્રેન મુસાફરોને વિશ્વસ્તરીય આરામ પ્રદાન કરતા ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરીનો અનુભવ આપશે.
ટ્રેન નંબર 09663 ઉદયપુર સિટી–અસારવા વંદે ભારત એક્સપ્રેસ 16 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉદયપુર સિટી થી 12:25 વાગ્યે પ્રસ્થાન કરશે અને સાંજે 17:15 વાગ્યે અસારવા પહોંચશે. માર્ગમાં આ ટ્રેન જાવર, ડુંગરપુર અને હિંમતનગર સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર 26964 અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ 18 ફેબ્રુઆરી 2026 થી દરરોજ (મંગળવાર સિવાય) અસારવા થી 17:45 વાગ્યે પ્રસ્થાન કરશે અને 22:00 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 26963 ઉદયપુર સિટી–અસારવા વંદે ભારત એક્સપ્રેસ 18 ફેબ્રુઆરી 2026 થી દરરોજ (મંગળવાર સિવાય) ઉદયપુર સિટીથી 06:10 વાગ્યે પ્રસ્થાન કરશે અને 10:25 વાગ્યે અસારવા પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન હિંમતનગર, ડુંગરપુર અને જાવર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર સહિત કુલ 8 કોચ હશે.
ટ્રેન નંબર 26964 માટે બુકિંગ 15 ફેબ્રુઆરી, 2026 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
PM મોદીએ આસામથી ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇ-બસોને લીલી ઝંડી આપી, પીએમ ઇ-બસ સેવા યોજના હેઠળ ગુજરાતને મોટી ભેટ – આગામી સમયમાં 8 શહેરોમાં 750 બસો દોડશે (વડોદરા 250, રાજકોટ-ભાવનગર-ગાંધીનગર 100, જામનગર-જુનાગઢ 50, ગાંધીધામ 80, નવસારી 20). ₹5450 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન. વિગતો જુઓ.
પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામમાં મહાસિવરાત્રી પર 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરોનું ભવ્ય જીર્ણોદ્ધાર ઉદ્ઘાટન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમારોહ, યુવાનોને નશામુક્ત સમાજ બનાવવાનો સંકલ્પ. કૈલાશધામ આશ્રમમાં 30 કિ.મી. વિસ્તારમાંથી 20,000+ ભક્તો દર્શન કરે છે. વિગતો જુઓ.
ગુજરાતમાં દેશની પ્રથમ CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ ૧૫ ફેબ્રુઆરીએ! કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મહાત્મા મંદિરમાં લોન્ચ. અન્નપૂર્ટિ ગ્રેઇન ATM, ૧ કિ.ગ્રા તુવેર-ચણા પેકિંગ, સુપોષિત ગરુડેશ્વર તાલુકો અભિયાન અને ગ્રાહક સુરક્ષા MOU શરૂ. પારદર્શક ડિજિટલ વિતરણ યુગની શરૂઆત. વિગતો જુઓ.