Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાતને મળી છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ, અસારવા–ઉદયપુર સિટી વચ્ચે શરૂ થશે આ પ્રતિષ્ઠિત ટ્રેન સેવા

ગુજરાતને મળી છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ, અસારવા–ઉદયપુર સિટી વચ્ચે શરૂ થશે આ પ્રતિષ્ઠિત ટ્રેન સેવા

ગુજરાતને મળી 6ઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ! અસારવા–ઉદયપુર સિટી રૂટ પર 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટ્રેન 09663 ઉદયપુરથી 12:25, 26964 અસારવાથી 17:45 (મંગળવાર સિવાય). રૂટમાં હિંમતનગર, ડુંગરપુર, જાવર સ્ટોપેજ. 8 કોચ, AC ચેર કાર + એક્ઝિક્યુટિવ ચેર કાર, સુરક્ષિત મુસાફરી. બુકિંગ 15 ફેબ્રુઆરીથી IRCTC પર. વિગતો જુઓ.

Ahmedabad February 14, 2026
ગુજરાતને મળી છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ, અસારવા–ઉદયપુર સિટી વચ્ચે શરૂ થશે આ પ્રતિષ્ઠિત ટ્રેન સેવા

ગુજરાતને મળી છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ, અસારવા–ઉદયપુર સિટી વચ્ચે શરૂ થશે આ પ્રતિષ્ઠિત ટ્રેન સેવા

ભારતીય રેલ દ્વારા ગુજરાતમાં આધુનિક રેલ સેવાઓના વિસ્તરણ ની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા અસારવા–ઉદયપુર સિટી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ ગુજરાતની છઠ્ઠી વંદે ભારત ટ્રેન હશે, જે ક્ષેત્રીય  કનેક્ટિવિટી ને મજબૂત બનાવવાની સાથે-સાથે મુસાફરોની સુવિધા, પર્યટન અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે.
ભારતીય રેલ અપગ્રેડ કરાયેલા સ્ટેશનો, નવી રેલ લાઈનો અને અદ્યતન સુવિધાઓ દ્વારા ક્ષેત્રીય વિકાસ અને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ આ પ્રતિબદ્ધતાનું એક સશક્ત ઉદાહરણ છે.

આ અદ્યતન ટ્રેન રીક્લાઈનિંગ અને આરામદાયક સીટો, સ્લાઇડિંગ દરવાજા, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, બાયો-ટોયલેટ, સ્વચાલિત પ્રવેશ અને નિકાસ દ્વાર તેમજ સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ટ્રેન મુસાફરોને વિશ્વસ્તરીય આરામ પ્રદાન કરતા ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરીનો અનુભવ આપશે.

ઉદ્ઘાટન સેવા

ટ્રેન નંબર 09663 ઉદયપુર સિટી–અસારવા વંદે ભારત એક્સપ્રેસ 16 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉદયપુર સિટી થી 12:25 વાગ્યે પ્રસ્થાન કરશે અને સાંજે 17:15 વાગ્યે અસારવા પહોંચશે. માર્ગમાં આ ટ્રેન જાવર, ડુંગરપુર અને હિંમતનગર સ્ટેશનો પર રોકાશે.

નિયમિત સેવા: (અઠવાડિયામાં 6 દિવસ મંગળવાર સિવાય )

ટ્રેન નંબર 26964 અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ 18 ફેબ્રુઆરી 2026 થી દરરોજ (મંગળવાર સિવાય) અસારવા થી 17:45 વાગ્યે પ્રસ્થાન કરશે અને 22:00 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 26963 ઉદયપુર સિટી–અસારવા વંદે ભારત એક્સપ્રેસ 18 ફેબ્રુઆરી 2026 થી દરરોજ (મંગળવાર સિવાય) ઉદયપુર સિટીથી 06:10 વાગ્યે પ્રસ્થાન કરશે અને 10:25 વાગ્યે અસારવા પહોંચશે.

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન હિંમતનગર, ડુંગરપુર અને જાવર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર સહિત કુલ 8 કોચ હશે.

ટ્રેન નંબર 26964 માટે બુકિંગ 15 ફેબ્રુઆરી, 2026 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

PM મોદીએ ભાવનગરમાં 50 ઇ-બસોને લીલી ઝંડી આપી,  ગુજરાતને પીએમ ઇ-બસ સેવા યોજનાની મોટી ભેટ – 750 બસોનું આયોજન
ahmedabad
February 14, 2026

PM મોદીએ ભાવનગરમાં 50 ઇ-બસોને લીલી ઝંડી આપી, ગુજરાતને પીએમ ઇ-બસ સેવા યોજનાની મોટી ભેટ – 750 બસોનું આયોજન

PM મોદીએ આસામથી ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇ-બસોને લીલી ઝંડી આપી, પીએમ ઇ-બસ સેવા યોજના હેઠળ ગુજરાતને મોટી ભેટ – આગામી સમયમાં 8 શહેરોમાં 750 બસો દોડશે (વડોદરા 250, રાજકોટ-ભાવનગર-ગાંધીનગર 100, જામનગર-જુનાગઢ 50, ગાંધીધામ 80, નવસારી 20). ₹5450 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન. વિગતો જુઓ.

નાનીમાળમાં 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરોનું ભવ્ય જીર્ણોદ્ધાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન
ahmedabad
February 14, 2026

નાનીમાળમાં 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરોનું ભવ્ય જીર્ણોદ્ધાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન

પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામમાં મહાસિવરાત્રી પર 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરોનું ભવ્ય જીર્ણોદ્ધાર ઉદ્ઘાટન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમારોહ, યુવાનોને નશામુક્ત સમાજ બનાવવાનો સંકલ્પ. કૈલાશધામ આશ્રમમાં 30 કિ.મી. વિસ્તારમાંથી 20,000+ ભક્તો દર્શન કરે છે. વિગતો જુઓ.

દેશની પ્રથમ CBDC આધારિત PDS યોજનાનો શુભારંભ ગુજરાતમાં, અમિત શાહ ૧૫ ફેબ્રુઆરીએ કરશે લોન્ચ
gandhinagar
February 13, 2026

દેશની પ્રથમ CBDC આધારિત PDS યોજનાનો શુભારંભ ગુજરાતમાં, અમિત શાહ ૧૫ ફેબ્રુઆરીએ કરશે લોન્ચ

ગુજરાતમાં દેશની પ્રથમ CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ ૧૫ ફેબ્રુઆરીએ! કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મહાત્મા મંદિરમાં લોન્ચ. અન્નપૂર્ટિ ગ્રેઇન ATM, ૧ કિ.ગ્રા તુવેર-ચણા પેકિંગ, સુપોષિત ગરુડેશ્વર તાલુકો અભિયાન અને ગ્રાહક સુરક્ષા MOU શરૂ. પારદર્શક ડિજિટલ વિતરણ યુગની શરૂઆત. વિગતો જુઓ.

Braking News

એમપીના આ શહેરમાં એક માત્ર સૂર્યદેવ મંદિર છે, જાણો તેની ઓળખ અને મહત્વ
એમપીના આ શહેરમાં એક માત્ર સૂર્યદેવ મંદિર છે, જાણો તેની ઓળખ અને મહત્વ
January 25, 2024

જબલપુરના બંધારણ ચોકમાં સ્થિત આ સૂર્યદેવના મંદિરનો પાયો વર્ષ 1981માં નાખવામાં આવ્યો હતો. આ મંદિરની સ્થાપના રઘુવંશી રવિદાસ દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરના પૂજારીએ જણાવ્યું કે સૂર્ય ભગવાનનું આ મંદિર જબલપુર શહેરમાં ભગવાન સૂર્યનું એકમાત્ર અને પ્રથમ મંદિર છે. આ મંદિરમાં ઘણા ભક્તોની વિશેષ આસ્થા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વિચારી લો, નહીં તો જેલ થઈ જશે!
August 25, 2023
 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
"ગોપનીયતા, પ્રગતિ અને બિગ ડેટા: ધ થ્રી-વે ટગ ઓફ વોર"
March 31, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express