Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં ગુજરાત પ્રથમ ક્રમે

એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં ગુજરાત પ્રથમ ક્રમે

એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ (EPI) એ ચાર મુખ્ય આધારસ્તંભોમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ એટલે કે નિકાસ સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટેનું વ્યાપક આકારણી માળખું છે. આ ચાર સ્તંભોમાં પોલિસી, બિઝનેસ ઇકોસિસ્ટમ, એક્સપોર્ટ ઇકોસિસ્ટમ અને એક્સપોર્ટ પર્ફોર્મન્સનો સમાવેશ થાય છે.

Ahmedabad July 18, 2023
એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં ગુજરાત પ્રથમ ક્રમે

એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં ગુજરાત પ્રથમ ક્રમે

એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ (EPI) એ ચાર મુખ્ય આધારસ્તંભો (પિલર્સ)માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ એટલે કે નિકાસ સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટેનું વ્યાપક આકારણી માળખું છે. આ ચાર સ્તંભોમાં પોલિસી, બિઝનેસ ઇકોસિસ્ટમ, એક્સપોર્ટ ઇકોસિસ્ટમ અને એક્સપોર્ટ પર્ફોર્મન્સનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ (FY) 2021-22 માટે EPI 2022 મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું અને નીતિ આયોગ દ્વારા 17 જુલાઈ, 2023ના રોજ તેની જાહેરાત કરવામાં આવી હતી.

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે એક્સપોર્ટ પર્ફોર્મન્સ પિલરમાં પ્રથમ અને પોલિસી પિલરમાં બીજો ક્રમાંક મેળવ્યો છે. 126 બિલિયન યુએસ ડોલરથી વધુની નિકાસ સાથે ગુજરાત નાણાકીય વર્ષ 2021-22માં મર્ચન્ડાઇઝ નિકાસમાં ભારતમાં અગ્રેસર હતું, જે ભારતની કુલ મર્ચન્ડાઈઝ નિકાસમાં 30% હિસ્સો ધરાવે છે. અગાઉના વર્ષ (નાણાકીય વર્ષ 2020-21) માટે ગુજરાતની મર્ચન્ડાઇઝ નિકાસ 63 બિલિયન યુએસ ડોલર હતી, એટલે વૃદ્ધિની દ્રષ્ટિએ જોઇએ તો, ગુજરાતે તેના નિકાસ મૂલ્યને બમણું કર્યું છે. તમામ પિલર્સના વેઇટેજનો સરવાળો કરીએ, તો ગુજરાત 73.22 નો સ્કોર હાંસલ કરીને ચોથા ક્રમે રહ્યું હતું.

ગુજરાતમાંથી થતી મર્ચન્ડાઇઝ નિકાસ તેની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) માં 35% યોગદાન આપે છે, જે તમામ રાજ્યોમાં સૌથી વધુ ટકાવારી છે. વધુમાં, નાણાકીય વર્ષ 2021-22માં 4234 નવા નિકાસકારો સાથે ગુજરાતમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કરતા નિકાસકારોની સંખ્યામાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. EPI 2022 ના અહેવાલ મુજબ, ભારતના ટોચના દસ જિલ્લાઓમાં ગુજરાતના 4 જિલ્લાઓ છે અને નિકાસની દ્રષ્ટિએ ટોચના 25 જિલ્લાઓમાં 8 જિલ્લાઓ છે, જે દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે. ગુજરાતના ટોચના 4 જિલ્લાઓ,જામનગર, સુરત, ભરૂચ અને અમદાવાદ ભારતમાંથી થતી કુલ મર્ચન્ડાઇઝ નિકાસમાં પાંચમા ભાગથી વધુ યોગદાન આપે છે. 

ભારતમાંથી થતી કુલ મર્ચન્ડાઇઝ નિકાસમાં જામનગર એકલું જ સૌથી વધુ ફાળો (12.18%) આપે છે, જે આંધ્રપ્રદેશ, ઓડિશા અને હરિયાણાના કુલ યોગદાનની સમકક્ષ છે. રિપોર્ટમાં જિલ્લાઓને કેન્દ્રમાં રાખીને ગુજરાતમાં નિકાસની કામગીરી વધારવાના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી છે. ગુજરાતે જિલ્લા સ્તરે નિકાસની કામગીરીને વેગ અને પ્રોત્સાહન મળે તે માટે તમામ 33 જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન કમિટી  (DEPC) ની રચના કરી છે અને ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન (DEPP) તૈયાર કર્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત 2030 સુધીમાં ભારતના 1 ટ્રિલિયન યુએસ ડોલર મર્ચન્ડાઇઝ નિકાસના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સક્રિય નીતિગત પગલાં લેવાનું ચાલુ રાખશે અને માળખાગત સુવિધાઓને મજબૂત કરશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

આદિત્ય બિરલા સન લાઇફે સુપર ટર્મ પ્લાન લોન્ચ કર્યો
mumbai
June 17, 2025

આદિત્ય બિરલા સન લાઇફે સુપર ટર્મ પ્લાન લોન્ચ કર્યો

ઓલ ઇન વન ટર્મ ઇન્શ્યોરન્સ સોલ્યુશન જે જીવન, તંદુરસ્ત જિંદગી અને આવકની સુરક્ષા માટે કસ્ટમાઇઝ કરી શકાય તેવું પ્રોટેક્શન આપે છે.

દુનિયાના અડધાથી વધુ લોકો ભારતીય વ્હિસ્કી પીવે છે, આ છે કારણ
mumbai
June 17, 2025

દુનિયાના અડધાથી વધુ લોકો ભારતીય વ્હિસ્કી પીવે છે, આ છે કારણ

વિશ્વની ટોચની 20 સૌથી વધુ વપરાશ થતી વ્હિસ્કી બ્રાન્ડ્સમાંથી અડધાથી વધુ ભારતીય છે. તાજેતરમાં, ડ્રિંક્સ ઇન્ટરનેશનલનો એક રિપોર્ટ આવ્યો છે, જેમાં આ વાતનો ખુલાસો થયો છે.

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના વીમા કંપની માટે સૌથી મોટો ઇતિહાસ બની, 4000 કરોડનો ખર્ચ થશે
ahmedabad
June 16, 2025

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના વીમા કંપની માટે સૌથી મોટો ઇતિહાસ બની, 4000 કરોડનો ખર્ચ થશે

જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રામાસ્વામી નારાયણને જણાવ્યું છે કે આ ઉડ્ડયન વીમા દાવો ભારતના ઇતિહાસનો સૌથી મોટો દાવો હોઈ શકે છે.

Braking News

અલ્લુ અર્જુને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પૂર રાહત માટે આટલી મોટી રકમનું દાન કર્યું
અલ્લુ અર્જુને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પૂર રાહત માટે આટલી મોટી રકમનું દાન કર્યું
September 04, 2024

તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તાજેતરમાં આવેલા પૂરને કારણે થયેલા નુકસાનનો સામનો કરવા માટે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓના રાહત ફંડમાં 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
March 05, 2023
 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express