Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાતના યુવાનો બનશે 'ગ્લોબલ સ્કિલ્ડ': રાજ્ય સરકાર અને અદાણી સ્કિલ્સ વચ્ચે રોજગારલક્ષી ઐતિહાસિક MoU

ગુજરાતના યુવાનો બનશે 'ગ્લોબલ સ્કિલ્ડ': રાજ્ય સરકાર અને અદાણી સ્કિલ્સ વચ્ચે રોજગારલક્ષી ઐતિહાસિક MoU

ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ વિભાગે અદાણી સ્કિલ્સ અને એજ્યુકેશન સાથે રાજ્યના યુવાનોના કૌશલ્ય વર્ધન માટે MoU કર્યા છે. શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમનો હેતુ યુવાનોને સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, પોર્ટ્સ, લોજિસ્ટિક્સ અને કન્સ્ટ્રક્શન ટેકનોલોજી જેવા આધુનિક ક્ષેત્રોમાં સજ્જ કરવાનો છે. 

Gandhinagar March 13, 2026
ગુજરાતના યુવાનો બનશે 'ગ્લોબલ સ્કિલ્ડ': રાજ્ય સરકાર અને અદાણી સ્કિલ્સ વચ્ચે રોજગારલક્ષી ઐતિહાસિક MoU

ગુજરાતના યુવાનો બનશે 'ગ્લોબલ સ્કિલ્ડ': રાજ્ય સરકાર અને અદાણી સ્કિલ્સ વચ્ચે રોજગારલક્ષી ઐતિહાસિક MoU

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી તથા અદાણી સ્કિલ્સ અને એજ્યુકેશન વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, કુશળ માનવબળ એ વિકસિત ભારતનો પાયો છે. આ સમજૂતી કરાર થકી રાજ્યના યુવાનોને ઉદ્યોગોની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવશે, જેથી તેઓ સફળતાપૂર્વક રોજગારી મેળવી શકે. આ સમજૂતી રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-ITIsમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને પરંપરાગત તાલીમ સાથે આધુનિક ટેક્નોલોજી અને ઇન્ડસ્ટ્રી-સ્પેસિફિક સ્કિલ્સનું જ્ઞાન આપવા માટે મહત્વની ભૂમિકા ભજવશે.

વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ સમજૂતી હેઠળ યુવાઓને સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, પોર્ટ્સ એન્ડ લોજિસ્ટિક્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રો પર વિશેષ તાલીમ આપવામાં આવશે. રાજ્યની પસંદગીની ITIsમાં અદ્યતન 'સ્કિલ લેબ્સ' સ્થાપવામાં આવશે, જ્યાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ ઉદ્યોગ અનુભવ, હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ અને ઇન્ડસ્ટ્રી એક્સપોઝર મળશે. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર યુવાનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે, જે તેમની રોજગારીની તકોમાં અનેકગણો વધારો કરશે.

આ MoU વડાપ્રધાનશ્રીના 'વિકસિત ભારત @૨૦૪૭' અને 'સ્કિલ ઇન્ડિયા' વિઝન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. આ પહેલથી રાજ્યના હજારો યુવાનોને ગુણવત્તાયુક્ત તાલીમ મળશે, જે રોજગારીના નવા દ્વાર ખોલશે અને ગુજરાતને વૈશ્વિક કુશળતા હબ તરીકે સ્થાપિત કરશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ શ્રી લોચન સહેરા, રોજગાર અને તાલીમ નિયામક શ્રી નીતિન સાંગવાન, મંત્રીશ્રીના અંગત સચિવ શ્રી જે.બી.વદર સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ અને અદાણી ગ્રુપના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

દિવ્યાંગોની સેવામાં CM ભૂપેન્દ્ર પટેલનો સંવેદનશીલ નિર્ણય: ₹36 કરોડની મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને વ્હીલચેરનું વિતરણ
gandhinagar
March 13, 2026

દિવ્યાંગોની સેવામાં CM ભૂપેન્દ્ર પટેલનો સંવેદનશીલ નિર્ણય: ₹36 કરોડની મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને વ્હીલચેરનું વિતરણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 5,676 દિવ્યાંગ લાભાર્થીઓને કુલ ₹36.7 કરોડની કિંમતના સાધનોનું વિતરણ કરી એક નવી મિસાલ કાયમ કરી છે. આ અંતર્ગત 4,000 મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને 1,676 જોયસ્ટિક વ્હીલચેર અર્પણ કરવામાં આવી છે. 

અમદાવાદના જેતલપુરમાં આધાર સેવા કેમ્પ: 5 થી 17 વર્ષના બાળકો માટે ફ્રી બાયોમેટ્રિક અપડેટની સુવિધા
ahmedabad
March 11, 2026

અમદાવાદના જેતલપુરમાં આધાર સેવા કેમ્પ: 5 થી 17 વર્ષના બાળકો માટે ફ્રી બાયોમેટ્રિક અપડેટની સુવિધા

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ અમદાવાદના જેતલપુર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટના દ્વિશતાબ્દી ઉત્સવ નિમિત્તે એક વિશેષ આધાર સેવા કેમ્પનું આયોજન કર્યું હતું. 5 થી 11 માર્ચ, 2026 દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં હજારો રહેવાસીઓએ આધાર નોંધણી અને અપડેટ સેવાઓનો લાભ લીધો હતો.

જેતલપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ: દ્વિશતાબ્દી મહોત્સવ 'અવસર'માં CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
ahmedabad
March 11, 2026

જેતલપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ: દ્વિશતાબ્દી મહોત્સવ 'અવસર'માં CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ 'અવસર' માં સહભાગી થઈને આશીર્વાદ મેળવ્યા હતા. જેતલપુર ધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થવા બદલ તેમણે જણાવ્યું કે, ભગવાન સ્વામિનારાયણે જાતે સ્થાપેલા નવ મંદિરોમાં જેતલપુરનું આ પાંચમું મંદિર છે. મુખ્યમંત્રીએ સંપ્રદાય દ્વારા સમાજમાંથી અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર કરવાના કાર્યોને બિરદાવ્યા હતા. 

Braking News

શું બાળકને ભણવાનું મન થતું નથી? તો આ 3 ટિપ્સ અનુસરો અને તમારું બાળક દરેક ક્ષેત્રમાં અવ્વલ આવશે
શું બાળકને ભણવાનું મન થતું નથી? તો આ 3 ટિપ્સ અનુસરો અને તમારું બાળક દરેક ક્ષેત્રમાં અવ્વલ આવશે
January 17, 2024

જો તમારું બાળક અભ્યાસથી દૂર ભાગે છે અને તેને ભણવામાં બિલકુલ મન લાગતું નથી. આ કારણે તેનું ભવિષ્ય કેવું હશે તેની તમને સતત ચિંતા રહે છે. તો આજે અમે તમને એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમારું બાળક લગનથી અભ્યાસ કરવાનું શરૂ કરશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
June 24, 2023
"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express