14 ઓગસ્ટે ગુજરાતી ડૉ. કશ્યપ પટેલને 'હિન્દ રત્ન' એવોર્ડ થી સન્માનિત કરાશે
ગુજરાતની ખમીરવંતી ધરતી પર જન્મેલા અને અમેરીકામાં વિશ્વ વિખ્યાત ઓન્કોલોજીસ્ટ તરીકે પ્રસ્થાપિત થયેલા ડૉ. કશ્યપ પટેલને અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા હિન્દ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
અમદાવાદ/યુએસએ : ગુજરાતની ખમીરવંતી ધરતી પર જન્મેલા અને અમેરીકામાં વિશ્વ વિખ્યાત ઓન્કોલોજીસ્ટ તરીકે પ્રસ્થાપિત થયેલા ડૉ. કશ્યપ પટેલને અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા હિન્દ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આગામી 14 ઓગસ્ટના રોજ બ્રિટન ખાતે યોજાનારા ભવ્યાતિભવ્ય સન્માન સમારોહમાં વિશ્વના પ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં ડૉ. કશ્યપ પટેલને આ સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવશે. આ ક્ષણ સમગ્ર ભારત દેશ અને પ્રત્યેક ભારતીય માટે અપાર ગૌરવની ક્ષણ બનશે.
ગુજરાતના કડવા પાટીદાર સમાજના આધ્યાત્મિકતાને સમર્પિત પરિવારમાં જન્મેલા કશ્યપ પટેલ બાળપણથી જ અભ્યાસમાં હોંશિયાર હતા. માતાપિતા અને પરિવારજનોએ કરેલા ઉચ્ચ કોટીના ધાર્મિક સંસ્કારોના સિંચનને કારણે કશ્યપ પટેલ નાની ઉંમરથી જ સેવા પરમો ધર્મની ભાવનાથી ઓતપ્રોત બન્યા હતા. નિઃસ્વાર્થ અને સમર્પિતતાના ભાવથી સેવા કરવાનો દૃઢ સંકલ્પ તેમના હૃદયમાં બાળપણથી જ જાગ્યો હતો.
અમદાવાદની મેડિકલ કોલેજમાંથી તબીબી શિક્ષણ પૂર્ણ કરી તેઓ ડૉક્ટર બન્યા. પરંતુ તેમનું સ્વપ્ન માત્ર પ્રેક્ટિસ કરવાનું જ નહોતું, પરંતુ દર્દીઓની નિઃસ્વાર્થ સેવા કરીને તેમના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાનું હતું.
દર્દીઓ પ્રત્યે સમર્પિત ડૉ. કશ્યપ પટેલે તેમના જીવનના આરંભે જ દૃઢ સંકલ્પ કર્યો હતો કે વૈભવી સુખસગવડો, ધન-દોલત એકઠી કરવી એ તેમના જીવનનું લક્ષ્ય નહીં હોય. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો સંપૂર્ણ સમર્પિતતાના ભાવથી દર્દીઓની સેવા કરવી અને તેમના દુઃખો દૂર કરવા.
આ સંકલ્પને સાકાર કરવા માટે ડૉ. કશ્યપ પટેલે પહેલા બ્રિટનમાં મેડિકલ પ્રેક્ટિસ કરી. ત્યારબાદ વધુ સારી તકો અને વિશાળ કાર્યક્ષેત્ર માટે તેઓ અમેરીકા પહોંચ્યા. અમેરીકાના નોર્થ કેરોલિનામાં તેમણે પોતાની હોસ્પિટલની સ્થાપના કરી અને ઓન્કોલોજીસ્ટ (કેન્સર વિશેષજ્ઞ) તરીકે પ્રેક્ટિસ શરૂ કરી.
દર્દીઓ પ્રત્યે કરુણાનો અદ્ભુત ભાવ, નિઃસ્વાર્થ સેવા, સરળતા અને સાદગી - આ ગુણોને કારણે ડૉ. કશ્યપ પટેલ ટૂંક સમયમાં જ વિશ્વ વિખ્યાત ઓન્કોલોજીસ્ટ તરીકે પ્રસ્થાપિત થયા. કેન્સર જેવા ગંભીર રોગ સામે લડતા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ડૉ. પટેલ માત્ર એક ડૉક્ટર જ નહીં, પરંતુ આશાનું કિરણ અને માર્ગદર્શક બની રહ્યા.
આશ્ચર્યજનક અને ગૌરવની વાત એ છે કે ડૉ. કશ્યપ પટેલના મેડિકલ ક્ષેત્રે કરેલા સંશોધનો, દર્દીઓની સારવારની અનન્ય પદ્ધતિઓ, આધ્યાત્મિક વિચારધારાનો ચિકિત્સામાં સમાવેશ જેવા વિષયો વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. વિશ્વભરના 100થી વધુ પ્રતિષ્ઠિત સમાચારપત્રો, મેગેઝિન અને ન્યૂઝ ચેનલ્સે ડૉ. કશ્યપ પટેલના ઇન્ટરવ્યુ પ્રકાશિત અને પ્રસારિત કર્યા છે.
ડૉ. કશ્યપ પટેલ અમેરીકામાં ઓન્કોલોજીસ્ટ એસોસિએશનના પ્રેસિડન્ટ તરીકે કાર્ય કરી ચુક્યા છે. નોર્થ કેરોલિના બ્લડ એન્ડ કેન્સર કેર એસોસિએશનના સીઈઓ તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા છે. તેઓ વિવિધ વિશ્વ કક્ષાના તબીબી સંગઠનો અને સંશોધન સંસ્થાઓ સાથે જોડાયેલા છે, જ્યાં તેમનું યોગદાન અમૂલ્ય માનવામાં આવે છે.
વિશ્વભરમાં વસવાટ કરતા જે ભારતીયો વિવિધ ક્ષેત્રોમાં અકલ્પનીય યોગદાન આપી રહ્યા છે અને જેમની સિદ્ધિઓને કારણે વિશ્વભરમાં ભારત દેશની પ્રતિષ્ઠા વધે છે અને તિરંગાને સન્માન મળે છે, તેવા પ્રતિષ્ઠિત અને ગૌરવવંતા ભારતીયોને હિન્દ રત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે. આ એવોર્ડ એ વિશ્વ કક્ષાનું સર્વોચ્ચ સન્માન છે જે ભારતીય મૂળના લોકોને તેમના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે.
ડૉ. કશ્યપ પટેલની તબીબી ક્ષેત્રે અપાર સેવા, નવીનતમ સંશોધનો અને માનવતાવાદી દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને તેમને આ પ્રતિષ્ઠિત હિન્દ રત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે દર્દીઓ પ્રત્યે સમર્પિત ડૉ. કશ્યપ પટેલ અત્યાર સુધીમાં વિવિધ પ્રકારના 25થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત થઈ ચુક્યા છે. આ એવોર્ડ્સ તેમની તબીબી કુશળતા, સંશોધન કાર્ય અને માનવસેવાની સાક્ષી છે.
તેમના દ્વારા લખાયેલું 'બિટ્વીન લાઈફ એન્ડ ડેથ' નામનું પુસ્તક વિશ્વભરમાં વિખ્યાત બન્યું છે. આ પુસ્તકમાં તેઓ જીવન અને મૃત્યુ વચ્ચેના સંવેદનશીલ વિષયો પર ગહન વિચારણા કરે છે. મૃત્યુની આરે પહોંચેલા દર્દીઓને મૃત્યુ સમયે કોઈ દુઃખ, શોક કે પીડા ન પહોંચે તે માટે તેઓ દર્દીઓની સાયકોલોજિકલ ટ્રીટમેન્ટ કરે છે, જે તબીબી જગતમાં એક અનન્ય અને માનવીય અભિગમ છે.
અત્યંત આશ્ચર્યજનક વાત એ છે કે ડૉ. કશ્યપ પટેલને શ્રીમદ્ ભાગવત કથાના પ્રત્યેક શ્લોક કંઠસ્થ છે. દર્દીઓના ઓપરેશન કરતી વખતે તેઓ શ્રીમદ્ ભાગવત કથાના દિવ્ય શ્લોકોનું ઉચ્ચારણ કરતા રહે છે. આ આધ્યાત્મિક શક્તિ અને વૈજ્ઞાનિક કુશળતાનું આ અદ્ભુત સંયોજન તેમની વ્યક્તિત્વની વિશિષ્ટતા દર્શાવે છે.
ડૉ. કશ્યપ પટેલે આર્થિક રીતે નબળા અસંખ્ય દર્દીઓની લાખો ડોલરની ફી માફ કરી છે. તેઓ કહે છે કે દર્દીઓ પાસેથી આર્થિક ફાયદો મેળવવા કરતાં તેમને રોગમુક્ત કરવામાં અને સંપૂર્ણ સમર્પિતતાના ભાવથી સેવા કરવામાં તેમને જે અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે તે અકલ્પનીય છે. આ વિચારધારા તેમના 'સેવા પરમો ધર્મ' ના સંકલ્પનું જીવંત ઉદાહરણ છે.
ડૉ. કશ્યપ પટેલ નું હ્રદય કરુણા થી છલકે છે, તેમને ડોલર કમાવવાની લાલસા નથી. તે બાબતની સાબિતી આપતી ઘટના એ છે કે ડૉ. કશ્યપ પટેલે અત્યાર સુધીઅમેરીકા સરકારે આપ્યું ઐતિહાસિક સન્માન
વર્ષ 2022માં અમેરીકા સરકારે ખરડો પસાર કરીને ડૉ. કશ્યપ પટેલની સેવાકીય પ્રવૃત્તિ અને અકલ્પનીય સફળતાને સુવર્ણ સિદ્ધિ તરીકે સ્વીકારી હતી. યુએસએ સરકારે નોર્થ કેરોલિના બ્લડ એન્ડ કેન્સર કેર એસોસિએશનના સીઈઓ તરીકે ડૉ. કશ્યપ પટેલની અકલ્પનીય સફળતાને અમેરીકાના ઇતિહાસમાં સુવર્ણ સિદ્ધિ ગણાવી હતી. આ એક ઐતિહાસિક ક્ષણ હતી અને સમગ્ર ભારતીય સમુદાય માટે ગૌરવનો વિષય હતો.
હિન્દ રત્ન એવોર્ડ માટે ડૉ. કશ્યપ પટેલની પસંદગીના સમાચાર મળતાં જ અમેરીકામાં તેમની હોસ્પિટલના કર્મચારીઓ, દર્દીઓ, પ્રશંસકો, સ્નેહીજનો અને શુભચિંતકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. ગુજરાતમાં વસતા તેમના પરિવારજનો, સ્નેહીજનો, સંબંધીઓ, કડવા પાટીદાર સમાજ, સામાજિક સંસ્થાઓ અને તબીબી આલમમાં આ સમાચારે ઉત્સાહનું વાતાવરણ ઊભું કર્યું છે.
14 ઓગસ્ટના રોજ બ્રિટનમાં યોજાનારો ભવ્ય સન્માન સમારોહ માત્ર ડૉ. કશ્યપ પટેલ માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત, ગુજરાત અને ખાસ કરીને કડવા પાટીદાર સમાજ માટે ગૌરવની ક્ષણ બનશે. આ સન્માન એ વાત સાબિત કરે છે કે સંસ્કારો, સમર્પણ અને નિઃસ્વાર્થ સેવાની ભાવનાથી કોઈ પણ વ્યક્તિ વિશ્વ કક્ષાએ પોતાનું અને પોતાના દેશનું નામ રોશન કરી શકે છે.
ગુજરાતને મળી 6ઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ. અસારવા–ઉદયપુર સિટી રૂટ પર 16 ફેબ્રુઆરીથી શરૂ – 4 કલાકમાં યાત્રા, AC ચેર કાર + એક્ઝિક્યુટિવ ચેર કાર, 8 કોચ. હિંમતનગર, ડુંગરપુર, જાવર સ્ટોપેજ. લીલી ઝંડી શોભનાબેન બારૈયા સહિત નેતાઓએ આપી. બુકિંગ 15 ફેબ્રુઆરીથી IRCTC પર. વિગતો જુઓ.
સરકારી વિનયન કૉલેજ તિલકવાડામાં “Budget Talk @ Campus” કાર્યક્રમ યોજાયો! નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે કેન્દ્રીય બજેટ-2026ની વિગતો સમજાવી – સરકારી નીતિઓ કેવી રીતે સામાન્ય નાગરિક સુધી પહોંચે છે તેનું માર્ગદર્શન. આચાર્ય ડૉ. પદ્માબેન તડવીએ પણ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ માહિતી આપી. વિગતો જુઓ.
ગુજરાતને મળી 6ઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ! અસારવા–ઉદયપુર સિટી રૂટ પર 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટ્રેન 09663 ઉદયપુરથી 12:25, 26964 અસારવાથી 17:45 (મંગળવાર સિવાય). રૂટમાં હિંમતનગર, ડુંગરપુર, જાવર સ્ટોપેજ. 8 કોચ, AC ચેર કાર + એક્ઝિક્યુટિવ ચેર કાર, સુરક્ષિત મુસાફરી. બુકિંગ 15 ફેબ્રુઆરીથી IRCTC પર. વિગતો જુઓ.