Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાતની સંશોધક ભાવિષા વ્યાસે અંગ્રેજી ઉચ્ચારણ સુધારવા માટે નવી પદ્ધતિ વિકસાવી

ગુજરાતની સંશોધક ભાવિષા વ્યાસે અંગ્રેજી ઉચ્ચારણ સુધારવા માટે નવી પદ્ધતિ વિકસાવી

ભાવિષા વ્યાસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના અંગ્રેજી ભાષાના પીએચ.ડી. સંશોધક દ્વારા અતિ તકનિકી વિષય “Devising a Model for Teaching International Intelligibility to the UG Students of ESL in Gujarat” પર સફળ સંશોધન પૂર્ણ કરવામાં આવ્યું છે. 

Rajkot May 02, 2025
ગુજરાતની સંશોધક ભાવિષા વ્યાસે અંગ્રેજી ઉચ્ચારણ સુધારવા માટે નવી પદ્ધતિ વિકસાવી

ગુજરાતની સંશોધક ભાવિષા વ્યાસે અંગ્રેજી ઉચ્ચારણ સુધારવા માટે નવી પદ્ધતિ વિકસાવી

રાજકોટ: ભાવિષા વ્યાસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના અંગ્રેજી ભાષાના  પીએચ.ડી. સંશોધક દ્વારા  અતિ તકનિકી વિષય “Devising a Model for Teaching International Intelligibility to the UG Students of ESL in Gujarat” પર સફળ સંશોધન પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સંશોધન કાર્ય તેઓ દ્રારા  અંગ્રેજી ભવનના વરિષ્ઠ પ્રોફેસર અને પૂર્વ કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. જયદિપસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ પૂરું કરવામાં આવ્યું હતું. 

વિષય તરીકે "Phonetics" પસંદ કરવું અને તેના પર સંશોધન કરવું એ પોતે જ ગુજરાતમાં દુર્લભ વાત છે. સંશોધનમાં છ શહેરોના UG વિદ્યાર્થીઓના 216 ઑડિયો નમૂનાઓ લેવામાં આવ્યા અને દરેક નમૂનાનો નગ્ન કાને ઓછામાં ઓછું 10 વખત ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો.

વિશ્લેષણ દરમિયાન અંગ્રેજી ભાષાના short vowels, long vowels, diphthongs, અને consonant sounds જેવા અવાજોના ઉચ્ચારણમાં જડપથી લઈ ભાવમાં ભિન્નતાઓ જોવા મળી. ખાસ કરીને "શ" અને "સ", "જ", "zh", અને "ઝ" જેવા અવાજોના ઉચ્ચારણ અને ઉત્પાદનમાં વિદ્યાર્થીઓની ભૂલો અને તફાવતો નોંધાયા હતા..

સંશોધનના અંતે AI આધારિત ICT મોડેલ બનાવવામાં આવ્યો છે, જેમાં Game-based pronunciation correction toolsનો સમાવેશ થાય છે. આ મોડેલ આંતરરાષ્ટ્રીય ધોરણે માન્ય સંશોધકો જેમ કે Jennifer Jenkins, Derwing-Munro, Kachru અને Balasubramanium ના અભ્યાસ પર આધારિત છે.

આ સંશોધનથી ગુજરાતમાં ESL (English as Second Language) શિક્ષણ માટે એક નવી દિશા પ્રાપ્ત થશે અને ભવિષ્યમાં શિક્ષણપદ્ધતિઓમાં વ્યાપક સુધારો શક્ય બનશે.

આ પ્રકારના યુનિક સંશોધન દ્વારા અંગ્રેજી  ભાષાની ગતિ પ્રગતિ સહજ બને તે માટે સંશોધક  ડો. ભાવિષા વ્યાસ અને તેના ગાઇડ પ્રો. જયદિપસિંહ ડોડીયાના પ્રયત્નોને શિક્ષણ જગતમાં સારો એવો આવકાર મળ્યો છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતને મળી છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ, અસારવા–ઉદયપુર સિટી વચ્ચે શરૂ થશે આ પ્રતિષ્ઠિત ટ્રેન સેવા
ahmedabad
February 14, 2026

ગુજરાતને મળી છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ, અસારવા–ઉદયપુર સિટી વચ્ચે શરૂ થશે આ પ્રતિષ્ઠિત ટ્રેન સેવા

ગુજરાતને મળી 6ઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ! અસારવા–ઉદયપુર સિટી રૂટ પર 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટ્રેન 09663 ઉદયપુરથી 12:25, 26964 અસારવાથી 17:45 (મંગળવાર સિવાય). રૂટમાં હિંમતનગર, ડુંગરપુર, જાવર સ્ટોપેજ. 8 કોચ, AC ચેર કાર + એક્ઝિક્યુટિવ ચેર કાર, સુરક્ષિત મુસાફરી. બુકિંગ 15 ફેબ્રુઆરીથી IRCTC પર. વિગતો જુઓ.

PM મોદીએ ભાવનગરમાં 50 ઇ-બસોને લીલી ઝંડી આપી,  ગુજરાતને પીએમ ઇ-બસ સેવા યોજનાની મોટી ભેટ – 750 બસોનું આયોજન
ahmedabad
February 14, 2026

PM મોદીએ ભાવનગરમાં 50 ઇ-બસોને લીલી ઝંડી આપી, ગુજરાતને પીએમ ઇ-બસ સેવા યોજનાની મોટી ભેટ – 750 બસોનું આયોજન

PM મોદીએ આસામથી ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇ-બસોને લીલી ઝંડી આપી, પીએમ ઇ-બસ સેવા યોજના હેઠળ ગુજરાતને મોટી ભેટ – આગામી સમયમાં 8 શહેરોમાં 750 બસો દોડશે (વડોદરા 250, રાજકોટ-ભાવનગર-ગાંધીનગર 100, જામનગર-જુનાગઢ 50, ગાંધીધામ 80, નવસારી 20). ₹5450 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન. વિગતો જુઓ.

નાનીમાળમાં 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરોનું ભવ્ય જીર્ણોદ્ધાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન
ahmedabad
February 14, 2026

નાનીમાળમાં 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરોનું ભવ્ય જીર્ણોદ્ધાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન

પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામમાં મહાસિવરાત્રી પર 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરોનું ભવ્ય જીર્ણોદ્ધાર ઉદ્ઘાટન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમારોહ, યુવાનોને નશામુક્ત સમાજ બનાવવાનો સંકલ્પ. કૈલાશધામ આશ્રમમાં 30 કિ.મી. વિસ્તારમાંથી 20,000+ ભક્તો દર્શન કરે છે. વિગતો જુઓ.

Braking News

ઈરાનમાં એક ભયાનક બસ અકસ્માત, ઓછામાં ઓછા 21 લોકોના મોત અને 34 ઘાયલ
ઈરાનમાં એક ભયાનક બસ અકસ્માત, ઓછામાં ઓછા 21 લોકોના મોત અને 34 ઘાયલ
July 19, 2025

ઈરાનના દક્ષિણ ભાગમાં એક ભયાનક બસ અકસ્માત થયો છે. આમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે. ફાર્સ પ્રાંતના કટોકટી સંગઠનના વડા મસૂદ આબેદે જણાવ્યું હતું કે પ્રાંતીય રાજધાની શિરાઝની દક્ષિણમાં બનેલા આ અકસ્માતમાં 34 અન્ય લોકો ઘાયલ થયા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
February 22, 2023
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
પીએમ મોદી 'યુવા શક્તિનો ઉપયોગ' વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે
February 24, 2023
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express