ગુજરાતની સંશોધક ભાવિષા વ્યાસે અંગ્રેજી ઉચ્ચારણ સુધારવા માટે નવી પદ્ધતિ વિકસાવી
ભાવિષા વ્યાસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના અંગ્રેજી ભાષાના પીએચ.ડી. સંશોધક દ્વારા અતિ તકનિકી વિષય “Devising a Model for Teaching International Intelligibility to the UG Students of ESL in Gujarat” પર સફળ સંશોધન પૂર્ણ કરવામાં આવ્યું છે.
રાજકોટ: ભાવિષા વ્યાસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના અંગ્રેજી ભાષાના પીએચ.ડી. સંશોધક દ્વારા અતિ તકનિકી વિષય “Devising a Model for Teaching International Intelligibility to the UG Students of ESL in Gujarat” પર સફળ સંશોધન પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સંશોધન કાર્ય તેઓ દ્રારા અંગ્રેજી ભવનના વરિષ્ઠ પ્રોફેસર અને પૂર્વ કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. જયદિપસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ પૂરું કરવામાં આવ્યું હતું.
વિષય તરીકે "Phonetics" પસંદ કરવું અને તેના પર સંશોધન કરવું એ પોતે જ ગુજરાતમાં દુર્લભ વાત છે. સંશોધનમાં છ શહેરોના UG વિદ્યાર્થીઓના 216 ઑડિયો નમૂનાઓ લેવામાં આવ્યા અને દરેક નમૂનાનો નગ્ન કાને ઓછામાં ઓછું 10 વખત ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો.
વિશ્લેષણ દરમિયાન અંગ્રેજી ભાષાના short vowels, long vowels, diphthongs, અને consonant sounds જેવા અવાજોના ઉચ્ચારણમાં જડપથી લઈ ભાવમાં ભિન્નતાઓ જોવા મળી. ખાસ કરીને "શ" અને "સ", "જ", "zh", અને "ઝ" જેવા અવાજોના ઉચ્ચારણ અને ઉત્પાદનમાં વિદ્યાર્થીઓની ભૂલો અને તફાવતો નોંધાયા હતા..
સંશોધનના અંતે AI આધારિત ICT મોડેલ બનાવવામાં આવ્યો છે, જેમાં Game-based pronunciation correction toolsનો સમાવેશ થાય છે. આ મોડેલ આંતરરાષ્ટ્રીય ધોરણે માન્ય સંશોધકો જેમ કે Jennifer Jenkins, Derwing-Munro, Kachru અને Balasubramanium ના અભ્યાસ પર આધારિત છે.
આ સંશોધનથી ગુજરાતમાં ESL (English as Second Language) શિક્ષણ માટે એક નવી દિશા પ્રાપ્ત થશે અને ભવિષ્યમાં શિક્ષણપદ્ધતિઓમાં વ્યાપક સુધારો શક્ય બનશે.
આ પ્રકારના યુનિક સંશોધન દ્વારા અંગ્રેજી ભાષાની ગતિ પ્રગતિ સહજ બને તે માટે સંશોધક ડો. ભાવિષા વ્યાસ અને તેના ગાઇડ પ્રો. જયદિપસિંહ ડોડીયાના પ્રયત્નોને શિક્ષણ જગતમાં સારો એવો આવકાર મળ્યો છે.
ગુજરાતને મળી 6ઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ! અસારવા–ઉદયપુર સિટી રૂટ પર 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટ્રેન 09663 ઉદયપુરથી 12:25, 26964 અસારવાથી 17:45 (મંગળવાર સિવાય). રૂટમાં હિંમતનગર, ડુંગરપુર, જાવર સ્ટોપેજ. 8 કોચ, AC ચેર કાર + એક્ઝિક્યુટિવ ચેર કાર, સુરક્ષિત મુસાફરી. બુકિંગ 15 ફેબ્રુઆરીથી IRCTC પર. વિગતો જુઓ.
PM મોદીએ આસામથી ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇ-બસોને લીલી ઝંડી આપી, પીએમ ઇ-બસ સેવા યોજના હેઠળ ગુજરાતને મોટી ભેટ – આગામી સમયમાં 8 શહેરોમાં 750 બસો દોડશે (વડોદરા 250, રાજકોટ-ભાવનગર-ગાંધીનગર 100, જામનગર-જુનાગઢ 50, ગાંધીધામ 80, નવસારી 20). ₹5450 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન. વિગતો જુઓ.
પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામમાં મહાસિવરાત્રી પર 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરોનું ભવ્ય જીર્ણોદ્ધાર ઉદ્ઘાટન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમારોહ, યુવાનોને નશામુક્ત સમાજ બનાવવાનો સંકલ્પ. કૈલાશધામ આશ્રમમાં 30 કિ.મી. વિસ્તારમાંથી 20,000+ ભક્તો દર્શન કરે છે. વિગતો જુઓ.