એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડે તમામ બજાર ચક્રોને આઉટપર્ફોર્મ કર્યા
લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ડાયનેમિક ઇક્વિટી સ્કીમ એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડે (“the Fund”) વિવિધ બજાર ચક્રોમાં રોકાણકારો માટે લાંબા ગાળે સંપત્તિનું સર્જન કર્યું છે.
લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ડાયનેમિક ઇક્વિટી સ્કીમ એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડે (“the Fund”) વિવિધ બજાર ચક્રોમાં રોકાણકારો માટે લાંબા ગાળે સંપત્તિનું સર્જન કર્યું છે. 1 જાન્યુઆરી, 1995થી શરૂઆત થઈ ત્યારથી ફંડે લાંબા ગાળે સંપત્તિ સર્જનની તેની ક્ષમતા દર્શાવી છે અને 18.82 ટકાના કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) આપ્યું છે (31 માર્ચ, 2025ના રોજ). શરૂઆતમાં કરેલું રૂ. 1,00,000નું રોકાણ વધીને લગભગ રૂ. 1.84 કરોડ થયું છે જેણે બેન્ચમાર્ક નિફ્ટી 500 ટીઆરઆઈના રૂ. 1.51 કરોડના રોકાણને પણ વટાવી દીધું છે. આ ઉપરાંત, શરૂઆતથી જ દર મહિનાના કામકાજના પહેલા દિવસે માસિક રૂ. 10,000ની એસઆઈપી (કુલ રોકાણ રૂ. 36.20 લાખ) 31 માર્ચ, 2025ના રોજ વધીને લગભગ રૂ. 20.24 કરોડની થઈ છે.
છેલ્લા ત્રણ દાયકામાં ફંડે વિવિધ બજાર ચક્રોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે અને મજબૂત ફંડામેન્ટલ્સ તથા લાંબા ગાળે સંપત્તિની સંભાવના સાથેની ગુણવત્તાસભર કંપનીઓ પર ધ્ચાન આપીને તેની મજબૂત રોકાણ ફિલોસોફી દર્શાવી છે. સારી ગુણવત્તા ધરાવતા વ્યવસાયો, મૂલ્યાંકન અંગેની શિસ્તતા તથા વ્યૂહાત્મક લાંબા ગાળાની પોઝિશનિંગ પર ફંડ દ્વારા મૂકવામાં આવેલા ભારના લીધે તે રોકાણકારોમાં વિશ્વસનીય પસંદગી બની રહ્યું છે.
ફંડની રોકાણ વ્યૂહરચના વાજબી મૂલ્યાંકનો પર ગુણવત્તાસભર કંપનીઓ પર ધ્યાન સાથે બોટમ અપ અપ્રોચથી શેરની પસંદગી સુધીની છે. મૂળ વિચાર એવી મજબૂત કંપનીઓ પસંદ કરવાનો છે જે મધ્યમથી લાંબા ગાળા માટે વૃદ્ધિના ચાલકબળો ધરાવતી હોય. ઉદ્યોગ અને બજાર ચક્રના કાળજીપૂર્વકના મૂલ્યાંકન અને તે સેક્ટરની કંપનીની સ્થિતિને ધ્યાનમાં રાખીને રિસ્ક-એડજસ્ટેડ સ્થિતિને પોર્ટફોલિયોમાં લેવામાં આવે છે.
એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ ચાર મહત્વના પાયા પર કેન્દ્રિત સ્ટ્રક્ચર્ડ રિસ્ક મેનેજમેન્ટ અભિગમ અપનાવે છે. નિયમનકારી અને આંતરિક જોખમ પરિમાણોના અનુપાલનથી મેન્ડેટ્સ સાથે મેળ સાધવામાં મદદ મળે છે જે વાસ્તવિક સમયે ચકાસણી અને સતત નિરીક્ષણ દ્વારા સમર્થિત છે. ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ એમ બંને પ્રકારના પાસાં પર ભાર મૂકતી ઇન-હાઉસ ટીમ દ્વારા સમર્થિત સંશોધન આધારિત રોકાણ પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોર્ટફોલિયો બનાવતી વખતે પોઝિશન સાઇઝિંગની વ્યૂહાત્મક રીતે આકારણી કરાય છે તથા ઉદ્યોગ ચક્રો અને કંપનીની સ્થિતિને ધ્યાનમાં લેવાય છે. વિવિધ સેક્ટર્સ અને થીમ્સમાં ડાયવર્સિફિકેશન અને માર્કેટ કેપિટલાઇઝેશનમાં ફ્લેક્સિબિલિટી સ્થિતિસ્થાપક અને યોગ્ય રીતે રોકાણો મેનેજ કરવાની ફંડની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, એર ઇન્ડિયાએ પણ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો અને પીડિતોને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જર્મન કંપની રાઈનમેટલ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા સંયુક્ત સાહસે જૂથની વૃદ્ધિની સંભાવનાઓને નવી દિશા આપી છે. તે જ સમયે, રિલાયન્સ પાવરે ભૂટાનના ડ્રુક ગ્રીન પાવર સાથે 25 વર્ષના સોલર અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ પીપીએ પર હસ્તાક્ષર કર્યા છે, જે એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંનો એક છે.
ઈરાન-ઇઝરાયલ સંઘર્ષને કારણે આજે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું. જોકે, પાછળથી ઘટાડો થોડો ઓછો થયો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.70 ટકા અથવા 573 પોઈન્ટના ઘટાડા સાથે 81,118 પર બંધ થયો.