અમદાવાદની શાળાઓમાં હાર્ટ એટેક નિવારણ મશીન મુકાયા
હૃદયરોગનો હુમલો આવે તો હોસ્પિટલ પહોંચે તે પહેલા સારવાર મળે તે માટે અમદાવાદની ઉદગમ સ્કૂલે મશીન ખરીદીને સ્કૂલમાં રાખ્યું છે. એટલું જ નહીં પરંતુ શાળાના શિક્ષકોને પણ તાલીમ આપવામાં આવી છે.
છેલ્લા એક વર્ષમાં ખાસ કરીને કોરોના પછી યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. શાળાના વિદ્યાર્થીઓ પણ તેનો ભોગ બને છે. હૃદયરોગનો હુમલો આવે તો હોસ્પિટલ પહોંચે તે પહેલા સારવાર મળે તે માટે અમદાવાદની ઉદગમ સ્કૂલે મશીન ખરીદીને સ્કૂલમાં રાખ્યું છે. એટલું જ નહીં પરંતુ શાળાના શિક્ષકોને પણ તાલીમ આપવામાં આવી છે. કોરોના બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકના દરમાં નોંધપાત્ર વધારો થયો છે. શાળાએ જતા બાળકો માટે હાર્ટ એટેક ખૂબ જ ખતરનાક છે.
થોડા મહિનાઓ પહેલા, ગુજરાત સરકારે રાજ્યના બે લાખ શિક્ષકોને CPR તાલીમ પણ આપી છે, જે હૃદયરોગના હુમલાના કિસ્સામાં દર્દીને બચાવવામાં મદદ કરે છે. ઉદગમ સ્કૂલના ED, મનન ચોકસીએ મીડિયાને જણાવ્યું હતું કે અમે અમદાવાદમાં અમારી ચાર સ્કૂલોમાં AED મશીનો ખરીદ્યા છે. AED એટલે ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર.
આ મશીન દ્વારા અમેરિકામાં કરવામાં આવેલા એક સર્વે મુજબ, જે લોકોને હાર્ટ એટેક આવે છે જો તેઓ AED મશીન દ્વારા સમયસર સારવાર મેળવે છે, તો તેમના બચવાની શક્યતા 40% વધી જાય છે.
AED મશીનનો ઉપયોગ કરીને હૃદયને ફરીથી શરૂ કરી શકાય છે. આ મશીનો અમેરિકા સહિતના વિકસિત દેશોની શાળાઓમાં જોવા મળે છે. કોરોના પછી ભારતમાં હાર્ટ એટેકના કેસમાં 12%નો વધારો થયો છે.
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકના કારણે 1100 લોકોના મોત થયા છે અને સરકાર પણ સતર્ક બની છે. ગુજરાત સહિત દેશમાં હાર્ટ એટેકના કારણે 50-80% મૃત્યુ 11 થી 25 વર્ષની વય વચ્ચે થાય છે. ઉદગમ શાળાના 600 શિક્ષકોને AED ચલાવવા માટે તાલીમ આપવામાં આવી છે. શાળાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને હૃદયરોગથી બચાવવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.