ઈઝરાયેલ પર હિઝબુલ્લાનો મોટો હુમલો, એક સાથે 30 મિસાઈલ છોડવામાં આવી...
IDFના પ્રવક્તા ડેનિયલ હગારીના જણાવ્યા અનુસાર, જો સૂચનાઓમાં કોઈ ફેરફાર થશે, તો તે સત્તાવાર ચેનલો દ્વારા આપવામાં આવશે. તેણે કહ્યું છે કે સંભવિત ખતરાઓને જોતા ઈઝરાયેલની સેના સંપૂર્ણ રીતે તૈયાર છે અને તૈનાત છે.
હિઝબુલ્લાએ ફરી એકવાર ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે. થોડા કલાકો પહેલા, હિઝબુલ્લાહે દક્ષિણ લેબનોનથી ઇઝરાયેલ પર લગભગ 30 રોકેટ છોડ્યા હતા. ઈઝરાયેલી સેનાએ પુષ્ટિ કરી છે કે આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.
IDFના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, લેબનોનના કાબરી પ્રદેશમાંથી ઉત્તરી ઈઝરાયેલ તરફ 30 રોકેટ છોડવામાં આવ્યા હતા, પરંતુ આ તમામ રોકેટ ખુલ્લા વિસ્તારોમાં પડ્યા હતા, જેમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. હમાસના નેતા ઈસ્માઈલ હાનિયા અને હિઝબુલ્લાના કમાન્ડર ફુવાદ શુકરના મોત બાદ ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે.
એવું માનવામાં આવે છે કે ઈરાનના હુમલા પહેલા હિઝબુલ્લા સતત ઈઝરાયેલના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની કોશિશ કરી રહ્યું છે જેથી ઈરાન પરથી તેમનું ધ્યાન હટાવવામાં આવે. આ પહેલા શનિવારે હિઝબુલ્લાએ 24 કલાકની અંદર ઈઝરાયેલ પર 10 હુમલા કર્યા હતા. અલ જઝીરાના અહેવાલ મુજબ, હિઝબુલ્લાએ રવિવારે ઇઝરાયેલના મટ્ટાતમાં એક સૈન્ય ચોકી પર રોકેટ છોડવાનો અને સીધો નિશાન પર હુમલો કરવાનો દાવો કર્યો છે. હિઝબોલ્લાએ કહ્યું છે કે તેણે ઉત્તરી ઇઝરાયેલ તરફ ચાર રોકેટ હુમલાઓ શરૂ કર્યા છે, જો કે તેણે આની પુષ્ટિ કરવા માટે કોઈ પુરાવા શેર કર્યા નથી.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી છે. પાકિસ્તાનના મંત્રી તલાલ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભારત ભૂલ કરશે તો પાકિસ્તાન જવાબમાં નવી તારીખ લખશે.
"પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને 130 અણુબોમ્બની ધમકી આપી. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, જેનાથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો. જાણો વિવાદની સંપૂર્ણ માહિતી."
"અમેરિકામાં 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 188 કંપનીઓ નાદાર થઈ, જે 15 વર્ષનો રેકોર્ડ તોડે છે. મોંઘવારી, ટેરિફ વોર અને ઊંચા વ્યાજ દરોના કારણે મંદીનો ખતરો વધ્યો છે. વધુ જાણો."