જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભયાનક માર્ગ અકસ્માત, કાર ખાડામાં પડતાં 5 બાળકો સહિત 8નાં મોત
એક ભયાનક માર્ગ અકસ્માતમાં કારમાં સવાર દરેકના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલાઓમાં 5 બાળકો, 2 મહિલા અને એક પુરુષ પોલીસકર્મીનો સમાવેશ થાય છે.
એક ભયાનક માર્ગ અકસ્માતમાં કારમાં સવાર દરેકના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલાઓમાં 5 બાળકો, 2 મહિલા અને એક પુરુષ પોલીસકર્મીનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલી કાર જમ્મુના કિશ્તવાડથી આવી રહી હતી.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક જોરદાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ડાકસુમ વિસ્તાર પાસે થયો હતો. જ્યાં કારમાં મુસાફરી કરી રહેલા તમામ 8 લોકો ખાડામાં પડી જતાં મૃત્યુ પામ્યા હતા.
પોલીસે જણાવ્યું કે રજીસ્ટ્રેશન નંબર JK03H9017 ધરાવતું સુમો વાહન જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડથી આવી રહ્યું હતું. તે કાબુ ગુમાવી દેતા ડેક્સમ પાસે રોડ પર ખાડામાં ખાબક્યો હતો. આ અકસ્માતમાં 5 બાળકો, બે મહિલા અને એક પુરુષ પોલીસ સહિત 8 લોકોના મોત થયા હતા.
અકસ્માત બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિત, કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસ માટે કેબિનેટના નિર્ણયોની પ્રશંસા કરી છે. જાણો કપાસના MSP, BHAVYA યોજના અને હાઈવે પ્રોજેક્ટની સંપૂર્ણ વિગત.
CJI સૂર્યકાંતે રોહિણીમાં ફેમિલી કોર્ટ સંકુલનો શિલાન્યાસ કર્યો. તેમણે વકીલોને કાળા કોટ અને પોલીસને યુનિફોર્મ વગર રહેવા સૂચન કર્યું જેથી બાળકો ડરે નહીં.