સોમનાથ સ્વાભિમાન પર્વમાં રોશની: હમીરજી ગોહિલ પ્રતિમા, શંખ સર્કલ ઝળહળ્યા
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાનના આગમન પૂર્વે આ ભવ્ય તૈયારીઓ ગુજરાતની સંસ્કૃતિ, ભક્તિ અને ગૌરવને દર્શાવે છે. દીવાળી જેવી રોશનીએ સોમનાથ અને વેરાવળને અલૌકિક બનાવી દીધા છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત રોશનીથી ઝળહળ્યું સોમનાથનું જોડિયું શહેર વેરાવળ ટાવર ચોક, નગરપાલિકા સહિતના સ્થળોએ રોશની કરવામાં આવી.
પુરાણોમાં જેનો ઉલ્લેખ પ્રભાસ ખંડ તરીકે છે એવું સોમનાથ (પ્રભાસ પાટણ) સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને આવકારવા આતુર બન્યું છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાનશ્રીના આગમન પૂર્વે સોમનાથ (પ્રભાસ પાટણ)માં હમીરજી ગોહિલની પ્રતિમા, શંખ સર્કલ, લીલાવતી સહિતના સ્થળો રોશનીથી ઝળહળી રહ્યાં છે.
આ જ રીતે સોમનાથ (પ્રભાસ-પાટણ) સાથે જેની ઓળખ જોડિયા શહેરની છે, એવા વેરાવળના હાર્દ સમા વિસ્તાર ટાવર ચોક, નગરપાલિકા સહિતના સ્થળોએ રોશની કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે દિવાળીનો તહેવાર હોય છે ત્યારે વેરાવળની સટ્ટા બજાર સહિતના સ્થળો રોશનીથી ઝગમગી ઉઠતા હોય છે. આ રોશનીને જોવા માટે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી પણ વેરાવળમાં આવતા હોય છે, એવી જ રીતે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત કરવામાં આવેલી રોશની નિહાળવા માટે નાગરિકો ઉમટી પડ્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.