વાઘપરા ગામમાં પરણીતાએ સાસરિયાંનાં ત્રાસથી ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામમાં સાસરિયાંનાં ત્રાસથી પરણીતાએ પોતના પિયર વાઘપરા ગામમાં દવા પી લેતા સારવાર દરમિયાન મોતને ભેટી હતી.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામમાં સાસરિયાં નાં ત્રાસ થી પરણીતા એ પોતના પિયર વાઘપરા ગામ માં દવા પી લેતા સારવાર દરમિયાન મોતને ભેટી હતી.
મળતી વિગતો અનુસાર રેખાબેન અશ્વીનભાઇ શનાભાઇ તડવી, રહે.નવા વાઘપરા (જીતનગર) તા.ગરૂડેશ્વર જી.નર્મદા ની દિકરી દિવ્યાબેન ને તેનો પતી સંજીવભાઇ મનહરભાઇ તડવી તથા તેની માતા ભાવનાબેન મનહરભાઇ તડવી અને તેની બહેન સત્યવતીબેન મનહરભાઇ તડવી નાઓ છેલ્લા ત્રણેક માસથી અવાર નવાર તને જમવાનુ બનાવતા આવડતું નથી અને લગ્નમાં તારા બાપના ઘરેથી સારી વસ્તુ લાવી નથી તેમ કહી શારીરીક અને માનસીક ત્રાસ આપતા હતા અને તા.૨૨/૦૯/૨૦૨૩ના રોજ પણ પતિ સંજીવ તડવી અને તેની બહેન સત્યવતીએ ઝઘડો કરી ત્રાસ આપતાં તેણે ત્રાસથી કંટાળી પોતાના પિયર માં આવી ઝેરી દવા પી લેતાં તેનુ સારવાર મોત થયા રાજપીપળા પોલીસે પતિ,સાસુ અને નણંદ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ૨,૮૪૧થી વધુ કાર્યક્રમો યોજાયા છે, જેમાં રાજ્યભરના ૨,૩૨,૦૬૪થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લામાં ભારત સરકારશ્રી દ્વારા ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (નવસારી કૃષિ યુનિવર્સિટી), દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે તા. ૪/૬/૨૦૨૫ ના રોજ સાગબારા તાલુકાના પાનખલા ગામમાં ખેડૂતલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ 02 જૂન 2025 ના રાત્રે લગભગ 22:00 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન ના સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર સુરક્ષા નિરીક્ષણ દરમ્યાન રેલવે સુરક્ષા બળ ના એસઆઈપીએફ પિયુષ ચૌધરી ને એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ટીટીઈ ની વર્દીમાં જોવા મળ્યો.