નવાપરા ગામમાં આગની ઘટના માં ધારાસભ્ય ડો.દેશમુખે સ્થળ પર પહોંચી જરૂરી મદદ માટે કાર્યવાહી કરી
ગરુડેશ્વર તાલુકાના નવાપરા ખાતે આકસ્મિક આગ લાગતા 12 જેટલા ઘરો બળીને ભસ્મીભૂત થયા હતા.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : તા.૫/૦૯/૨૦૨૩ ગરુડેશ્વર તાલુકાના નવાપરા ખાતે આકસ્મિક આગ લાગતા 12 જેટલા ઘરો બળીને ભસ્મીભૂત થયા હતા. ઘટના બાબતે ગામના સરપંચ રવિદાસભાઈએ નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખને ટેલીફોનિક જાણ કરતા ધારાસભ્ય દ્વારા તાત્કાલિક કેવડિયા રાકેશ ચૌધરી તેમજ રાજપીપલા નગરપાલિકાનો સંપર્ક કરી બે બંબાની વ્યવસ્થા કરી હતી
ત્યારબાદ ઘટના સ્થળે તેઓ પોતે પણ બંબાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ને લઈ પહોંચ્યા હતા જેમાં વહીવટી તંત્ર સાથે દિનેશભાઈ તડવી (વાડી) પદમબાબુ રાજુભાઈ ભીલ તેમજ અન્ય કાર્યકર્તાઓ આગ ઓલવવાના કામે લાગી ગયા હતા ધારાસભ્ય દ્વારા જેમનું નુકસાન થયું છે તે તમામને વહેલી તકે સહાય મળે તે માટે ટીડીઓ ને સૂચના આપી હતી મકાન બનાવવા માટે જરૂરિયાત મુજબના લાકડા મળી રહે તે માટે જંગલ ખાતાના અધિકારીઓને સૂચના આપી હતી તેમજ આ તમામ લોકોને ગામના સરપંચ સાથે મળી શાળામાં નિવાસની વ્યવસ્થા તેમજ તેમના ભોજન ની વ્યવસ્થાની પણ સ્થળ પર રહી ચિંતા કરી હતી તેમની સાથે જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી, તાલુકા મહામંત્રી ભૂપેન્દ્રસિંહ ગોહિલ,યુવામોર્ચા અધ્યક્ષ અજયભાઈ તડવી વગેરે કાર્યકર્તા ઓ પણ સેવાકાર્યમાં જોડાયા.
રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹60 કરોડના ખર્ચે અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર કરવામાં આવ્યું છે. 24,436 ચો.મી.માં ફેલાયેલા આ 8 માળના ભવનમાં 858 બેડની ક્ષમતા છે, જે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા માટે સુરક્ષિત આશરો પૂરો પાડશે. અહીં 280 લોકોની ક્ષમતા ધરાવતી કેન્ટીન, આધુનિક રસોડું, બેંક ATM, લોકર રૂમ અને પાર્કિંગ જેવી હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં 'નાગરિક દેવો ભવઃ'ના અભિગમ સાથે જનતાની સમસ્યાઓ સાંભળી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ 100 થી વધુ, જિલ્લા કક્ષાએ 1218 અને તાલુકા કક્ષાએ 2294 રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ વૃદ્ધ માતાને પડતી હેરાનગતિ રોકવા, દાંતીવાડા યુનિવર્સિટીમાં બાળકો માટે શાળાનું બાંધકામ કરવા અને ખેડૂતોના જમીન સંપાદન તથા ખેતીના પ્રશ્નો ઉકેલવા વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે.