સિવાના સેવા સમિતિ અમદાવાદ દ્વારા સ્વતંત્રતા દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શહેરની સિવાના સેવા સમિતિ દ્વારા જહાંગીરપુરા સ્કૂલ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌએ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી.
અમદાવાદઃ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શહેરની સિવાના સેવા સમિતિ દ્વારા જહાંગીરપુરા સ્કૂલ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌએ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી.
સંસ્થાના સેક્રેટરી મુકેશ આર.ચોપડા એ જણાવ્યું હતું કે સંસ્થાના આચાર્ય સંગીતા બહેને તમામ મુલાકાતીઓને આવકાર્યા હતા અને ફૂલહારથી સન્માનિત કરાયા હતા.
જે બાદ શાળાના આચાર્ય સંગીતા બેન સહિત સંસ્થાના પ્રમુખ અમિત બાળડ, સેક્રેટરી મુકેશ ચોપડા, ખજાનચી રણજીત કાનુંગા, સ્થાપક પ્રમુખ મહાવીર ચૌધરી, પૂર્વ પ્રમુખ અશોક ભણસાલી, ઉપપ્રમુખ જિતેન્દ્ર મહેતા, મનીષ મહેતા, કાર્યક્રમ સંયોજક મહાવીર બાગરેચા, સહ સચિવ કીર્તિ બાગરેચા, બોર્ડના સભ્ય રાકેશ છાજેડ, કમલેશ શ્રીશ્રીમાલ, મુકેશ કાનુંગા, રાજેશ મહેતા વગેરે ઉપસ્થિત સભ્યોએ ધ્વજ ફરકાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન નન્હા મુન્ના રાહી હુ...., વંદે માતરમ...., મા તુઝે સલામ.... વગેરે પ્રસ્તુતિઓએ વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. કાર્યક્રમના અંતે સિવાના સેવા સમિતિ દ્વારા તમામ વિદ્યાર્થીઓને નોટબુક, પેન અને મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!
ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.