શ્રી સવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત "ધ રીયલ હીરોઝ" એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
શ્રી સવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત "ધ રીયલ હીરોઝ" એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ સમારોહમાં સમાજ માટે ઉદાહરણરૂપ કામગીરી કરનારી ૧૫ જેટલી સંસ્થાઓને 'રિયલ હીરોઝ'ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતા.
અમદાવાદમાં શ્રી સવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત "ધ રીયલ હીરોઝ" એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ સમારોહમાં સમાજ માટે ઉદાહરણરૂપ કામગીરી કરનારી ૧૫ જેટલી સંસ્થાઓને 'રિયલ હીરોઝ'ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતા.
આ એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમાજ જીવનમાં વિવિધ ક્ષેત્રમાં સેવા પ્રદાન કરનાર 'રીયલ હીરોઝ'ને અભિનંદન પાઠવતા કહ્યું કે, કર્મ આપણી સંસ્કૃતિ છે. આપણે સૌ કર્મ પર વધારે માનીએ છીએ. કર્મ જ્યારે આપણે સારા કર્મ કરીએ છીએ, ત્યારે તેનું ફળ અવશ્ય સારું જ મળે છે. જ્યારે આપણને કર્મનું ફળ મળી જાય છે ત્યાંથી જ એક નવા કર્મની શરૂઆત પણ થઈ જાય છે એટલે સૌ કોઈએ સારા કર્મો સતત કરતા રહેવું જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, આપણી સમક્ષ એવા ઘણા ઉદાહરણો પણ છે કે, જેમની પાસે કંઈ જ નથી એ વ્યક્તિ પણ આજે નાનામાં નાના વ્યક્તિનો વિચાર કરે છે અને સારું કર્મ કરે છે અને આજ આપણી પણ સંસ્કૃતિ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના સેવા કાર્યોની વાત કરતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક-એક પળ અને એક - એક મિનિટ પ્રજાજનોની સેવા માટે તત્પર છે. શ્રી નરેન્દ્રભાઈ હંમેશાથી કહેતા આવ્યા છે કે , હું ભારત દેશ માટે ૨૪ કલાક એટલે કે એક-એક પળ દેશના વિકાસ માટે કામ કરવામાં તત્પર છું. શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની આ સેવાને કારણે જ આજે દેશના તમામ ક્ષેત્રમાં વિકાસ થયો છે.
આ એવોર્ડ કાર્યક્રમ અંગે શ્રી સવા ફાઉન્ડેશનના સ્થાપક સુશ્રી અમી મોદીએ કહ્યું કે, પ્રથમ વખત આ પ્રકારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમને એવોર્ડ આપવામાં આવ્યો છે એ તમામ લોકો સમાજના રીયલ હીરો છે અને તેમને તેમના જ કાર્યો માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની કામગીરીનું વળતર એ એવોર્ડ નથી પરંતુ આ તમામ લોકો પડદા પાછળ રહીને લોકોની સેવા માટે અવિરતપણે કામ કરી રહ્યાં છે તેમને બિરદાવવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૧૫ ફાઉન્ડેશનને ૫૦,૦૦૦નો ચેક આપવામાં આવ્યો હતો.
"ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.88 કરોડની ગ્રાન્ટ! રોડ નવીનીકરણ, તળાવ વિકાસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આંગણવાડી અને પુરાતત્વીય કિલ્લાના પુનઃસ્થાપન સહિતના 13 પ્રોજેક્ટ્સ વિશે વિગતે જાણો."
"અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલે 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નવો ઇતિહાસ રચ્યો. જાણો ગુજરાતના આરોગ્ય ક્ષેત્રેની આ સિદ્ધિ, સરકારી યોજનાઓ અને દર્દીઓની પ્રેરણાદાયી વાર્તાઓ વિશે."
"ગુજરાત સરકારે પેન્શનર્સ માટે હયાતી ખરાઈ પ્રક્રિયા સરળ કરી! વૃદ્ધોને ઘરે જ નિ:શુલ્ક લાઈફ સર્ટિફિકેટ સેવા. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે MOU. વિગતો જાણો!"