અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસનું ભટની સ્ટેશન પર તથા સોમનાથ-જબલપુર એક્સપ્રેસનું સાલીચૌકા રોડ સ્ટેશન પર રોકાણ
રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 19489/19490 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસને ભટની સ્ટેશન ઉપર તથા ટ્રેન નંબર 11463/11464 સોમનાથ-જબલપુર એક્સપ્રેસને સાલીચૌકા રોડ સ્ટેશન ઉપર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે રોકાણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 19489/19490 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસને ભટની સ્ટેશન ઉપર તથા ટ્રેન નંબર 11463/11464 સોમનાથ-જબલપુર એક્સપ્રેસને સાલીચૌકા રોડ સ્ટેશન ઉપર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે રોકાણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ મુજબ છે.
ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ નો 14 ઓક્ટોબર 2023 થી ભટની સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 15.52/15.54 કલાક રહેશે તથા ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ નો 15 ઓક્ટોબર 2023 થી ભટની સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 22.54/22.56 કલાક રહેશે.
ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી સાલીચૌકા રોડ સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 16.03/16.04 કલાક રહેશે તથા ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ નો સાલીચૌકા રોડ સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 10.39/10.40 કલાક રહેશે.
ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને સમય પાલનતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના ફળસ્વરૂપે આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો માટે વધુમાં વાંચો.
શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – ૨૦૨૫” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં “જળ સંચય જન ભાગીદારી” અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે.