રથયાત્રા દરમ્યાન પડી શકે છે વરસાદ, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી?
અમદાવાદ શહેરમાં રથયાત્રા સમયે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજયમાં બિપરજોય વાવાઝોડા બાદ વરસાદી માહોલ જામ્યો છે.
આવતીકાલે અમદાવાદ શહેરમાં 146મી રથયાત્રાની ધામધૂમથી ઉજવણી થવા જય રહી છે. શહેરમાં રથયાત્રાના સમયે જીણો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બિપરજોય વાવાઝોડા બાદ વરસાદી માહોલ પણ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બિપરજોય વાવાઝોડું હાલ રાજસ્થાનમાં તબાહી મચાવી રહ્યું છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે ભારે વરસાદના હાલ કોઈજ સંભાવના જોવા મળતી નથી.
રાજયમાં બિપરજોય વાવાઝોડાની અસરો હજુ પણ જોવા મળી રહી છે. 24 કલાકમાં રાજ્યના 24 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમજ બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.