Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગરીબોના નામે ખર્ચાનો ખેલ બંધ કરવા જનતાને નિર્ણય લેવાનો સમય : ગોપાલ ઇટાલિયા

ગરીબોના નામે ખર્ચાનો ખેલ બંધ કરવા જનતાને નિર્ણય લેવાનો સમય : ગોપાલ ઇટાલિયા

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થામાં થતા અતિશય ખર્ચ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે "સોના કરતાં ઘડામણ મોંઘું" હોવાનો ઘાટ સર્જાયો હોવાના આક્ષેપ સાથે સરકારની નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

Ahmedabad March 25, 2026
ગરીબોના નામે ખર્ચાનો ખેલ બંધ કરવા જનતાને નિર્ણય લેવાનો સમય : ગોપાલ ઇટાલિયા

ગરીબોના નામે ખર્ચાનો ખેલ બંધ કરવા જનતાને નિર્ણય લેવાનો સમય : ગોપાલ ઇટાલિયા

અમદાવાદ/જૂનાગઢ/ગુજરાત : ગાંધીનગર વિધાનસભામાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતની વિધાનસભાના છેલ્લા દિવસે મેં સરકારને પ્રશ્ન પૂછ્યો હતો અને સરકારે મને એનો જવાબ આપ્યો છે. જેમાં બહુ જ ગંભીર ઘટના સામે આવી છે. મેં એવું પૂછ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં સસ્તા અનાજની દુકાનેથી રેશન કાર્ડ ધારકોને ઘઉં આપવા માટે કયા ભાવે, કઈ એજન્સી પાસેથી કેટલા ઘઉં સરકારે ખરીદ્યા. આ જે ઘઉં સરકારે ખરીદ્યા, રાજ્ય સરકારે એ ઘઉંને હેરફેર કરવી પડે. માનો કે રાજ્ય કક્ષાએ ખરીદી કરી હોય તો જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ મોકલવા પડે, તો એની હેરફેર એટલે કે ટ્રાન્સપોર્ટેશન કરવા માટે કેટલો ખર્ચ થયો અને એ ઘઉંને તમે તાલુકા-જિલ્લામાં પહોંચાડ્યા પછી ગ્રાહકો એટલે કે ગરીબ જે લોકો અનાજ લેશે એને વિતરણ કરવા માટે કેટલો ખર્ચ થયો ? અત્યંત આશ્ચર્યજનક ગંભીર આંકડાઓ સામે આવ્યા છે. બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી, એટલે કે એક ફૂટે બાર ઈંચનો ફરક પડ્યો. ગુજરાત રાજ્યની સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ગરીબોને આપવા માટે જે ઘઉં ખરીદ્યા, એ ખરીદીની કિંમત છે પાંચ કરોડ. પાંચ કરોડ રૂપિયાના ઘઉં ખરીદ્યા. પછી એ ઘઉં અલગ અલગ જિલ્લા અને તાલુકામાં પહોંચાડવા માટે ૧૦૦ કરોડ અને વીસ લાખનો ખર્ચ કર્યો. હવે તાલુકા-જિલ્લામાં જે ઘઉં પહોંચી ગયા, એ ઘઉં ગરીબ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે 57 કરોડ 71 લાખનો ખર્ચ કર્યો.

વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે એટલે પાંચ કરોડના ઘઉં લીધા, સો કરોડમાં એ ઘઉં તાલુકા-જિલ્લામાં પહોંચાડ્યા અને સત્તાવન કરોડના ખર્ચે એ ઘઉં ગરીબો સુધી પહોંચાડ્યા. આવું સારું કામ ગુજરાતની ભાજપની સરકારે કર્યું છે. વિચાર કરો કે આ તો સોના કરતાં ઘડામણ મોંઘું થઈ ગયું. જો આવી રીતે જ સરકાર કામ કરતી હોય, પાંચ કરોડના ઘઉં અને એને જથ્થાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ સો કરોડ, તો પછી સીધા સીધા રૂપિયા જ ગરીબોને આપી દેતા હોય તો ગરીબોને ઘઉં-ચોખા બધું જ મફત જેમ ભાવે જાય. આ તમામ બાબતો સાબિત કરે છે કે આ સરકાર ભ્રષ્ટાચારથી ભરપૂર છે. દરેક મુદ્દાઓમાં ભ્રષ્ટાચાર કરે છે અને આ ભ્રષ્ટાચાર રોકવા માટે આવનારી સ્થાનિક ચૂંટણીમાં જનતા જાગૃત થઈ ઝાડુનું બટન દબાવે, એવી હું વિનંતી કરું છું.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

AAPનું ભવ્ય શક્તિ પ્રદર્શન: અમરેલીમાં હજારોની મેદની વચ્ચે કેજરીવાલ-ભગવંત માનનો હુંકાર
amreli
March 25, 2026

AAPનું ભવ્ય શક્તિ પ્રદર્શન: અમરેલીમાં હજારોની મેદની વચ્ચે કેજરીવાલ-ભગવંત માનનો હુંકાર

અમરેલીમાં આયોજિત આમ આદમી પાર્ટીની 'વિજય વિશ્વાસ સભા' માં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન એ ભાજપ સરકારના 30 વર્ષના શાસન પર આકરા પ્રહાર કર્યા છે. કેજરીવાલે ખેડૂતોના પાક નુકસાન પેકેજ, મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવી પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી અને મહિલાઓને દર મહિને ₹1,000 આપવાની ગેરંટી આપી છે. 

પંજાબમાં બદલાવની લહેર: 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનથી યુવાનોને મળ્યું નવું જીવન અને ગૌરવપૂર્ણ રોજગાર
punjab
March 25, 2026

પંજાબમાં બદલાવની લહેર: 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનથી યુવાનોને મળ્યું નવું જીવન અને ગૌરવપૂર્ણ રોજગાર

પંજાબ સરકાર દ્વારા ચલાવવામાં આવતા 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાન હેઠળ રાજ્યના યુવાનોમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ વ્યૂહરચના માત્ર તસ્કરો પર કાર્યવાહી કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ વ્યસનનો ભોગ બનેલા યુવાનોને તબીબી સારવાર, કાઉન્સેલિંગ અને ત્યારબાદ રોજગાર સહાય આપીને તેમને સામાજિક મુખ્ય પ્રવાહમાં પાછા લાવવામાં આવી રહ્યા છે. 

અમદાવાદ-સુરતમાં 8,000 લોકો પાસે હથિયાર! ગોપાલ ઇટાલિયાએ પોલીસ તંત્રની નિષ્ફળતા પર ઉઠાવ્યા સવાલ
ahmedabad
March 25, 2026

અમદાવાદ-સુરતમાં 8,000 લોકો પાસે હથિયાર! ગોપાલ ઇટાલિયાએ પોલીસ તંત્રની નિષ્ફળતા પર ઉઠાવ્યા સવાલ

ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યની કાયદો-વ્યવસ્થા પર આકરા પ્રહાર કર્યા છે. સરકાર દ્વારા અપાયેલા જવાબ મુજબ અમદાવાદ અને સુરતમાં અંદાજે 8,000 લોકો પાસે હથિયારના લાયસન્સ છે અથવા તેમણે માંગણી કરી છે. 

Braking News

ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્તન કેન્સર ના લક્ષણો અને ઉપાયો અંગે એક દિવસીય સેમિનાર યોજાયો
ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્તન કેન્સર ના લક્ષણો અને ઉપાયો અંગે એક દિવસીય સેમિનાર યોજાયો
August 11, 2023

ચાણસ્માના આરોગ્ય કેન્દ્ર સેમિનારમાં ઉપસ્થિતોને નિર્ણાયક જ્ઞાનથી સજ્જ કરે છે, જે સ્તન કેન્સર સામે અસરકારક રીતે લડવા માટે સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
April 01, 2023
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
March 06, 2023
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express