જાફરાબાદ એસબીઆઈ બેંક સરકાર શ્રી ના પરિપત્રોનો કરી રહીં છે ઉલાળીયો
પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત બેંક ગ્રાહકોને આપી રહી છે ઉડાઉ જવાબ.
જાફરાબાદ ખાતે આવેલ એસબીઆઈ બેંક દ્વારા શહેરી ફેરિયાઓ ને પી.એમ. સ્વનિધિ અંતગર્ત લોન સહાય આપવામાં વિવિધ બહાનાઓ અને કારણ દર્શાવીને અરજદારોને લોન સહાય આપવામાં આવતી નથી અને કહેવામાં આવે છે કે અમારી બેંક પૂરતો સ્ટાફ નથી અને આ સરકારને લગતી યોજના છે. તો શું સરકારી યોજનાઓ નો અમલ નથી કરવાનો ? અરજદારને ખોટાં વાયદાઓ આપી ખોટા વાયદાઓ આપીને ધરમ ધક્કા ખવડાવવામાં આવે છે. અને પી.એમ.સ્વનિધિ લોન લાભાર્થીઓ આખરે કંટાળીને લોન લેવાનું માંડી વાળે છે. જનતા જનાર્દન ને યોજનાનો લાભ મળતો નથી મોટી ગુલબાંગો ફેંકતી નેતા ગીરી ધ્યાન આપશે ? કે પછી હોતા હૈ ચલતા હૈ તેવી નિતી અપનાવવામાં આવશે તેવું જાફરાબાદની જનતા જનાર્દન માંથી ચચૉઓ થઈ રહી છે . આ બાબતે નગરપાલિકા દ્વારા આ યોજનાને લગતા સંબંધિત અધિકારીઓને લેખિત જાણ કરવા આવી છે.
આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ૨,૮૪૧થી વધુ કાર્યક્રમો યોજાયા છે, જેમાં રાજ્યભરના ૨,૩૨,૦૬૪થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લામાં ભારત સરકારશ્રી દ્વારા ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (નવસારી કૃષિ યુનિવર્સિટી), દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે તા. ૪/૬/૨૦૨૫ ના રોજ સાગબારા તાલુકાના પાનખલા ગામમાં ખેડૂતલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ 02 જૂન 2025 ના રાત્રે લગભગ 22:00 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન ના સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર સુરક્ષા નિરીક્ષણ દરમ્યાન રેલવે સુરક્ષા બળ ના એસઆઈપીએફ પિયુષ ચૌધરી ને એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ટીટીઈ ની વર્દીમાં જોવા મળ્યો.