Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર હુમલો! "સામાન્ય જનતા માટે નહીં, લૂંટની યોજના"

કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર હુમલો! "સામાન્ય જનતા માટે નહીં, લૂંટની યોજના"

અમદાવાદ પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર પ્રહાર. “30 વર્ષમાં રસ્તા-શાળા-હોસ્પિટલો ખરાબ, બજેટ લૂંટની યોજના છે”. ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન, દેશ અમેરિકાને ગીરવે મૂકાયો. ભગવંત માન: “પંજાબમાં 10 લાખ આરોગ્ય વીમા, 24 કલાક વીજળી – ગુજરાતમાં કેમ નહીં?”. AAP નેતાઓ ગોપાલ ઇટાલિયા-ચૈતર વસાવા હાજર. વિગતો જુઓ.

Ahmedabad February 21, 2026
કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર હુમલો!

કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર હુમલો! "સામાન્ય જનતા માટે નહીં, લૂંટની યોજના"

અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાહેબની સાથે સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામ હાજર રહ્યા હતા.  આ પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના તાજેતરના બજેટ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે જણાવ્યું કે બજેટથી સામાન્ય જનતાને મોટી અપેક્ષા હોય છે, કારણ કે ઘરેલું અર્થતંત્ર પર સરકારી બજેટનો સીધો પ્રભાવ પડે છે. અમે આ બજેટનો અભ્યાસ કર્યો અને અમને દેખાયું કે બજેટમાં સામાન્ય લોકો, ખેડૂતો, વેપારીઓ, મહિલાઓ, બેરોજગાર યુવાનો કે કોઈપણ વર્ગ માટે આ બજેટમાં કંઈ નથી. તેમણે આક્ષેપ કર્યો કે 30 વર્ષથી સત્તામાં રહેલી સરકારને ચૂંટણીનો પણ કોઈ ભય નથી કારણ કે કોંગ્રેસ ક્યારેય વિપક્ષ બનીને અવાજ ઉઠાવતી નથી અને જનતા પણ જોઈ રહી છે કે કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે.

કેજરીવાલે પંજાબનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે પંજાબમાં અમારી સરકારને માત્ર ચાર વર્ષ થયા છે અને હાલ ત્યાં દરેક પરિવારને 10 લાખ રૂપિયાનું આરોગ્ય વીમા કવચ આપવામાં આવ્યું છે, જેના હેઠળ ગરીબ મજૂર અને ખેડૂત પણ શ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે છે. તેમણે કહ્યું કે પંજાબમાં 24 કલાક વીજળી, ખેડૂતોને દિવસ દરમિયાન નિશ્ચિત સમયની મફત વીજળી, સુધરેલા રસ્તાઓ અને સિંચાઈ સુવિધામાં નોંધપાત્ર વધારો જેવા નિર્ણયો અમલમાં મૂકાયા છે. 2022 માં માત્ર 23 ટકા વિસ્તાર સુધી પહોંચતું સિંચાઈનું પાણી હવે 67 ટકા સુધી પહોંચાડવામાં આવ્યું છે. તેના વિપરીત, ગુજરાતમાં હજુ પણ રસ્તાઓ, શાળાઓ, આરોગ્ય વ્યવસ્થા અને ખેડૂતો માટેની સુવિધાઓમાં ગંભીર ખામીઓ હોવાનું તેમણે જણાવ્યું. તેમના મતે, સારા શાસન માટે રાજકીય ઈચ્છાશક્તિ જરૂરી છે અને જો પંજાબમાં અમારી સરકાર સારા કામ કરી શકે છે તો ગુજરાતમાં કેમ આવા કામ થતા નથી?

અંતમાં કેજરીવાલે જણાવ્યું કે ગુજરાતની જનતા હવે ભાજપ અને કોંગ્રેસ બંનેથી નિરાશ થઈ ચૂકી છે અને પરિવર્તનની આશા સાથે આમ આદમી પાર્ટી તરફ જોઈ રહી છે. તેમણે ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા જેવા સામાન્ય પરિવારમાંથી આવેલા નેતાઓનો ઉલ્લેખ કરી કહ્યું કે આજે તેઓ પરિવર્તનના પ્રતીક બની રહ્યા છે અને જનતા મોટી સંખ્યામાં તેમને સાંભળવા આગળ આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ખેડૂતો પોતાના હકો માટે અવાજ ઉઠાવે ત્યારે તેમના પર ખોટા કેસ કરવામાં આવે છે અને તેમને જેલમાં નાંખવામાં આવે છે, જે લોકશાહી માટે ચિંતાજનક છે. આ બજેટ સરકારના અહંકાર અને જનતાના અપમાનનું પ્રતીક હોવાનું જણાવી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી ચૂંટણીમાં ગુજરાતની જનતા તેનો યોગ્ય જવાબ આપશે.

ટ્રેડ ડીલ મુદ્દે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આપણા ખેડૂતોની ઉપજ અમેરિકામાં જશે તો તેના પર 18 ટકા ટેક્સ લાગશે અને અમેરિકાના ખેડૂતોનો સામાન ભારત આવશે તો તેના પર હવે કોઈ ટેક્સ નહીં લાગે. તેના કારણે આપણા ખેડૂતોનો સામાન અમેરિકામાં પણ નહીં વેચાય અને ભારતમાં પણ નહીં વેચાય, જેથી આપણા ખેડૂતોને નુકસાન થશે તથા આપણો એક્સપોર્ટ પણ બંધ થઈ જાય તેવી સંભાવના છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેમની પાસે નરેન્દ્ર મોદીજીના એવા રાઝ છે, જો એ રાજ ખોલી નાંખે તો નરેન્દ્ર મોદીજીનું પોલિટિકલ કરિયર ખતમ થઈ શકે છે. તો અહીંયા સવાલ ઊભો થાય છે કે શું પોતાના રાઝ બચાવવા માટે આપણા આખા દેશને અમેરિકા સામે ગીરવી મૂકી દેવામાં આવ્યો છે?

ત્યારબાદ આમ આદમી પાર્ટી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે લાખો-કરોડો રૂપિયાનું બજેટ બને છે, પરંતુ તેનો યોગ્ય લાભ સામાન્ય લોકો સુધી પહોંચતો નથી. આ વખતે દેશ અને ગુજરાત બંનેનું બજેટ લગભગ એકસરખું છે, કારણ કે સામાન્ય વર્ગ માટે તેમાં કોઈ ખાસ જોગવાઈ નથી. ખેડૂતો, મહિલાઓ, ગરીબ વર્ગ, નાના વેપારીઓ અને દુકાનદારો સૌ માટે બજેટમાં કોઈ ખાસ રાહત નથી. તેમનું કહેવું હતું કે જ્યારે મજબૂત વિરોધ પક્ષ ન હોય અથવા સરકારને વિરોધની ચિંતા ન હોય, ત્યારે આવા બજેટ રજૂ થાય છે. તેમણે જણાવ્યું કે દરેક નાગરિક ટેક્સ આપે છે, ભલે તે ઇન્કમ ટેક્સ ન આપતો હોય, પરંતુ દૈનિક જીવનની દરેક વસ્તુ પર ટેક્સ છે. ગેસ, ચા, ખાંડ, દૂધ, ખાદ્ય સામગ્રી, મોબાઇલ, પેટ્રોલ, શાકભાજી અને વીજળી. તો પ્રશ્ન એ છે કે આ ટેક્સના પૈસા ક્યાં જાય છે? સામાન્ય લોકોને તેનો સીધો લાભ કેમ મળતો નથી? તેમણે ઉદાહરણ આપ્યું કે જ્યારે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં સરકાર સંભાળી ત્યારે બજેટ લગભગ 30 હજાર કરોડનું હતું, જે વધીને લગભગ 68 હજાર કરોડ થયું. 24 કલાક વીજળી, સરકારી શાળાઓમાં સુધારા, ખાનગી શાળાઓની ફી પર નિયંત્રણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ આ બધું શક્ય બન્યું છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વધુમાં જણાવ્યું કે પંજાબમાં 43,000 કિમી રસ્તાઓના નિર્માણ/સુધારણા કામ ચાલી રહ્યા છે. કોન્ટ્રાક્ટરોને પાંચ વર્ષની જાળવણીની જવાબદારી સોંપવામાં આવી છે. જો રસ્તામાં ખાડો પડશે તો તેને સુધારવાનું કામ કોન્ટ્રાક્ટરે જ કરવું પડશે. જો પંજાબ પોલીસનો કોઈ જવાન ફરજ દરમિયાન શહીદ થાય તો તેના પરિવારને સરકાર અને બેન્ક એમ કુલ બે કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. પંજાબમાં 19 ટોલ પ્લાઝા બંધ કરવામાં આવ્યા છે. આગામી બજેટમાં કોઈ નવો ટેક્સ લગાવવામાં નહીં આવે, કારણ કે લોકો પહેલેથી જ ટેક્સના ભાર હેઠળ છે. શિક્ષણ ક્ષેત્રે “સ્કૂલ ઓફ એમિનેન્સ” શરૂ કરવામાં આવ્યા છે અને લગભગ દરેક વિધાનસભા વિસ્તારમાં એક એવી શાળા સ્થાપિત કરવાની યોજના છે. સરકારી શાળાના વિદ્યાર્થીઓ NEET અને JEE Main જેવી પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી રહ્યા છે. શિક્ષકો અને પ્રિન્સિપાલોને સિંગાપુર અને ફિનલેન્ડમાં તાલીમ માટે મોકલવામાં આવે છે જેથી નવી શિક્ષણ પદ્ધતિઓ અપનાવી શકાય.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

આદિવાસી વિકાસ બજેટમાં ગ્રાન્ટ નહીં તો વિકાસ નહીં, ચૈતર વસાવાની  નર્મદા બેઠકમાં ફરિયાદ નિવારણ માટે મજબૂત રજૂઆત
rajpipla
February 21, 2026

આદિવાસી વિકાસ બજેટમાં ગ્રાન્ટ નહીં તો વિકાસ નહીં, ચૈતર વસાવાની નર્મદા બેઠકમાં ફરિયાદ નિવારણ માટે મજબૂત રજૂઆત

નર્મદા જિલ્લા સંકલન-ફરિયાદ નિવારણ સમિતિ બેઠકમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મજબૂત રજૂઆત. અધૂરા વિકાસ કામો માર્ચ અંત સુધી પૂર્ણ થાય, આંગણવાડી ફૂડ બિલ-પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ-કુંવરબાઈ મામેરા પેન્ડિંગ, વન વિભાગમાં રોજગારી-બ્રિજ કામોની માંગ. વિગતો જુઓ.

વિકાસ-જનહિતના એજન્ડા સાથે ધોળકામાં AAPનું મોટું જોડાણ. સાગર રબારીની આગેવાનીમાં સામાજિક કાર્યકરો પાર્ટીમાં સામેલ
ahmedabad
February 20, 2026

વિકાસ-જનહિતના એજન્ડા સાથે ધોળકામાં AAPનું મોટું જોડાણ. સાગર રબારીની આગેવાનીમાં સામાજિક કાર્યકરો પાર્ટીમાં સામેલ

ધોળકા વિધાનસભામાં AAP મજબૂત બની. ખેડૂત નેતા સાગર રબારીની આગેવાનીમાં કાંતિભાઈ નકુમ, એડવોકેટ કનુભાઈ, મનીષાબેન મહેરિયા, રોશનભાઈ જગદીશભાઈ, જગદીશભાઈ મકવાણા સહિત સામાજિક કાર્યકરો પાર્ટીમાં જોડાયા. જનહિત-વિકાસના મુદ્દાઓથી પ્રેરાઈને ખેસ પહેરાવી આવકાર – વિગતો જુઓ.

લગ્ન નોંધણી કાયદામાં સુધારા પહેલાં જનતાના સૂચનો મંગાવવાનો નિર્ણય સરાહનીય : ગોપાલ ઇટાલિયા
ahmedabad
February 20, 2026

લગ્ન નોંધણી કાયદામાં સુધારા પહેલાં જનતાના સૂચનો મંગાવવાનો નિર્ણય સરાહનીય : ગોપાલ ઇટાલિયા

ગુજરાત સરકારે લગ્ન નોંધણી કાયદામાં સુધારા પહેલાં જનતા પાસેથી સૂચન મંગાવવાનો નિર્ણય લીધો – AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આવકાર્યો. ચૈતર વસાવા: આદિવાસી દીકરીઓના ગેરલાભ ઉઠાવનારા તત્વો સામે કડક કાયદો જરૂરી. હેમંત ખવા: લોકોની અપેક્ષા મુજબ કાયદો આવે તો પગપાળા જઈ CM-નાયબ CMનું સન્માન કરીશું. ખોટી ઓળખથી દીકરીઓના શોષણ પર રોક – વિગતો જુઓ.

Braking News

મિશેલ સ્ટાર્કે એક મોટો રેકોર્ડ બનાવ્યો, ICC ફાઇનલમાં આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો
મિશેલ સ્ટાર્કે એક મોટો રેકોર્ડ બનાવ્યો, ICC ફાઇનલમાં આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો
June 13, 2025

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના ત્રીજા દિવસે, મિશેલ સ્ટાર્કના બેટે જોરદાર પ્રદર્શન કર્યું. સ્ટાર્કે 58 રનની અણનમ ઇનિંગ્સ રમી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
પાકિસ્તાનનો મોંઘવારી દર 38.4% ને વટાવી ગયો, આર્થિક મંદી વચ્ચે રેકોર્ડ તોડ્યો
પાકિસ્તાનનો મોંઘવારી દર 38.4% ને વટાવી ગયો, આર્થિક મંદી વચ્ચે રેકોર્ડ તોડ્યો
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express