ખેલો ઈન્ડિયા મેડલ વિજેતા હવે સરકારી નોકરીઓ માટે પાત્ર બનશે
અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે હવે ખેલો ઈન્ડિયા યુથ, યુનિવર્સિટી, પેરા અને વિન્ટર ગેમ્સમાં મેડલ જીતનારા ખેલાડીઓ સરકારી નોકરી માટે પાત્ર બનશે.
ખેલો ઈન્ડિયા મેડલ વિજેતા હવે સરકારી નોકરીઓ માટે પાત્ર બનશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ સરકારી નોકરી મેળવવા માંગતા ખેલાડીઓ માટે યોગ્યતાના માપદંડમાં સુધારો કર્યો છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે હવે ખેલો ઈન્ડિયા યુથ, યુનિવર્સિટી, પેરા અને વિન્ટર ગેમ્સમાં મેડલ જીતનારા ખેલાડીઓ સરકારી નોકરી માટે પાત્ર બનશે.
શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ પગલાનો ઉદ્દેશ એક મજબૂત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ બનાવવા, પાયાના સ્તરે પ્રતિભાને પોષવા અને દેશમાં રમતગમતને આકર્ષક અને સક્ષમ કારકિર્દી વિકલ્પમાં ફેરવવાનો છે. તેમણે કહ્યું કે આ સુધારેલા નિયમો એ ભારતને રમતગમતની મહાસત્તા બનાવવા માટે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રગતિશીલ પગલું છે.
"ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લીધાં, જેમાં એરસ્પેસ અને બંદરો બંધ કરવાની તૈયારી છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર શું અસર પડશે? વાંચો આ વિગતવાર સમાચાર."
"RBIએ બેંકોને એટીએમમાં રૂ. 100 અને રૂ. 200ની નોટ્સની ઉપલબ્ધતા વધારવાનો આદેશ આપ્યો. 2025થી એટીએમ ઉપાડ ચાર્જમાં પણ ફેરફાર. નવી નીતિની સંપૂર્ણ વિગતો જાણો."
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 24 નક્સલીઓએ CRPF અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આમાંથી ૧૪ પર કુલ ૨૮.૫૦ લાખ રૂપિયાનું ઈનામ હતું. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં ૧૧ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.