તિલકવાડાના ભાદરવા ગામ પાસેથી સગીર દીકરીનું લગ્નની લાલચે અપહરણ
નર્મદા જિલ્લાનાં તિલકવાડા તાલુકાના ભાદરવા ગામ નજીકથી એક સગીરાનું અપહરણ થયાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે.
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનાં તિલકવાડા તાલુકાના ભાદરવા ગામ નજીકથી એક સગીરાનું અપહરણ થયાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે. જેમાં મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના એક ગામમાં રહેતા વાલીએ આપેલી ફરિયાદ મુજબ તેમની સગીર વયની દીકરીને રોહિતભાઇ કંચનભાઈ વસાવા રહે. વાસણ તા.તિલકવાડા જી.નર્મદા નામનો યુવાન વાલીપણા માંથી લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી અપહરણ કરી લઇ જઇ જતા પોલીસે યુવાન વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં અનેકવાર સગીર બાળકીઓ પર દુષ્કર્મ,અપહરણનાં બનાવો બન્યા છે અને ઝેરી દવા પી આપઘાતની ઘટનાઓ પર જોવા મળી છે. જોકે નર્મદા પોલીસ આ મુદ્દે કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરે છે પરંતુ વાલીઓએ પણ આવી ગંભીર ઘટનાનાં બને તે માટે પોતાના સંતાનોને મોબાઇલ સહિત અમુક બાબતે ટકોર કરી પોતાના સંતાન પર કોઈ આફતનાં આવે તેની તકેદારી લેવી જરૂરી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.