Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ

૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ

મનોરંજનનો મહાથાળ એટલે નાટ્યોત્સવ : ૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ, સતત સાત દિવસ સુધી માત્ર ને માત્ર ગુજરાતી નાટકોનો મહતોત્સવ યોજાયો હોય એવું તમને યાદ છે ? કારણ કે આવું છેલ્લા બે ત્રણ દાયકામાં આવું બન્યું હોય એવું તો મને પણ યાદ નથી આવતું . એક સપ્તાહ સુધી આયોજન કરવામાં આવેલા આ નાટ્યોત્સવમાં માત્ર ગુજરાતી ભાષાના નાટકો જ  માણવા મળશે.

Ahmedabad September 23, 2023
૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ

૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ

 વિવેક શાહ પ્રોડક્શન્સ એટલે કે જેમણે નાટકોના અને બીજા બધા પ્રોગ્રામનાં બે હજારથી વધુ શો કર્યા છે. આ અગાઉ પણ પાંચ દિવસના નાટ્યોત્સવ ૧.૦ નું આયોજન કર્યું હતું . જેની સફળતાથી પ્રેરાઈને આ વરસે અગાઉ કરતા પણ વધુ મોટા પાયે સાત દિવસના નાટ્યોત્સવ ૨.૦ નું આયોજન કર્યું છે. જેમાં એમની સાથે જોડાયા છે જે.કે.ઇવેન્ટસ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ અને જંપસ્ટાર્ટ ક્રિએટિવ લેબ્સ.આ નાટ્યોત્સવ ૨૩ સપ્ટેમ્બર થી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ અમદાવાદ ખાતે ભજવાશે .

એક સપ્તાહ સુધી ચાલનારા આ મહાનાટ્યોત્સવમાં બધા જ નાટકો અલગ અલગ ઝોનર માં ભજવાશે.આ નાટકોના નામ છે અંત વગરની વાત, લગ્ન કર્યા ને લોચા પડ્યા , એટલે પ્રેમ , આઓ કભી હવેલી પે , સસરા સધ્ધર તો જમાઈ અધ્ધર , અંદર અંદર પોરબંદર , ગુજરાતીમાં કેટલા અને વિદેશી વહુ તને  શું કહું ? હવે નાટકોના નામ વાંચીને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ નાટકોના ઝોનર શું હશે ?

આ નાટકો લવ સ્ટોરી , કોમેડી , હોરર કોમેડી , સામાજિક કોમેડી , સાયકો થ્રીલર વગેરે વગેરે.વળી પાછું આમાં ગુજરાતી ભાષા જે લુપ્ત થઈ રહી છે એ વિષય પર પણ નાટક ભજવાશે.આ દરેક નાટકના વિષય વસ્તુ શું હશે એની પર એક નજર કરીએ ?

સૌ પ્રથમ નાટક અંત વગરની વાત ભજવાશે એની મૂળ વાત એવી છે કે એક કપલ છે . જેમાં પત્ની લેખક છે અને પતિ પ્રોફેસર . પત્ની ખૂબ સફળ લેખક છે પણ એને દરેક નાટક ભજવીને લખવાની આદત છે . હવે આ જ આદત પતિને ઘણીવાર મુશ્કેલીમાં મૂકી દે છે. પતિ ને ડોકટર દ્વારા એવું જાણવા મળે છે કે એમની વાઇફની આ તકલીફ ત્યારે જ દૂર થશે કે જ્યારે એમની વાઇફ નાં મગજ પર કોઈ મોટી ઘટના અસર કરશે અને પછી પતિ પોતાની પત્નીને સાજી કરવા પોતાનો જીવ આપી દે છે.
બીજા દિવસે લગ્ન કર્યા ને લોચા પડ્યા નાટક છે જેની મૂળ વાત એવી છે કે રિતુ જે ખૂબ અમીર પરિવારમાંથી આવે છે અને અભય મિડલ ક્લાસ ફેમિલીમાં આવે છે . એ લોકો લગ્ન તો કરી લે છે પણ અભય લગ્નને બચાવવા શું શું કરે છે એ વાત આ નાટકની મૂળ હાર્દ છે.

ત્રીજા દિવસે એટલે પ્રેમ અને આઓ કભી હવેલી પે નાટક છે. આ બન્ને નાટકો એકાંકી છે . એટલે પ્રેમ નાટકોનો સાર એવો છે કે બે પ્રેમી છે  ધરા અને વ્યોમ . બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે પણ વ્યોમને કવિતા શીખવા માટે મુંબઈ જવું પડે છે અને ધરા આ વાત સહન નથી કરી શકતી . આ નાટક જોઈને તમારી આંખમાં ચોક્કસ આંસુ આવી જ જશે. આની સાથે સાથે બીજુ નાટક જે ભજવાશે આઓ કભી હવેલી પે એનો હાર્દ છે કે ત્રણ ભાઈબંધો એક હવેલીમાં ફરવા જાય છે ત્યાં એમને અમુક હોરર અનુભવ થાય છે અને એની સાથે સાથે કોમેડી પણ સર્જાય છે.ચોથા દિવસે સસરા સધ્ધર તો જમાઈ અધ્ધર એક સામાજિક કોમેડી નાટક છે.જેમાં  સસરાની જમાઈ સાથે શું હાલત થાય છે એ વાત આ પાત્રો દ્વારા રમુજી રીતે દર્શાવવામાં આવ્યું છે.

પાંચમા દિવસે અંદર અંદર પોરબંદર નાટક ભજવાશે . જેમાં  પોતાની પત્નીની શાન ઠેકાણે લાવવા પતિ શું કરે છે એ બહુ જ કોમેડી વે માં રજુ કરવામાં આવ્યું છે.છઠ્ઠા દિવસે ગુજરાતીમાં કેટલા ?  નાટક રજુ થશે . જેમાં ગુજરાતી ભાષા પ્રત્યે ઓછા થતા વલણ સામે એક શિક્ષક અવાજ ઉઠાવે છે . અને છેલ્લા દિવસે વિદેશી વહુ તને શું કહું ? નાટક ભજવાષે . જેમાં વિદેશની છોકરી સાથે જયેશ લગ્ન કરે છે અને પછી જયેશની મમ્મી વિદેશ આવે છે ત્યાં જયેશની મમ્મીની વાતો એની પત્ની નથી સમજી શકતી અને એની મમ્મીની વાતો એની પત્ની નથી સમજી શકતી. આમ રમુજી રીતે આ નાટક રજૂ થશે .

આવા અભૂતપૂર્વ નાટકોની વિશેષતા જણાવતા વિવેક શાહ પ્રોડક્શન્સ કહે છે કે સતત સાત દિવસ સુધી અલગ અલગ પ્રકારના અને એમાં પણ માત્ર ગુજરાતી ભાષાના જ નાટકો હોય એવું મારી જાણમાં આવ્યું નથી . અને આ નાટયોત્સવ કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે બીજી ભાષાઓનું ચલણ વધી રહ્યું છે. પારકી ભાષા શીખો એની નાં જ નથી પણ પોતાની ભાષા માટેનો પ્રેમ તો પહેલા જ હોવો જોઈએ ને ?  બસ આ જ સંદેશ લોકો સુધી પહોંચે એના માટે આટલા મોટા નાટયોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

વિવેક શાહ પ્રોડક્શન્સ સાથે જોડાણ કરનારા જે.કે.ઇવેન્ટસ  એન્ડ એડવર્ટાઇઝમેન્ટનાં જય પંડ્યા કહે છે કે નાટક એ દર્શકો સુધી પહોંચવાનું સુધી માધ્યમ છે અને આમાં કામ કરતા કલાકારો સખત મહેનત કરે છે . તો એ બધાને પ્રોત્સાહન મળે એ હેતુથી આ નાટયોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત એમનું એવું પણ કહેવું છે કે આ નાટકોના માધ્યમથી ઘણા સારા સારા સંદેશ લોકો સુધી પહોંચાડી શકાય છે . એટલે એમની એવી ઈચ્છા છે કે આ પ્રકારના નાટયોત્સવ માત્ર અમદાવાદ જ નહિ પણ બીજી બધી સિટીમાં પણ થાય અને દર ત્રણ કે ચાર મહિનાના ગાળામાં એક સાપ્તાહિક નાટયોત્સવનું આયોજન થાય. જય પંડ્યા અને એમની ટીમ આ પ્રકારના નાટયોત્સવનો સિલસિલો ચાલુ જ રાખવા માંગે છે. જય પંડ્યા લોકોના મનમાં એવો ઉત્સાહ જગાડવા માંગે છે કે લોકો જેમ સિરિયલ કે વેબસિરીઝ નાં એક એક એપિસોડ આતુરતાથી રાહ જોતા હોય એવી જ રીતે નાટયોત્સવ માટે પણ લોકોના મનમાં આતુરતા રહે.

તો હવે તમે રાહ શેની જુઓ છો ? એક સપ્તાહ સુધી ચાલનારા મનોરંજનના મહાથાળ એવા નાટયોત્સવ ૨.૦ ને માણવા તૈયાર થઈ જાઓ.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન આયોજિત થયેલ પખવાડિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ
ahmedabad
June 14, 2025

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન આયોજિત થયેલ પખવાડિક મેગા બ્લડ ડોનેશન કેમ્પ

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. 

અમદાવાદ પ્લેન ક્રેશ: LICની મોટી જાહેરાત! ક્લેમ મેળવો ડેથ સર્ટિફિકેટ વગર
ahmedabad
June 14, 2025

અમદાવાદ પ્લેન ક્રેશ: LICની મોટી જાહેરાત! ક્લેમ મેળવો ડેથ સર્ટિફિકેટ વગર

અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!  

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩ જૂન ૨૦૨૫ના રોજ કામચલાઉ મેરીટ જાહેર
June 13, 2025

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩ જૂન ૨૦૨૫ના રોજ કામચલાઉ મેરીટ જાહેર

ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.

Braking News

વાયનાડ લોકસભા સીટ પર પેટાચૂંટણી માટે પ્રચારનો અંત, 13 નવેમ્બરના રોજ મતદાન
વાયનાડ લોકસભા સીટ પર પેટાચૂંટણી માટે પ્રચારનો અંત, 13 નવેમ્બરના રોજ મતદાન
November 11, 2024

વાયનાડ લોકસભા સીટ પર પેટાચૂંટણી માટે પ્રચારનો અંત આવી ગયો છે, જેમાં 13 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
February 20, 2023
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
અદાણી પોર્ટ્સ મુખ્ય નાણાકીય સિદ્ધિ હાંસલ કરી: SBI મ્યુચ્યુઅલ ફંડને રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી અને વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓનું અનાવરણ કર્યું
February 20, 2023
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express