ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ પર: ગૌરી દેસાઈ
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કઈ દિશામાં જઈ રહ્યો છે ? દુષ્કર્મીઓને કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી. કારણ કે આપણા ગુજરાતનાં ગૃહમંત્રી સોશિયલ મિડીયા પર માત્ર મોટી મોટી વાતો કરવામાં માસ્ટર છે.
અમદાવાદ/ગુજરાત : બળાત્કારની વધતી ઘટનાઓ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઇએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે ખુબ દુ:ખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં ફરી એક વખત 5 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કઈ દિશામાં જઈ રહ્યો છે ? દુષ્કર્મીઓને કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી. કારણ કે આપણા ગુજરાતનાં ગૃહમંત્રી સોશિયલ મિડીયા પર માત્ર મોટી મોટી વાતો કરવામાં માસ્ટર છે. ગુજરાતમાં રાજકોટ અને ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાંચ વર્ષની બાળાને આપણે દેવીનું સ્વરૂપ સમજીએ છીએ. રાજ્યમાં દુષ્કર્મની ઘટના એટલી બની રહી છે, કારણ કે ગુજરાતમાં કોઈને કાયદાનો ડર જ રહ્યો નથી. બેફામ દારૂ અને બેફામ ડ્રગ્સ વેચાય રહ્યું છે. ત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ પર જ રહી ગયા છે.
ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને હું કહેવા માંગુ છું કે ગુજરાતમાં મહિલાઓ અને બાળકીઓને સુરક્ષા આપવામાં તમે અસક્ષમ રહ્યાં છો. ત્યારે રાજીનામું આપો અને ખુરશી ખાલી કરો. નાની બાળાઓ પર દુષ્કર્મની ઘટનાઓ થઈ રહી છે અને ગૃહમંત્રી હજુ પણ ઉંઘી રહ્યા છે? ગૃહમંત્રી દ્વારા માત્ર બોલવામાં આવે છે કે કોઈને છોડવામાં નહીં આવે. ગુજરાતમાં નથી જોઇતી આવી સરકાર, નથી જોઇતા આવા ગૃહમંત્રી કે જે મહિલાઓને સુરક્ષા ન આપી શકે. તમે ખુરશી ખાલી કરો અને એવા વ્યક્તિને બેસાડો જે ખરા અર્થમાં કાયદાનું પાલન કરાવી શકે. દુષ્કર્મીઓને ઉંઘમાં પણ ડર લાગે તેવો કાયદો બનાવો. કાયદો અને વ્યવસ્થા ન જાળવી શકે તેવા ગૃહમંત્રીની અમારે કોઇ જરૂર નથી. મુખ્યમંત્રીને પણ અપીલ છે કે કાયદોને વ્યવસ્થા માત્ર કાગળ પર ન હોવી જોઇએ. કોઈ પણ દુષ્કર્મી આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા સો વાર વિચારવો જોઈએ. આ ઘટના પરથી સાબિત થાય છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કેવી છે? એક જ અઠવાડિયામાં બે બાળાઓ પર દુષ્કર્મ થાય છે. ગુજરાતનાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રી તમે શું કરો છો? મહિલા તરીકે એક જ અપીલ છે કે ગુજરાતમાં મહિલાઓને સુરક્ષા મળે.
ગોવામાં આમ આદમી પાર્ટી 2027 વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની રણનીતિમાં બૂથ-સ્તર સંગઠન, પર્યાવરણ રક્ષણ, ભ્રષ્ટાચાર વિરોધ અને યુવાનો-મહિલાઓની ભાગીદારી. પંજાબ મોડેલ ગોવામાં લાગુ કરીને પરિવર્તનની ગેરંટી. વાંચો વિગતો.
બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 7 AAP ખેડૂત નેતાઓને જામીન મંજૂર કર્યા. ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” – ભાજપ સરકારે કડદા રોકનારાઓને જેલમાં નાખ્યા, પરંતુ સત્યની જીત થઈ. ખેડૂતોમાં રોષ અને ખુશીની લાગણી. આગામી કાર્યક્રમોની જાહેરાત – વિગતો અહીં વાંચો.
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વડોદરામાં હરણી મોટનાથ તળાવ (Harni Motnath Lake) બોટ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. 19 જાન્યુઆરી, 2026 ના રોજ વડોદરાની મુલાકાત દરમિયાન કેજરીવાલે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જીવ લેનારી આ કરૂણ ઘટનામાં ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.