લુણાવાડા ડેપો મેનેજર દ્વારા એસ ટી સ્ટેન્ડ માં સાફ સફાઈ અભિયાન હાથ ધરવા માં આવ્યું...
જિલ્લાના હાર્દ સમાન ગણાતા લુણાવાડા એસ ટી સ્ટેન્ડમાં અવર જવર કરતા મુસાફર જનતાના સ્વાસ્થ્ય ના હિતને ધ્યાનમાં રાખીને લુણાવાડા ડેપો મેનેજર દ્વારા એસ ટી સ્ટેન્ડમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.
જિલ્લા ના હાર્દ સમાન ગણાતા લુણાવાડા એસ ટી સ્ટેન્ડ માં અવર જવર કરતા મુસાફર જનતા ના સ્વાસ્થ્ય ના હિત ને ધ્યાન માં રાખીને લુણાવાડા ડેપો મેનેજર દ્વારા એસ ટી સ્ટેન્ડ માં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.લુણાવાડા એસ ટી સ્ટેન્ડ માં દિવસ ભર અસંખ્ય મુસાફરો...વિદ્યાર્થીઓ અને અંદાજે ૩૦૦ થી ૪૦૦ જેટલી બસો અવર જવર કરતી હોય છે .જ્યારે જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તાર ની જનતા પણ પોતાના નાના મોટા કામ અર્થે બસો મારફતે અવર જવર કરતી હોય છે.ત્યારે આ મુસાફર જનતા તેમજ નાના ભૂલકાં ઓ ના સ્વાથ્ય ના હિત ને ધ્યાન પર લઈ ને લુણાવાડા એસ ટી સ્ટેન્ડ ના કમ્પાઊંડ માં,એસ ટી સ્ટેન્ડ ની લાંબી માં,એસ ટી સ્ટેન્ડ માં આવેલી પાણી ની પરબ પર તેમજ જાહેર સૌચલય અને બાથ રૂમ ની સાફ સફાઈ નું અભિયાન હાથ ધરવા મા આવ્યું હતું.
જ્યારે બીજી બાજુ છેલ્લા કેટલાય સમય થી લુણાવાડા એસ ટી સ્ટેન્ડ માં માથાના દુખાવા સમાન બની ગયેલા મસ મોટા તોતિંગ ખાડા ઓ તેમજ એસ ટી સ્ટેન્ડ ની મધ્ય માં પડેલા તોતિંગ ગાબડાં પડ્યાં હતાં તેને તાત્કાલિક પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના કારણે મુસાફર જનતા ને અને વાહન ચાલકો માં રાહત ની લાગણી જણાઈ રહેવા પામી છે.
આમ મહીસાગર જિલ્લાના હાર્દ સમાન ગણાતા લુણાવાડા એસ ટી સ્ટેન્ડ માં સમયાંતરે આવી સાફસફાઈ નું અભિયાન તથા વારંવાર પડતા નાના મોટા ગાબડાં ઓ ની મરામત નું કામ હાથ ધરવા મા આવે તેવું મુસાફર જનતા પણ અભિલાષા વ્યક્ત કરી રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.