નર્મદા જિલ્લામાં અકસ્માતો રોકવા મોટી કાર્યવાહી: DSP વિશાખા ડબરાલે બ્લેક સ્પોટનું નિરીક્ષણ કર્યું
નર્મદા જિલ્લામાં વાહન અકસ્માતો રોકવા મોટી કાર્યવાહી: DSP વિશાખા ડબરાલ, NHAI અને ટ્રાફિક ટીમે બ્લેક સ્પોટનું નિરીક્ષણ કર્યું. વડીયા જકાતનાકા, નાના લીમટવાડા, ખામર, મકાઈ ધોધ સહિત 10+ જગ્યાએ કેટ આઈ, સાઇન બોર્ડ, બમ્પ-બેરિયરના આદેશ. દેડીયાપાડામાં હેલ્મેટ વિતરણ સાથે જાગૃતિ. વિગતો જુઓ.
રાજપીપલા: નર્મદા જિલ્લામાં વાહન અકસ્માતોને રોકવા તથા માર્ગ સલામતી મજબૂત બનાવવા હેતુસર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિશાખા ડબરાલ, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.કે. ગામીત અને
પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એસ. મિશ્રા તેમજ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ અભિયાન અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના સાઇટ એન્જિનિયર પરેશભાઇ સોલંકી તથા સ્ટેટ હાઇવે (SH)ના મદદનીશ ઇજનેર રાહુલભાઇ ભદાણેએ જિલ્લાના વિવિધ બ્લેક સ્પોટ તથા સંભવિત અકસ્માતવાડી જગ્યાઓનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં વડીયા જકાતનાકા ચારરસ્તા, નાના લીમટવાડા, ખામર, બોરિન્દ્રા, મકાઈ ધોધ, પણગામ, કણબીપીઠા, દુધલીવેર, નીંઘટ રામેશ્વર હોટેલ પાસે તથા અમીયાર ગામ જેવા વિસ્તારોને આવરી લેવામાં આવ્યાં હતાં.
આ નિરીક્ષણ દરમિયાન અકસ્માત નિવારણ માટે જરૂરી કેટ આઈ, સાઇન બોર્ડ, હાઇ માસ્ક લાઇટ, ક્રોસ બેરિયર, થર્મોપ્લાસ્ટિક પટ્ટા, રબ્બર સ્ટ્રીપ બંપ, યેલો બોક્ષ તથા બ્રિંકર લાઇટ જેવી વ્યવસ્થાઓ તાત્કાલિક સ્થાપિત કરવા તથા રોડ એન્જિનિયરિંગમાં સુધારા માટે અસરકારક પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી ફેટલ અકસ્માતો જેવા ગંભીર બનાવો અટકાવી શકાય અને માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવામાં સહાય મળે.
ત્યારબાદ દેડીયાપાડા પોસ્ટ ખાતે યોજાયેલ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન વાહનચાલકોને હેલ્મેટનું વિતરણ કરી ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા સમજ આપવામાં આવી હતી. નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતાની અમૂલ્ય જીંદગી સુરક્ષિત રહે તે માટે હંમેશા પ્રતિબદ્ધ રહી કાર્યરત છે.
ગુજરાતમાં દેશની પ્રથમ CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ ૧૫ ફેબ્રુઆરીએ! કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મહાત્મા મંદિરમાં લોન્ચ. અન્નપૂર્ટિ ગ્રેઇન ATM, ૧ કિ.ગ્રા તુવેર-ચણા પેકિંગ, સુપોષિત ગરુડેશ્વર તાલુકો અભિયાન અને ગ્રાહક સુરક્ષા MOU શરૂ. પારદર્શક ડિજિટલ વિતરણ યુગની શરૂઆત. વિગતો જુઓ.
નર્મદા જિલ્લાના ૨૫૮ આદિજાતિ ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ હેઠળ રૂ. ૫.૧૬ કરોડનું ઇનામ! પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જાહેર કર્યું – ૭૦+ ગુણ મેળવનાર ગ્રામ પંચાયતને રૂ. ૨ લાખ ઇનામ. જલ જીવન મિશન હેઠળ આયુર્વેદ-યોગ સેવા વિસ્તારશે. વિગતો જુઓ.
રાજપીપલામાં આયુષ સોસાયટીની મોટી સમીક્ષા બેઠક યોજાઈ: આયુર્વેદ, યોગ, યુનાની-હોમિયોપેથી સેવાઓની કામગીરી પર ચર્ચા, ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને નવું બળ મળશે. નવી યોજનાઓ, વધુ ફંડિંગ અને વિસ્તારની તૈયારી! વિગતો જુઓ.