મણિપુર: આસામ રાઈફલ્સ અને CRPFએ 10 ઉપદ્દ્રવીઓને ઠાર માર્યા, એક સુરક્ષાકર્મી ઘાયલ
ઉપદ્દ્રવીઓએ પહેલા CRPM ચોકી પર હુમલો કર્યો. આ પછી સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી શરૂ કરી અને 10 બદમાશોને ઠાર કર્યા.
મણિપુરના જીરીબામ વિસ્તારમાં આસામ રાઈફલ્સ અને CRPFએ 10 સશસ્ત્ર બદમાશોને ઠાર કર્યા છે. હથિયારોથી સજ્જ કુકી ઉપદ્દ્રવીઓએ CRPF ચોકી પર હુમલો કર્યો હતો. આ પછી સીઆરપીએફ અને આસામ રાઈફલ્સે જવાબી કાર્યવાહી કરી અને 10 બદમાશોને ઠાર કર્યા. બદમાશોના હુમલામાં સીઆરપીએફનો એક જવાન ઘાયલ થયો છે.
મણિપુરમાં આ પહેલા પણ ઉપદ્દ્રવીઓએ સુરક્ષા દળોની જગ્યાઓ પર હુમલો કર્યો છે. પોલીસ સ્ટેશન પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો અને હથિયારોની લૂંટ કરવામાં આવી હતી, પરંતુ આ વખતે સુરક્ષા દળો તૈયાર હતા અને બદમાશોને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. મણિપુરમાં કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચે શરૂ થયેલો સંઘર્ષ હિંસક બની ગયો છે અને છેલ્લા ઘણા મહિનાઓથી સતત હિંસા ચાલી રહી છે.
ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં સોમવારે સવારે, આતંકવાદીઓએ નજીકની પહાડીઓ પરથી ગોળીબાર કર્યો, જેમાં ખેતરમાં કામ કરી રહેલા એક ખેડૂતને ઇજા પહોંચી હતી. વંશીય સંઘર્ષથી પ્રભાવિત મણિપુરની ઇમ્ફાલ ખીણમાં ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો પર પહાડી વિસ્તારોમાંથી આતંકવાદીઓ દ્વારા સતત ત્રીજા દિવસે હુમલો કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હુમલાઓને કારણે ખીણની બહારના ભાગમાં રહેતા ઘણા ખેડૂતો ખેતરોમાં જતા ડરે છે અને તેનાથી ડાંગરના પાકની લણણી પર અસર પડી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગની ઘટના સવારે 9.20 વાગ્યાની આસપાસ બની હતી. પડોશી કાંગપોકપી જિલ્લાના પહાડી વિસ્તારોના આતંકવાદીઓએ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના યાંગંગપોકપી શાંતિખોંગબાન વિસ્તારમાં ડાંગરના ખેતરોમાં કામ કરતા ખેડૂતો પર ગોળીબાર કર્યો, જેમાં એક ખેડૂત તેના હાથમાં ઘાયલ થયો.
પોલીસે જણાવ્યું કે સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા અને જવાબી કાર્યવાહી કરવામાં આવી. થોડીવાર સુધી ગોળીબાર ચાલુ રહ્યો. ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે યાઈંગંગપોકપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો અને હાલ તેની હાલત ખતરાની બહાર છે. શનિવારે પણ ચુરાચંદપુર જિલ્લામાં પહાડી વિસ્તારોમાંથી આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. બિષ્ણુપુર જિલ્લાના સેટનમાં ડાંગરના ખેતરમાં કામ કરતી વખતે 34 વર્ષીય મહિલા ખેડૂતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રવિવારે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના સાંસાબી, સબુંગખોક ખુનૌ અને થમનાપોકપી વિસ્તારોમાં સમાન હુમલાઓ કરવામાં આવ્યા હતા. ઇમ્ફાલ ખીણમાં મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે ગયા વર્ષે મે મહિનામાં શરૂ થયેલા વંશીય સંઘર્ષમાં 200 થી વધુ લોકો માર્યા ગયા અને હજારો લોકો બેઘર થયા.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ રમેશ જે સીટ પર બેઠેલા હતા, જે સીટ પર થાઈ ગાયક લોયચુસાક ૨૭ વર્ષ પહેલાં બેઠેલા હતા એટલે કે સીટ નંબર ૧૧એ. ૧૯૯૮ના વિમાન દુર્ઘટનામાં પણ લોયચુસાક એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (15 જૂન) સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેઓ કેનેડામાં G7 સમિટમાં હાજરી આપશે અને સાયપ્રસ અને ક્રોએશિયાની પણ મુલાકાત લેશે.
આ કેરી ઉત્સવ દિલ્હીમાં પણ યોજાઈ રહ્યો છે. તે 27 જૂનથી દિલ્હીના માલવિયા નગરમાં શરૂ થશે અને 6 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં ક્લાસિકથી લઈને ફ્યુઝન અને સર્જનાત્મક કેરીની વાનગીઓની શ્રેણી હશે. ભલે તમે પરંપરાગત કેરીના સ્વાદના શોખીન હોવ અથવા નવા સ્વાદનો પ્રયાસ કરવા માંગતા હોવ, અહીં દરેક પ્રકારના કેરી પ્રેમી માટે કંઈકને કંઈક હશે.