કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું મિશન કર્ણાટક
ચૂંટણી નજીક આવી રહી હોવાથી ભાજપના નેતાઓના ધામા
કર્ણાટકમાં ગણતરીના દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજયમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના નેતાઓએ તેમનો પ્રવાસ તેમજ આવન જાવન વધારી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકના પ્રવાસે છે. અમિત શાહે આજે ચામુંડી હિલ્સ ખાતે પ્રસિદ્ધ ચામુંડેશ્વરી દેવીની મુલાકાત લીધી હતી અને પૂજા અર્ચના કરી હતી. શાહે કર્ણાટક અને સમગ્ર દેશના લોકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પણ પ્રાર્થના કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી શાહે ચામુંડેશ્વરી દેવીની પૂજા કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરી હતી. આ દરમિયાન તેમની સાથે મૈસુર-કોડાગુના સાંસદ પ્રતાપ સિમ્હા અને ધારાસભ્ય એસએ રામદોસ પણ હતા.
પૂજા કર્યા બાદ શાહે મંદિરની પરિક્રમા પણ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક હજાર વર્ષથી વધુ જૂનું મંદિર શરૂઆતમાં એક નાનું મંદિર હતું અને મુખ્ય પૂજા સ્થળ બનતા પહેલા સદીઓથી તેનું મહત્વ હતું. તેમણે કહ્યું કે મૈસુરના મહારાજા સત્તામાં આવ્યા પછી તેનું મહત્વ વધી ગયું. તેઓ ચામુંડેશ્વરીના મહાન ભક્ત અને ઉપાસક હતા. તેણે ચામુંડેશ્વરી દેવીને પોતાની ગૃહદેવતા બનાવી.
જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થવાનું છે અને મતદાનના પરિણામ 13 મેના રોજ આવશે. કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ 224 વિધાનસભા બેઠકો છે.
20થી 28 ફેબ્રુઆરી 2026 વચ્ચે શરૂ થયા વધારાના હોલ્ટ્સ – ગુવાહાટી-સિલચર, ગુવાહાટી-ડિબ્રુગઢ સહિત ઘણી ટ્રેનોમાં નવા સ્ટેશનો જેમ કે બારપથર, લંકા, હોજાઈ.
કેન્દ્ર સરકારે દેશના રેલ્વે માળખાને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે. મંત્રીમંડળે આશરે ₹9,072 કરોડના ત્રણ મુખ્ય રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ 4 રાજ્યોના 8 જિલ્લાઓમાં કનેક્ટિવિટી અને વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા છે.
મુંબઈ પોલીસે શહેરમાં ડ્રગ માફિયાઓ સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ચાર વર્ષમાં, તેઓએ ₹6,738 કરોડથી વધુના ડ્રગ્સ જપ્ત કર્યા છે, જેના કારણે ડ્રગ માફિયાઓને નોંધપાત્ર નુકસાન થયું છે.