Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ટાઇપ 1 ડાયાબિટીઝ ધરાવતા 1300થી વધુ બાળકો, સોશિયલ ઇમ્પેક્ટ પ્રોગ્રામ દ્વારા સકારાત્મક પરિણામો મેળવે છે

ટાઇપ 1 ડાયાબિટીઝ ધરાવતા 1300થી વધુ બાળકો, સોશિયલ ઇમ્પેક્ટ પ્રોગ્રામ દ્વારા સકારાત્મક પરિણામો મેળવે છે

 રિસર્ચ સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીઝ ઇન ઇન્ડિયા (RSSDI) અને સનોફી વચ્ચેના ચાલી રહેલા ત્રણ વર્ષીય સહયોગે ટાઇપ 1 ડાયાબિટીઝ મેલીટસ (T1D) સાથેના બાળકોની જિંદગી પર નોંધપાત્ર અસર દર્શાવવાનું શરૂ કરી દીધુ છે. આ પ્રોગ્રામના ભાગરૂપે 1300થી વધુ નાના T1D દર્દીઓએ રાષ્ટ્રભરમાં નોંધણી કરાવી છે, જેમાં ગુજરાતમાં 215 લોકોનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામનું અમલીકરણ પીપલ ટુ પીપલ હેલ્થ ફાઉન્ડેશન (PPHF) દ્વારા કરવામાં આવ્યુ છે.

New delhi September 26, 2023
ટાઇપ 1 ડાયાબિટીઝ ધરાવતા 1300થી વધુ બાળકો, સોશિયલ ઇમ્પેક્ટ પ્રોગ્રામ દ્વારા સકારાત્મક પરિણામો મેળવે છે

ટાઇપ 1 ડાયાબિટીઝ ધરાવતા 1300થી વધુ બાળકો, સોશિયલ ઇમ્પેક્ટ પ્રોગ્રામ દ્વારા સકારાત્મક પરિણામો મેળવે છે

રિસર્ચ સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીઝ ઇન ઇન્ડિયા (RSSDI) અને સનોફી વચ્ચેના ચાલી રહેલા ત્રણ વર્ષીય સહયોગે ટાઇપ 1 ડાયાબિટીઝ મેલીટસ (T1D) સાથેના બાળકોની જિંદગી પર નોંધપાત્ર અસર દર્શાવવાનું શરૂ કરી દીધુ છે. આ પ્રોગ્રામના ભાગરૂપે 1300થી વધુ નાના T1D દર્દીઓએ રાષ્ટ્રભરમાં નોંધણી કરાવી છે, જેમાં ગુજરાતમાં 215 લોકોનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામનું અમલીકરણ પીપલ ટુ પીપલ હેલ્થ ફાઉન્ડેશન (PPHF) દ્વારા કરવામાં આવ્યુ છે.

આ 1300 બાળકો TD વ્યવસ્થાપન પર વધુ સારુ શિક્ષણ મેળવી રહ્યા છે. છેલ્લા 9 મહિનાથી (સપ્ટેમ્બર 2022થી જૂન 2023)થી વધુના સમયગાળામાં આ પ્રોગ્રામનો હસ્તક્ષેપે હાયપોગ્લીકેમિયા (સપ્તાહે 1થી 4 વખત)માં અનુભવતા બાળકોમાં 46% (70% સામે)નો અને હાયપરગ્લીકેમિયા (સપ્તાહદીઠ 1થી 4 વખત) અનુભવતા બાળકોમાં 25% (52% સામે)નો ઘટાડો કર્યો હતો.

વૈશ્વિક ટાઇપ 1 ડાયાબિટીઝ ઇન્ડેક્સ અનુસાર ભારતમાં T1D દર વર્ષે 6.7%નો વધારો થાય છે જેમાં ટાઇપ 2 ડાયાબિટીઝ ધરાવતા લોકોની ટકાવારી 4.4% છે. જુવેનાઇલ અથવા ઇન્સ્યુલીન પર નિર્ભર ડાયાબિટીઝ તરીકે ઉલ્લેખિત જે લોકો ટાઇપ 1 ડાયાબિટીઝ સાથે જીવે છે અને ભારતમાં તેમના સંભાળ લેનારાઓ ડાયાબિટીઝના વ્યવસ્થાપનમાં પડકારોનો સતત સામનો કરી રહ્યા છે. તેનુ કારણ એ છે કે બહુ ઓછા સમર્પિત ડૉક્ટર્સ અને શિક્ષણવિંદોને T1Dની સારવાર અને વ્યવસ્થાપન કરવા માટે તાલીમ આપવામાં આવી છે. અન્ય પડકારોમાં T1D વિશે ગરીબ જનતામાં સતર્કતા, સોશિયો-ઇકોનોમિક બોજ અને ખાસ કરીને અર્ધ
શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં યોગ્ય હેલ્થકેર સવલતોની સુલભતાનો સમાવેશ થાય છે. અન્ય જટીલતાઓમાં વિલંબિત નિદાન, ઇન્સ્યુલીન માટેનું નબળુ કોલ્ડ-ચેઇન વ્યવસ્થાપન અને દર્દીઓ અને સંભાળ લેનારાઓ માટે અપૂરતા શિક્ષણનો સમાવેશ થાય છે.

ઇન્સ્યુલીન, ટેસ્ટ સ્ટ્રીપ્સ અને સારુ સ્વ-વ્યવસ્થાપનનો લાભ ઉઠાવવાની જોગવાઇ વ્યક્તિદીઠ 21.2 વર્ષના તંદુરસ્ત જીવનને પુનઃસ્થાપિત કરી શકે છે.

ડૉ. બ્રીજ મક્કાર, પ્રેસિડન્ટ
MD FIAMS, FICP, FRCP (Glasg, Edin), FACP (USA), FACE (USA), FRSSDI
પ્રેસિડેન્ટ - રિસર્ચ સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીસ ઇન ઇન્ડિયા (RSSDI)
“ભારતમાં અંદાજિત 8.6 લાખ T1D દર્દીઓ સાથે 2 [2] , અમે જીવતા બાળકોની તાત્કાલિક જરૂરિયાતોને અવગણી શકીએ તેમ નથી.”

ડૉ. સંજય અગરવાલ
MD, FACE, FACP
[1] , https://www.t1dindex.org/countries/india/
[2] https://www.t1dindex.org/countries/india/

સેક્રેટરી - રિસર્ચ સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીસ ઇન ઇન્ડિયા (RSSDI)

“આ પ્રોગ્રામ માટે, RSSDI અને સનોફી ઈન્ડિયા તેમના સંબંધિત અનુભવ અને કુશળતાને જોડીને સાર્વત્રિક માનક- સંભાળનું નિર્માણ કરી રહ્યા છે જે વૈશ્વિક ભલામણો અનુસાર સમગ્ર ભારતમાં સારવારની ઍક્સેસ પ્રદાન કરે છે. RSSDI ભારતમાં T1D સંભાળની પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત છે.”
આ સોશિયલ ઇમ્પેક્ટ પ્રોગ્રામનો હેતુ સમગ્ર ભારતમાં પ્રશિક્ષિત હેલ્થકેર પ્રોફેશનલ્સ (HCPs) અને T1D શિક્ષકો બંનેના નેટવર્ક દ્વારા સપોર્ટ પ્રોગ્રામ બનાવીને T1D દર્દીઓની આરોગ્ય સ્થિતિ સુધારવાનો છે. પ્રશિક્ષણ મેળવતા ડોકટરો યોગ્ય નિદાન અને સંચાલનને સક્ષમ કરશે, જે લાંબા ગાળાની ગૂંચવણોની ઘટનામાં ઘટાડો તરફ દોરી જશે.

કુ. અર્પણા થોમસ
સોશિયલ ડિરેક્ટર, કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ અને કોર્પોરેટ સામાજિક જવાબદારી, સનોફી ઈન્ડિયા લિમિટેડ

“અમે અમારા સામાજિક કાર્યક્રમના હસ્તક્ષેપની અસર જોવા માટે ખૂબ જ પ્રેરિત છીએ જે ભારતમાં ટાઇપ 1 ડાયાબિટીસ સાથે જીવતા ઘણા બાળકોમાં જીવનની ગુણવત્તામાં ખૂબ જ ઝડપથી સુધારો કરી રહી છે. આ પ્રોગ્રામ સંભાળના ધોરણનું સર્જન કરવા માટે રચાયેલ છે જે પ્રકાર 1 ડાયાબિટીસમાં તેના નિદાન, શિક્ષણ અને સલાહ માટે ખૂબ જ જરૂરી છે. આ કાર્યક્રમ ડોકટરો અને શિક્ષકોની સંખ્યામાં વધારો કરવા અને બદલામાં, T1D નિદાન, સારવાર અને સંભાળ સુધી પહોંચવા માટે T1D તાલીમની સુવિધા આપે છે. સનોફી ઇન્ડિયાનો સામાજિક પ્રભાવ કાર્યક્રમ 1300 બાળકોને મફત ઇન્સ્યુલિન માટે ભંડોળ પૂરું પાડે છે જેમને તેમના T1Dને શ્રેષ્ઠ રીતે સંચાલિત કરવા માટે સારવાર મેળવવા માટે નાણાકીય સહાયની જરૂર હોય છે.”

ડૉ. બંસી સાબૂ
MD, FIACM, FICN, FACE, MNAMS (ડાયેબિટોલોજી)

 “ટાઈપ 2 ડાયાબિટીસની જેમ, ટાઈપ 1 ડાયાબિટીસ પણ ઉપર તરફના વલણનો અનુભવ કરી રહ્યો છે અને જ્યારે તેનો વ્યાપ એટલો નોંધપાત્ર નથી ત્યારે તે હજુ પણ ચેતવણીનું કારણ છે. આમ, ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પહોંચી વળવા સારવાર, દેખરેખ, ડોઝ અને  ટાઇટ્રેશન પર વ્યાપક તાલીમ અને શિક્ષણ મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં હેલ્થકેર વ્યાવસાયિકો અને શિક્ષકોને જરૂરી સાધનો અને જ્ઞાનથી સજ્જ કરીને અમે આ બાળકોના જીવનમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકીએ છીએ.”

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જો આખી રાત એસી ચાલુ રહે, તો સૂતા પહેલા આ કરો, નહીં તો તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે
new delhi
June 16, 2025

જો આખી રાત એસી ચાલુ રહે, તો સૂતા પહેલા આ કરો, નહીં તો તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે

Sleeping In AC Full Night: ગરમી એટલી વધારે હોય છે કે લોકોને આખી રાત એસી ચાલુ રાખીને સૂવાની ફરજ પડે છે. તેનાથી સારી ઊંઘ આવે છે પણ ત્વચાની કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. તેથી, જે લોકો એસીમાં સૂવે છે તેઓએ આ એક કામ કરવું જોઈએ.

વિમાનનો ઇમરજન્સી દરવાજો કેવી રીતે ખુલશે? આ દરવાજો કઈ સીટ પર ખુલે છે
ahmedabad
June 16, 2025

વિમાનનો ઇમરજન્સી દરવાજો કેવી રીતે ખુલશે? આ દરવાજો કઈ સીટ પર ખુલે છે

જો તમે પણ વિમાનમાં મુસાફરી કરો છો અથવા ભવિષ્યમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે છે. અહીં જાણો કે ફ્લાઇટ દરમિયાન ઇમરજન્સી દરવાજો ખુલી શકે છે કે નહીં? આ દરવાજો કઈ સીટ પર છે અને તેને કોણ ખોલી શકે છે? તેના વિશે સંપૂર્ણ વિગતો વાંચો.

મૃત્યુ પછી આત્માને પ્રેત યોનિ કેમ મળે છે, ગરુડ પુરાણમાં શું લખ્યું છે?
ahmedabad
June 14, 2025

મૃત્યુ પછી આત્માને પ્રેત યોનિ કેમ મળે છે, ગરુડ પુરાણમાં શું લખ્યું છે?

ગરુડ પુરાણમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે  પ્રેત યોનિ મેળવવી એ વ્યક્તિના જીવનકાળ દરમિયાનના કર્મો, મૃત્યુની પરિસ્થિતિઓ અને તે પછી કરવામાં આવેલા અંતિમ સંસ્કાર પર આધાર રાખે છે. આ આત્માની અશાંતિ અને અતૃપ્ત ઇચ્છાઓનું પરિણામ છે. પરંતુ શું તમે જાણો છો કે મૃત્યુ પછી આત્માને પ્રેત યોનિ કેમ મળે છે?

Braking News

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત, ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા લીધો મોટો નિર્ણય
રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત, ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા લીધો મોટો નિર્ણય
May 07, 2025

રોહિત શર્મા: ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે અને તેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા આવું કર્યું છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ
April 03, 2023
"ગોપનીયતા, પ્રગતિ અને બિગ ડેટા: ધ થ્રી-વે ટગ ઓફ વોર"
March 31, 2023
હોર્મોન થેરપી અને GERD: છાતીમાં દુખાવો અને બળતરાની લિંકનું અનાવરણ
હોર્મોન થેરપી અને GERD: છાતીમાં દુખાવો અને બળતરાની લિંકનું અનાવરણ
July 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express