નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક ૩૦મી જુલાઈએ યોજાશે
નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં તા.૩૦મી જુલાઈ- ૨૦૨૪ને મંગળવારના રોજ બપોરે ૦૪:૩૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે.
રાજપીપલા :નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં તા.૩૦મી જુલાઈ- ૨૦૨૪ને મંગળવારના રોજ બપોરે ૦૪:૩૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે.
આ બેઠકમાં પુરવઠા અંગે નિયમિતતા અને તપાસણી, જિલ્લા/તાલુકાવાર યોજનાવાર રેશનકાર્ડ, જાહેર વિતરણ યોજના હેઠળ નર્મદા જિલ્લામાં થયેલું વિતરણ, મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુકક્ષા અધિકારીશ્રીઓની કચેરી ભરૂચ/નર્મદા દ્વારા કરવામાં આવેલી કામગીરી, ડેઝીન્ગ્રેટેડ ઓફિસર ખોરાક અને ઔષધિ નિયમનતંત્ર ભરૂચ તરફ્થી ફુડ સેફ્ટી એંન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ કરવામાં આવેલ કામગીરી, ગ્રાહક સુરક્ષાના કેસોની સમીક્ષા કરવામાં આવશે.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.