રાજપીપળા એપીએમસી કાર્યાલય ખાતે નર્મદા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની બેઠક મળી
નર્મદા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની રાજપીપળા એપીએમસી કાર્યાલય માં મુખ્ય હોદ્દેદારોની બેઠક મળી.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની રાજપીપળા એપીએમસી કાર્યાલય માં મુખ્ય હોદ્દેદારોની બેઠક મળી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાના માર્ગદર્શન મુજબ નર્મદા જિલ્લા પ્રભારી વિનોદભાઈ સોલંકી, રાજપીપલા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ ઉપપ્રમુખ ગીરીરાજસિંહ ખેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રેયસભાઈ પરમાર મહામંત્રી અમિતભાઈ સોલંકી ઉપપ્રમુખ ચિરાગભાઈ સોલંકી સિનિયર કાર્યકર્તા કમલેશભાઈ પટેલ સોશિયલ મીડિયા અને મીડિયાના ઇન્ચાર્જઓ અને કાર્યકર્તાઓ સાથે રાજપીપળા ખાતે આગામી કાર્યક્રમો માટે અને પરિચય માટે એક બેઠક મળી જેમાં પ્રભારી વિનોદભાઈ સોલંકી એ જણાવ્યું કે તારીખ 17 સપ્ટેમ્બર વડાપ્રધાન મોદીજી નાં જન્મદિવસ થી આગામી કાર્યક્રમો લોકસભા સુધી જે કંઇ 19 કાર્યક્રમ કરવાના છે તે સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી અને બાબાસાહેબની સંકલ્પ ભૂમિ વડોદરાથી મધ્યપ્રદેશ બાબાસાહેબના જન્મ સ્થળ મહુ ખાતે 1000 બાઇકો સાથે જવાનું હોય તેનું આગોતરું આયોજન કરવા સંદર્ભે કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી નર્મદા જિલ્લાના અધ્યક્ષ શ્રેયસભાઈ પરમાર એ સૌના પરિચય સાથે આગામી કાર્યક્રમો અમે દિલથી અને ખંતપૂર્વક નિભાવીશું તેમ જણાવ્યું અને અમિતભાઈ સોલંકી એ આભાર વિધિ કરી હતી.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.