તિલકવાડા તાલુકાના બંદરપુરા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બંદરપુરા ગામે ત્રણ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમમાં CRP શ્રી સુરેશભાઈ બારીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ, લાભો અને વ્યવહારુ પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
રાજપીપલા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં બંદરપુરા ગામે ત્રણ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં CRP શ્રી સુરેશભાઈ બારીયા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ, લાભો તથા વ્યવહારુ પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે રાસાયણિક ખેતીથી જમીન, આરોગ્ય અને પર્યાવરણને થતી નુકસાની અંગે સમજ આપી તેમજ પ્રાકૃતિક ખેતી દ્વારા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને લાંબા ગાળે જમીનની ઉર્વરતા જાળવી શકાય તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખાતર, જીવામૃત, ઘનજીવામૃત, બીજ સારવાર તથા જીવાત નિયંત્રણ માટેની કુદરતી પદ્ધતિઓ અંગે ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી હતી. હાજર રહેલા ખેડૂતો દ્વારા
ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરી કરી તાલીમનો લાભ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમથી વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાની જાગૃતિ વધશે અને ખેડૂતોને ટકાઉ ખેતી તરફ પ્રેરણા મળી રહેશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.