પ્રાકૃતિક ખેતી વિશુદ્ધ વિજ્ઞાન છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
કૃષિ યુનિવર્સિટીઓને પ્રાકૃતિક ખેતીમાં સંશોધનો કરવા રાજ્યપાલશ્રીનો અનુરોધ : ખેડૂતોને સાચી સમજણ મળશે તો વધુ ખેડૂતો જોડાશે, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, સંશોધકો અને વિસ્તરકો સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સમીક્ષા બેઠક.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓને યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક કૃષિ કરીને તેમાં સંશોધનો કરીને તેના તારણો રજૂ કરવા અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતી એ વિશુદ્ધ વિજ્ઞાન છે, તેની સાચી સમજણ ખેડૂતો સુધી પહોંચશે તો વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાશે એમ તેમણે કહ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ અને કૃષિ સંશોધન તથા વિસ્તરણ ક્ષેત્રે કામ કરતા તજજ્ઞો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે આગ્રહી છે. ગુજરાતના ખેડૂતો પ્રગતિશીલ છે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિને તેઓ જલ્દીથી અપનાવી રહ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત આખા દેશ માટે મોડેલ રાજ્ય
બને એ દિશામાં સહિયારા પ્રયત્નો કરીએ.
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની આસપાસના વિસ્તારોમાં ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરમાં નિયમિત જઈને સાથોસાથ ત્યાં પણ સંશોધનો કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિ યુનિવર્સિટીઓને અનુરોધ કર્યો હતો. અત્યારે રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતી એક વિષય તરીકે ભણાવાય છે. કૃષિ યુનિવર્સિટીઓએ પોતાની રીતે પ્રાકૃતિક ખેતીમાં અભ્યાસો પણ હાથ ભર્યા છે.
આ કામગીરી વધુ સુયોગ્ય, વૈજ્ઞાનિક ઢબે અને અસરકારક રીતે થાય તે માટે તેમણે અનુરોધ કર્યો હતો. હિમાચલ પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, ઉત્તર પ્રદેશ, આસામ, હરિયાણા, મેઘાલય અને છત્તીસગઢની રાજ્ય સરકારોના આમંત્રણથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ રાજ્યોમાં જઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની અનિવાર્યતા સમજાવી છે. અન્ય રાજ્યો પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે, ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને મદદરૂપ થવા આગળ આવવું જોઈએ. પ્રાકૃતિક ખેતીમાં વિસ્તૃત સંશોધનો કરવા અને સંશોધન પેપરો લખીને સમાજ સમક્ષ મૂકવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ૨,૮૪૧થી વધુ કાર્યક્રમો યોજાયા છે, જેમાં રાજ્યભરના ૨,૩૨,૦૬૪થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લામાં ભારત સરકારશ્રી દ્વારા ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (નવસારી કૃષિ યુનિવર્સિટી), દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે તા. ૪/૬/૨૦૨૫ ના રોજ સાગબારા તાલુકાના પાનખલા ગામમાં ખેડૂતલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ 02 જૂન 2025 ના રાત્રે લગભગ 22:00 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન ના સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર સુરક્ષા નિરીક્ષણ દરમ્યાન રેલવે સુરક્ષા બળ ના એસઆઈપીએફ પિયુષ ચૌધરી ને એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ટીટીઈ ની વર્દીમાં જોવા મળ્યો.