નયનતારાને તેના જન્મદિવસ પર પતિ તરફથી ભેટમાં મળી આવી મોંઘી લક્ઝરી કાર, કિંમત જાણીને તમે ચોંકી જશો
જવાન' અભિનેત્રી નયનતારાને તેના પતિ વિગ્નેશ દ્વારા તેના 39માં જન્મદિવસ પર એક લક્ઝરી કાર ભેટમાં આપવામાં આવી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો છે. આ કારની કિંમત જાણીને તમે દંગ રહી જશો.
નવી દિલ્હીઃ નયનતારા અને વિગ્નેશ શિવનની ગણના દેશના પાવર કપલમાં થાય છે. આ કપલ વર્ષ 2022માં તેમના લગ્નની જાહેરાત કરીને ચર્ચામાં આવ્યું હતું. જે બાદ આ કપલ અવારનવાર પોતાના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની વિગતો ફેન્સ સાથે શેર કરે છે. બુધવારે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા હતા. કારણ કે તેણે ખુલાસો કર્યો છે કે તેના પતિ વિગ્નેશ શિવને તેને ખૂબ જ મોંઘી કાર ગિફ્ટ કરી છે.
અભિનેત્રીએ તાજેતરમાં 18 નવેમ્બરે તેનો 39મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ વર્ષે તેણે પતિ વિગ્નેશ શિવન અને તેમના જોડિયા પુત્રો ઉર અને ઉલાગ સાથે ખાસ દિવસ પસાર કરવાનું નક્કી કર્યું હતું. હવે, તેના જન્મદિવસના 11 દિવસ પછી, નયનતારાએ તેના પતિના જન્મદિવસની ભેટની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. 'નાનુમ રાઉડી ધન'ના ડાયરેક્ટર વિગ્નેશે તેની પત્ની માટે મર્સિડીઝ મેબેચ ગિફ્ટ કરી છે.
મર્સિડીઝ મેબેક દેશની સૌથી લક્ઝુરિયસ કારમાંથી એક છે. આ કારની કિંમત અંદાજે 2.69 કરોડથી 3.40 કરોડ રૂપિયાની વચ્ચે છે. નયનતારાએ કેપ્શનમાં તેના પતિ માટે આભારની નોંધ પણ શેર કરી, અને તેની નવી કારનું સ્વાગત પણ કર્યું. તેણે લખ્યું, “સુંદર ઘરનું સ્વાગત છે; @wikkiofficial મારા પ્રિય પતિ, જન્મદિવસની સૌથી મીઠી ભેટ માટે આભાર; તને પ્રેમ કરું છું"
નયનથારા અને વિગ્નેશ શિવનની મુલાકાત 2015માં આવેલી ફિલ્મ 'નાનુમ રાઉડી ધાન'માં કામ કરતી વખતે થઈ હતી. ફિલ્મમાં નયનથાના અભિનેત્રી હતી અને વિગ્નેશ દિગ્દર્શક હતા. ત્યારથી બંને ડેટ કરી રહ્યા હતા અને અંતે 9 જૂન, 2022ના રોજ લગ્નના બંધનમાં બંધાયા. બંને ગયા વર્ષે ઓક્ટોબરમાં સરોગસી દ્વારા જોડિયા પુત્રો ઉર અને ઉલાગના માતાપિતા પણ બન્યા હતા.
Mayank Pawar Death: રિયાલિટી શોની દુનિયામાં જાણીતું નામ મયંક પવારનું હવે અવસાન થયું છે. તેમના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. 'સ્પ્લિટ્સવિલા 7' પર તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.
અક્ષય કુમારે શોમાં ખુલાસો કર્યો: કોલેજમાં એક છોકરીને પ્રભાવિત કરવા ગીત ગાયું, પણ પડોશીઓએ માર માર્યો. "હમને માર ખાઈ" કહીને હસાવ્યા સૌને. ખિલાડી કુમારની યુવાનીની મજેદાર કહાની.
રામ ગોપાલ વર્માએ 'ધુરંધર 2' અને 'ટોક્સિક' ના મુકાબલાને સિનેમાની બે સંસ્કૃતિઓ વચ્ચેનો જંગ ગણાવ્યો
જાણીતા ફિલ્મ સર્જક રામ ગોપાલ વર્માએ 19 માર્ચના રોજ રિલીઝ થઈ રહેલી રણવીર સિંહની 'ધુરંધર 2' અને યશની 'ટોક્સિક' વચ્ચેના ક્લેશને "બે સિનેમેટિક સંસ્કૃતિઓ વચ્ચેનો ક્રૂર સંઘર્ષ" ગણાવ્યો છે.