Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નિર્મલા સીતારમણે શ્રી નારાયણન વાઘુલ દ્વારા લખાયેલી પુસ્તક ‘રિફ્લેક્શન્સ’ લોન્ચ કરી

નિર્મલા સીતારમણે શ્રી નારાયણન વાઘુલ દ્વારા લખાયેલી પુસ્તક ‘રિફ્લેક્શન્સ’ લોન્ચ કરી

આ પુસ્તક ભારતના નાણાંકીય ક્ષેત્રે દાયકાઓના શ્રી વાઘુલના અનુભવોનું આબેહૂબ વર્ણન ધરાવે છે.

Mumbai April 29, 2023
નિર્મલા સીતારમણે શ્રી નારાયણન વાઘુલ દ્વારા લખાયેલી પુસ્તક ‘રિફ્લેક્શન્સ’ લોન્ચ કરી

નિર્મલા સીતારમણે શ્રી નારાયણન વાઘુલ દ્વારા લખાયેલી પુસ્તક ‘રિફ્લેક્શન્સ’ લોન્ચ કરી

મુંબઈ:  માનનીય કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણે આજે મુંબઈમાં જાણીતા બેંકર શ્રી નારાયણન વાઘુલ દ્વારા લખાયેલ પુસ્તક ‘રિફ્લેક્શન્સ’ લોન્ચ કર્યું હતું. આ પુસ્તક ભારતના નાણાંકીય ક્ષેત્રે દાયકાઓના શ્રી વાઘુલના અનુભવોનું આબેહૂબ વર્ણન ધરાવે છે. આ કાર્યક્રમમાં શ્રી કે.વી. કામથ, ચેરમેન, નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (NaBFID), શ્રીમતી  કલ્પના મોરપરિયા, ભૂતપૂર્વ ચેરપર્સન, જે.પી. મોર્ગન દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા, તેમજ અગ્રણી નાણાંકીય સંસ્થાઓના અગ્રણી બેંકર્સ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

ભારતમાં આધુનિક બેંકિંગના આર્કિટેક્ટ તરીકે વ્યાપકપણે માનવામાં આવતા, શ્રી વાઘુલનું પુસ્તક તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન નાટકીય, રમૂજી અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓનું વર્ણન કરે છે. રસપ્રદ ટુચકાઓથી ભરપૂર, પુસ્તકમાં વિવિધ પહેલની વાતો છે જેનો ભાગ બનવાનું ગૌરવ તેમને પ્રાપ્ત થયું હતું. શ્રી વાઘુલ દ્વારા સ્થાપિત પ્રક્રિયાઓ ભારતીય નાણાંકીય ઇકોસિસ્ટમમાં મજબૂત અને ટકાઉ પ્રથાઓ બની ગઈ. તેમણે વિચક્ષણ બેંકિંગ પ્રતિભાઓને માર્ગદર્શન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને બેંકિંગમાં વધુ મહિલા સીઈઓને સક્રિય રીતે તૈયાર કર્યા છે અને કોઈપણ પ્રકારની જાતિભેદ વિનાની તટસ્થ સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે.

માનનીય કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણે શ્રી નારાયણન વાઘુલના બેન્કિંગમાં તેમના વ્યાપક અનુભવ અને તેમના નેતૃત્વના ગુણો માટે પ્રશંસા કરી હતી. તેમણે લીડર્સને  માર્ગદર્શન આપવા માટેના તેમના યોગદાનને પણ માન્યતા આપી, જેણે એક ઊંડી અને કાયમી અસર છોડી છે. તેમણે મહિલા સશક્તિકરણ પર શ્રી વાઘુલના વિચારો અને વિઝનને પ્રકાશિત કર્યું, જે ભારત માટે સુસંગત અને મૂલ્યવાન રહેશે કારણ કે વધુ મહિલાઓ ફાયનાન્શિયલ સર્વિસીઝમાં અગ્રીમ ભૂમિકાઓ ભજવી રહી છે. 

આ પ્રસંગે પિરામલ ગ્રૂપના ચેરમેન શ્રી અજય પિરામલે જણાવ્યું હતું કે, “શ્રી નારાયણન વાઘુલ દ્વારા લખવામાં આવેલ સંસ્મરણોના આ ભંડારનું લોકાર્પણ કરતા મને ખૂબ જ આનંદ થાય છે, જેમના પ્રત્યે મને ખૂબ જ આદર છે અને ઘણી વખત માર્ગદર્શન અને પ્રેરણા માટે હું તેમનો સંપર્ક કરું છું. શ્રી વાઘુલને  ભારતમાં બેંકિંગના ભીષ્મ પિતામહ તરીકે ગણવામાં આવે છે અને તેમના જીવનની સફર નિઃસ્વાર્થ સેવા, રાષ્ટ્ર નિર્માણ, માર્ગદર્શન અને મહિલા સશક્તિકરણનું પ્રતીક છે. હું માનું છું કે તેમની સફરમાંથી જે શીખ મળે છે તે યુવા પેઢીઓ માટે અત્યંત સુસંગત છે. મૂલ્ય પ્રણાલીની સહજ શક્તિઓમાં તેમની મજબૂત માન્યતા તેમના વિવિધ વ્યાવસાયિક અને વ્યક્તિગત પ્રયાસો, બંનેમાં ખરેખર પ્રતિબિંબિત થાય છે. આંતરદ્રષ્ટિ અને ટુચકાઓથી ભરપૂર ‘રિફ્લેક્શન્સ’ આપણને વ્યક્તિગત અને સામૂહિક રીતે ભવિષ્યમાં હાંસલ કરવાના લક્ષ્યો માટે પોતાને તૈયાર કરવા માટે ઉન્નત વિચારો પ્રદાન કરે છે.”

‘રિફ્લેક્શન્સ’ ના લેખક શ્રી નારાયણન વાઘુલે જણાવ્યું હતું કે, “આ પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ હું શ્રીમતી નિર્મલા સીતારમણજીનો ખૂબ જ આભાર વ્યક્ત કરવા માંગુ છું. હું શ્રી અજય પિરામલનો પણ આભાર માનું છું, જેમના પ્રત્યે મેં ઊંડો આદર અને સ્નેહ કેળવ્યો છે. તેમની દ્રઢતા અને પ્રોત્સાહનના પગલે જ હું સાત દાયકાથી વધુના મારા સંસ્મરણો લખવા માટે પ્રેરાયો હતો.
મારી કારકિર્દીમાં અનેક અસાધારણ ઘટનાઓ બની હતી અને મને આ પુસ્તક - મારા પોતાના અનુભવોનો કાવ્યસંગ્રહ - મારા દ્રષ્ટિકોણના આધાર તરીકે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

ભારત અત્યારે વિશ્વની સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાં સામેલ છે અને આપણે વખતોવખત પર ગંભીર અશાંતિનો સામનો કર્યો છે. એટલું જ નહીં, પરંતુ આપણી પરંપરાઓ સાથે મજબૂત કડી જાળવી રાખીને આવી કટોકટીઓને પહોંચી વળવામાં અને સ્થિરતા પાછી મેળવવામાં નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. આજે, અગ્રણી લીડર્સ માટે એકસાથે આવવું અને યુવા પેઢીને મૂલ્ય પ્રણાલીઓ પહોંચાડવી તે વધુ આવશ્યક છે જે આવનારા વર્ષોમાં સમાજના પાયાનું નિર્માણ કરશે. શિક્ષણ અભ્યાસક્રમમાં મૂલ્ય શિક્ષણનું પુનરુત્થાન, મારા મતે, ભારતીય અર્થતંત્રને તેની સંપૂર્ણ વૃદ્ધિની સંભાવના હાંસલ કરવામાં મદદ કરવામાં ઉત્પ્રેરક બની રહેશે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

NFRની મોટી ભેટ, આસામમાં 19 ટ્રેનોમાં વધારાના સ્ટોપેજ, મુસાફરોને મોટી રાહત
assam
February 24, 2026

NFRની મોટી ભેટ, આસામમાં 19 ટ્રેનોમાં વધારાના સ્ટોપેજ, મુસાફરોને મોટી રાહત

20થી 28 ફેબ્રુઆરી 2026 વચ્ચે શરૂ થયા વધારાના હોલ્ટ્સ – ગુવાહાટી-સિલચર, ગુવાહાટી-ડિબ્રુગઢ સહિત ઘણી ટ્રેનોમાં નવા સ્ટેશનો જેમ કે બારપથર, લંકા, હોજાઈ.

રેલ નેટવર્કમાં ક્રાંતિ, 3 મોટા પ્રોજેક્ટ્સને ₹9,072 કરોડ મંજૂરી, 5,407 ગામો કનેક્ટેડ
new delhi
February 24, 2026

રેલ નેટવર્કમાં ક્રાંતિ, 3 મોટા પ્રોજેક્ટ્સને ₹9,072 કરોડ મંજૂરી, 5,407 ગામો કનેક્ટેડ

કેન્દ્ર સરકારે દેશના રેલ્વે માળખાને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે. મંત્રીમંડળે આશરે ₹9,072 કરોડના ત્રણ મુખ્ય રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ 4 રાજ્યોના 8 જિલ્લાઓમાં કનેક્ટિવિટી અને વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા છે.

મુંબઈ પોલીસનો ડ્રગ માફિયા પર મોટો પ્રહાર, 4 વર્ષમાં ₹6,738 કરોડથી વધુના ડ્રગ્સ જપ્ત
mumbai
February 24, 2026

મુંબઈ પોલીસનો ડ્રગ માફિયા પર મોટો પ્રહાર, 4 વર્ષમાં ₹6,738 કરોડથી વધુના ડ્રગ્સ જપ્ત

મુંબઈ પોલીસે શહેરમાં ડ્રગ માફિયાઓ સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ચાર વર્ષમાં, તેઓએ ₹6,738 કરોડથી વધુના ડ્રગ્સ જપ્ત કર્યા છે, જેના કારણે ડ્રગ માફિયાઓને નોંધપાત્ર નુકસાન થયું છે.

Braking News

Knowledge Story: તે તરસથી પીડાતું રહે છે, પણ તળાવ કે નદીનું પાણી પીતું નથી, જાણો આ પક્ષી આટલું ખાસ કેમ છે
Knowledge Story: તે તરસથી પીડાતું રહે છે, પણ તળાવ કે નદીનું પાણી પીતું નથી, જાણો આ પક્ષી આટલું ખાસ કેમ છે
July 11, 2025

Chatak Bird Unknown Facts: પૃથ્વી પર હાજર લાખો પક્ષીઓમાંથી, દરેક પક્ષીની પોતાની આગવી ઓળખ છે, પરંતુ ચાતક પક્ષી (Jacobin cuckoo) કંઈક અલગજ છે. આ પક્ષી તેના આત્મસન્માન અને ધીરજ માટે જાણીતું છે. ચાલો જાણીએ આ ખાસ પક્ષીની અનોખી આદતો વિશે...

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
February 24, 2023
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
February 20, 2023
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂની આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવશે
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂની આબકારી નીતિ કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવશે
February 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express