દેવમોગરાના મેળા હદ વિસ્તારમાં દારૂખાનું ફોડવા અથવા સળગી ઉઠે તેવી વસ્તુ આગમાં મુકવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા દેવમોગરા ખાતે પાંડુરી માતાના મંદિરે 15 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી 2026 સુધી યોજાનારા પ્રસિદ્ધ દેવમોગરા મેળા દરમિયાન આગના બનાવો ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે કડક જાહેરનામું જારી કર્યું છે.
રાજપીપલા: નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આવેલા પાંડુરી માતાના મંદિર ખાતે તા.૧૫/૦૨/૨૦૨૬ થી તા.૧૯/૦૨/૨૦૨૬ દરમિયાન દેવમોગરા માતાનો મેળો યોજાનાર છે. આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યમાંથી મોટી સંખ્યામાં જનમેદની આવતી હોય છે.
આ મેળામાં લોકો તથા વેપારીઓ ઘાસ, કામળા, વાંસ વગેરેના માંડવા તૈયાર કરતા હોય છે. જેથી આગ લાગવાના બનાવો ન બને તે માટે ઉક્ત દિવસો દરમ્યાન દેવમોગરા ગામના મેળાના હદ વિસ્તારમાં દારૂખાનું ફોડવા પર, કોઈપણ ઘાસ અથવા સળગી ઉઠે તેવી વસ્તુ આગમાં મુકવા પર તથા અગ્નિ સળગાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામું નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આવેલા પાંડુરી માતાના મંદિર ખાતે યોજાનાર મેળાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૫/૦૨/૨૦૨૬ થી
તા.૧૬/૦૨/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
નર્મદા જિલ્લામાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’માં મોટી સફળતા. ૧૬ જાન્યુઆરીથી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન ૬૬૫માંથી ૨૬૭ આંગણવાડી કેન્દ્રોનું રિનોવેશન પૂર્ણ, ૩૯૮માં કામ ચાલુ. રંગરોગાન, સ્વચ્છતા, સુરક્ષિત માળખું અને આકર્ષક વાતાવરણથી બાળકોને મળશે શ્રેષ્ઠ સુવિધા. શ્રેષ્ઠ કેન્દ્રોને પુરસ્કાર! વાંચો વિગતો.
બેટી બચાઓ, બેટી પઢાવો’ અભિયાન હેઠળ તિલકવાડા ખાતે મોટું સેમિનાર. સાયબર ક્રાઇમ, સ્વ-રક્ષણ અને મહિલા યોજનાઓ અંગે જાગૃતિ. 80%+ ગુણ મેળવનાર 40+ પ્રતિભાશાળી દીકરીઓને એજ્યુકેશન કીટ સાથે સન્માનિત. નર્મદા જિલ્લા મહિલા-બાળ અધિકારી કચેરી અને પોલીસનું સંયુક્ત કાર્યક્રમ. વાંચો વિગતો.
કચ્છના નાના રણમાં વન વિભાગની અદ્ભુત પહેલ. 1.35 કરોડ લિટર વરસાદી પાણી સંગ્રહ, જમીન ધોવાણ અટકાવી વન્યજીવો-પક્ષીઓ માટે નવું આવાસ. વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ કહ્યું – આ માત્ર પાણી બચાવવાનું નહીં, સંપૂર્ણ ઇકો-સિસ્ટમ વિકસાવવાનું પ્રયાસ. વાંચો વિગતો.