ઓએનજીસીએ કરારના વિવાદોના ઝડપી નિરાકરણ માટે સરકારની વિવાદ સે વિશ્વાસ–2 સ્કીમના અમલીકરણમાં આગેવાની લીધી
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ઓએનજીસી)એ કરારના વિવાદોના ઝડપી નિરાકરણ માટે સરકારની વન-ટાઇમ સેટલમેન્ટ સ્કીમ ‘વિવાદ સે વિશ્વાસ – 2’ના અમલીકરણમાં આગેવાની લીધી છે. ઓએનજીસીએ આવા મુદ્દાઓના સમાધાન માટે આંતરિક ટાસ્ક ફોર્સની રચના કરી છે.
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ઓએનજીસી)એ કરારના વિવાદોના ઝડપી નિરાકરણ માટે સરકારની વન-ટાઇમ સેટલમેન્ટ સ્કીમ ‘વિવાદ સે વિશ્વાસ – 2’ના અમલીકરણમાં આગેવાની લીધી છે. ઓએનજીસીએ આવા મુદ્દાઓના સમાધાન માટે આંતરિક ટાસ્ક ફોર્સની રચના કરી છે.
આ સ્કીમ હેઠળ સેટલમેન્ટના માપદંડોને જ્યાં 30 એપ્રિલ 2023ના રોજ અથવા તે પહેલાં કોર્ટનો આદેશ પસાર કરવામાં આવ્યો હોય તેમાં સ્કીમ હેઠળ ચોખ્ખી રકમના 85 ટકા, જ્યાં 31 જાન્યુઆરી, 2023ના રોજ અથવા તે પહેલાં આર્બિટ્રલ એવોર્ડ પસાર કરવામાં આવે તેમાં ચોખ્ખી રકમના 65 ટકા આપવા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
વિવાદ સે વિશ્વાસ – 2 એ સરકાર દ્વારા પડતર કોન્ટ્રાક્ટના વિવાદોના સમાધાન માટે જાહેર કરાયેલી વન-ટાઇમ સેટલમેન્ટ સ્કીમ છે. કોન્ટ્રાક્ટર્સે GeM પોર્ટલ દ્વારા પતાવટ માટે અરજી કરવાની રહેશે. આ સ્કીમ 15 જુલાઇથી 31 ઓક્ટોબર 2023 સુધી માન્ય છે.
ઊર્જા ક્ષેત્રે અગ્રણી ઓએનજીસીએ તેના બિઝનેસ પાર્ટનર્સ સાથે મજબૂત અને પારદર્શક સંબંધો સ્થાપિત કરવા માટે ઘણી નવીન પહેલ કરી છે. ઓએનજીસી ભારતમાં પ્રથમ છે કે જેણે વર્ષ 2005માં ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા ઇન્ટિગ્રિટી પેક્ટ (આઇપી) અપનાવ્યું હતું. તાજેતરમાં ઓએનજીસી મેસર્સ ઇન્ટરસેર્ટ, યુએસએ દ્વારા એન્ટી-બ્રાઇબરી મેનેજમેન્ટ સિસ્ટમ (એબીએમએસ) માટે પ્રમાણિત થનારી પ્રથમ ભારતીય પીએસયુ બન્યું છે.
અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, એર ઇન્ડિયાએ પણ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો અને પીડિતોને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જર્મન કંપની રાઈનમેટલ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા સંયુક્ત સાહસે જૂથની વૃદ્ધિની સંભાવનાઓને નવી દિશા આપી છે. તે જ સમયે, રિલાયન્સ પાવરે ભૂટાનના ડ્રુક ગ્રીન પાવર સાથે 25 વર્ષના સોલર અને બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ પીપીએ પર હસ્તાક્ષર કર્યા છે, જે એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંનો એક છે.
ઈરાન-ઇઝરાયલ સંઘર્ષને કારણે આજે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું. જોકે, પાછળથી ઘટાડો થોડો ઓછો થયો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.70 ટકા અથવા 573 પોઈન્ટના ઘટાડા સાથે 81,118 પર બંધ થયો.