વેરાવળમાં વિશ્વ માછીમારી દિવસની ઉજવણી નિમિત્તે નિષ્ણાંતો દ્વારા અપાયું ઓનલાઈન માર્ગદર્શન
મત્સ્યોદ્યોગ પર જુવેનાઇલ ફિશિંગ, ટેકનૉલોજી દ્વારા માછીમારી સેવાઓ તેમજ દરિયાઈ પ્રદૂષણને અટકાવવા જેવી બાબતો વિશે અપાયું માર્ગદર્શન.
ગીર સોમનાથ : વિશ્વ માછીમારી દિવસની ઉજવણી નિમિત્તે વેરાવળ કોલેજ ઓફ ફિશરીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યુ ટ્યુબ લાઈવ ઉપર દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગને સંબધિત બાબતો કે જેમાં વિશ્વ મહાસાગર દિવસનું મહત્વ, મત્સ્યધ્યોગ સંરક્ષણ, ટકાઉ માછીમારી માટેની વ્યવસ્થા, દરિયાઈ મત્સ્યોદ્યોગ પર જુવેનાઇલ ફિશિંગથી થતી અસર અને દરિયાઈ પ્રદૂષણ વિશે અલગ અલગ વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રિન્સિપાલ, કોલેજ ઓફ ફિશરીઝ ડો. એસ.આઈ.યુસુફજાઇ અને ડો. જીતેશ સોલંકી દ્વારા વિશ્વ મહાસાગર દિવસ મહત્વ વિષે સુંદર ઉદબોધન તથા ટકાઉ અને સુવ્યવસ્થિત માછીમારી માટેની વ્યવસ્થા વિષે અને માછીમારી દરમિયાન સમુદ્રની સાર સંભાળ વિષે તેમજ પોરબંદર માછીમાર બોટ એશોસીએશન પોરબંદર પ્રમુખશ્રી મુકેશ પાંજરી દ્વારા પણ દરિયાઈ મત્સ્યોદ્યોગ પર જુવેનાઇલ ફિશિંગથી થતી અસર તથા દરિયાઈ પ્રદૂષણને અટકાવવાના સુચનો આપવામાં આવ્યા હતાં. જ્યારે થિમેટિક એક્સપર્ટ ફિશરીઝ, રિલાયન્સ ફાઉન્ડેશનના શ્રી અમિત મસાણીએ ટેકનૉલોજી દ્વારા માછીમારી સેવાઓ વિષે જણાવવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ ગજેરા દ્વારા કરવામાં આવ્યું હતું.. વિશ્વ માછીમારી દિવસ અંતર્ગત યુ ટ્યુબ લાઈવ ઉપર અલગ અલગ વિષયોને કેન્દ્રમાં રાખી વિષય નિષ્ણાતો દ્વારા સફળ પ્રયાસ કરવામાં આવેલ. જેને ગુજરાતભરના સાગરખેડૂ મિત્રોએ આ જીવંત પ્રસારણ નિહાળ્યુ હતું.
દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, ગુજરાતના ઘણા જિલ્લાઓ પણ ભારે વરસાદની ઝપેટમાં છે.
પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ પશ્ચિમ રેલ્વે મુખ્યાલય, મુંબઈ ખાતે ૧૪ કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ સન્માનિત કર્યા, જેમના યોગદાનથી સુરક્ષિત ટ્રેન સંચાલન સુનિશ્ચિત થયું. આ કર્મચારીઓ મે ૨૦૨૫ દરમિયાન ફરજ પર સતર્ક રહીને કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવામાં સફળ રહ્યા.
યોજના પંચકમ અન્વયે સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના - સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના - સંસ્કૃત પ્રોત્સાહન યોજના - શ્રીમદ ભાગવદ ગીતા યોજના - શત સુભાષિત કન્ઠ પાઠ યોજના શરૂ કરાશે. રાજ્યમાં 6 થી 13 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહ ઉજવી સંસ્કૃતમય વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો હાથ ધરાશે.