દિલ્હીની તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ, ભારે ગરમીને કારણે લેવાયો નિર્ણય
દિલ્હીમાં સતત ગરમી નવા રેકોર્ડ બનાવી રહી છે. જેના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને રોગચાળાનો ખતરો પણ વધી રહ્યો છે. આ સંજોગોમાં બાળકોને સુરક્ષિત રાખવા માટે દિલ્હી સરકારે તમામ શાળાઓને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો છે.
દિલ્હી સરકારે સોમવારે તમામ ખાનગી શાળાઓને 30 જૂન સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. શહેરમાં કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી આદેશનું પાલન કરવા જણાવાયું છે. સરકારના આદેશથી સ્પષ્ટ છે કે આ વખતે ઉનાળાની રજાઓ 10 દિવસ અગાઉથી શરૂ થઈ રહી છે. હવે બાળકોને જુલાઈ મહિનામાં સીધા જ શાળાએ પાછા ફરવું પડશે. શહેરમાં સતત વધી રહેલા તાપમાનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારી આદેશ જણાવે છે કે તમામ શાળાઓના વડાઓને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે શૈક્ષણિક સત્ર 2024-25માં ઉનાળુ વેકેશન 11 મેથી 30 જૂન સુધી રહેશે. જોકે, કેટલીક શાળાઓ આકરી ગરમી વચ્ચે કાર્યરત છે. જેમાં સરકારી સહાયિત અને સ્વાયત્ત ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે. આ તમામ શાળાઓને તાત્કાલિક અસરથી વર્ગો ચલાવવાનું બંધ કરવા અને ઉનાળુ વેકેશન જાહેર કરવાની સલાહ આપવામાં આવે છે.
આ વર્ષે સતત વધી રહેલા તાપમાનના કારણે દિલ્હીમાં 50 દિવસનું ઉનાળુ વેકેશન રાખવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં પાછલા વર્ષોની સરખામણીમાં ઘણી વધુ પરેશાન કરનારી ગરમી પડશે. સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 29.2 ડિગ્રી સેલ્સિયસ હતું. ઉનાળામાં દિલ્હીનું સરેરાશ લઘુત્તમ તાપમાન આના કરતા ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઓછું હોય છે. દિલ્હીમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આશંકા છે. દિલ્હી ઉપરાંત, અન્ય ઘણા પડોશી રાજ્યોએ પણ ગરમીને કારણે સમય પહેલા ઉનાળાની રજાઓ જાહેર કરી છે. પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં ઉનાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ રમેશ જે સીટ પર બેઠેલા હતા, જે સીટ પર થાઈ ગાયક લોયચુસાક ૨૭ વર્ષ પહેલાં બેઠેલા હતા એટલે કે સીટ નંબર ૧૧એ. ૧૯૯૮ના વિમાન દુર્ઘટનામાં પણ લોયચુસાક એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (15 જૂન) સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેઓ કેનેડામાં G7 સમિટમાં હાજરી આપશે અને સાયપ્રસ અને ક્રોએશિયાની પણ મુલાકાત લેશે.
આ કેરી ઉત્સવ દિલ્હીમાં પણ યોજાઈ રહ્યો છે. તે 27 જૂનથી દિલ્હીના માલવિયા નગરમાં શરૂ થશે અને 6 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં ક્લાસિકથી લઈને ફ્યુઝન અને સર્જનાત્મક કેરીની વાનગીઓની શ્રેણી હશે. ભલે તમે પરંપરાગત કેરીના સ્વાદના શોખીન હોવ અથવા નવા સ્વાદનો પ્રયાસ કરવા માંગતા હોવ, અહીં દરેક પ્રકારના કેરી પ્રેમી માટે કંઈકને કંઈક હશે.