એસવીઆઈટી દ્વાર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(SVIT) દ્વારા તાજેતર મા ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા માન્ય સાર્વત્રિક માનવ મૂલ્ય પર ત્રણ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(SVIT) દ્વારા તાજેતર મા ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા માન્ય સાર્વત્રિક માનવ મૂલ્ય પર ત્રણ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં વિવિધ સમગ્ર ગુજરાત ની ઇજનેરી શાખાના 60 થી વધુ ફેકલ્ટીઓએ સક્રિયપણે ભાગ લીધો છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) એ શ્રી આલોક કુમાર પાંડેને સંસાધન વ્યક્તિ તરીકે, શ્રી મણિલાલ અમીપરાને સહ-સુવિધાકાર તરીકે અને શ્રી હાર્દિક રાઠોડને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા.
આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં શ્રી આલોક કુમાર પાંડેએ વિવિધ વિષયો જેવા કે સર્વગ્રાહી વિકાસ-શિક્ષણની ભૂમિકા, સુખ-સમૃદ્ધિ અને મનુષ્યમાં સંવાદિતાની શોધખોળ જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી છે.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનકભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સતિષભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી. પી. સોની અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી સમાજ ઉપયોગી સુંદર કાર્યક્રમ માટે અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.