અમદાવાદ મંડળ પર "ફિટ ઈન્ડિયા સ્વચ્છતા સ્વતંત્રતા દોડ" નું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર સ્વચ્છતા પખવાડિયા 3.0 તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી "ફિટ ઈન્ડિયા સ્વચ્છતા સ્વતંત્રતા દોડ" નું આયોજન આજે તારીખ 14 ઓક્ટોબર 2023 ના સવારે 7.00 વાગ્યે રેલવે અધિકારી, રેલવે કર્મચારી અને તેમના પરિવારજનોના માટે રેલવે ઈન્સ્ટીટ્યુટ સાબરમતી થી ક્રિકેટ મેદાન (ADSA) સાબરમતી સુધી કરવામાં આવ્યું. ક્રિકેટ મેદાન સાબરમતીમાં વિવિધ પ્રકારની ગેમ્સ આયોજિત કરવામાં આવી.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર સ્વચ્છતા પખવાડિયા 3.0 તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી "ફિટ ઈન્ડિયા સ્વચ્છતા સ્વતંત્રતા દોડ" નું આયોજન આજે તારીખ 14 ઓક્ટોબર 2023 ના સવારે 7.00 વાગ્યે રેલવે અધિકારી, રેલવે કર્મચારી અને તેમના પરિવારજનોના માટે રેલવે ઈન્સ્ટીટ્યુટ સાબરમતી થી ક્રિકેટ મેદાન (ADSA) સાબરમતી સુધી કરવામાં આવ્યું. ક્રિકેટ મેદાન સાબરમતીમાં વિવિધ પ્રકારની ગેમ્સ આયોજિત કરવામાં આવી.
મંડળ રેલવે પ્રબંધક અમદાવાદ શ્રી સુધીર કુમાર શર્માના નિર્દેશનમાં આયોજિત " ફિટ ઈન્ડિયા સ્વચ્છતા સ્વતંત્રતા દોડ" જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ, સ્કાઉટ અને ગાઈડ તથા પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના સભ્યોએ ભાગ લીધો. આ અવસરે રેલવે ઈન્સ્ટીટ્યુટ થી ક્રિકેટ મેદાન સાબરમતી સુધી સ્વચ્છતા જાગૃતિ રેલી કાઢવામાં આવી તથા મેદાનમાં વિવિધ પ્રકારની ગેમ્સ જેમ કે ટીમ દ્વારા ફુગ્ગાઓને અડ્યા વગર સીમા સુધી લઈ જવા, માથા પર પકડ્યા વગર ગ્લાસ સીમા સુધી લઈ જવા, દોરડાખેંચ વગેરે.
શ્રી શર્માએ કહ્યું કે આનો હેતુ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા અને રોજીંદા જીવનમાં દોડ, રમત જેવી ફિટનેસ પ્રવૃત્તિઓ પ્રત્યે પ્રોત્સાહિત કરીને તેમને આળસ, તણાવ, ચિંતા, રોગથી આઝાદી અપાવવાનો છે. જેનાથી તેઓ સ્વસ્થ અને ફિટ જીવન શૈલી અપનાવવા માટે પ્રેરિત થઈ શકે. આ અવસર પર ડીઆરએમ શ્રી શર્મા દ્વારા વિજેતા ટીમના લોકોને ઈનામ પણ આપવામાં આવ્યા.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.