અમદાવાદ મંડળ પર રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષ્યમાં ‘રન ફોર યુનિટી’ તેમ જ સત્યનિષ્ઠાના શપથનું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે 31 ઓક્ટોબરના રોજ સ્વ.સરદાર વલ્લભભાઇ પટેલની જયંતીના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસ તેમ જ સતર્કતા જાગરુકતા સપ્તાહના ઉપલક્ષ્યમાં ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે 31 ઓક્ટોબરના રોજ સ્વ.સરદાર વલ્લભભાઇ પટેલની જયંતીના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસ તેમ જ સતર્કતા જાગરુકતા સપ્તાહના ઉપલક્ષ્યમાં મંડળના રેલવે પ્રબંધક અમદાવાદ, શ્રી સુધીર કુમાર શર્માના નિર્દેશનમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું તેમ જ સત્યનિષ્ઠા અને ભ્રષ્ટાચારને દૂર કરવાના શપથ લેવડાવ્યા.
અમદાવાદ મંડળ ખાતે ‘રન ફોર યુનિટી’નું આયોજન 31 ઓક્ટોબર 2023ના રોજ રેલવે કર્મચારીઓ તથા રેલવે અધિકારીઓ અને તેમના પરિવાર માટે ઉસ્માનપુરા બાગથી લઇને રીવરફ્રન્ટ સુધી કરવામાં આવ્યું. મંડળના રેલવે પ્રબંધક શ્રી સુધીરકુમાર શર્માએ મંડલના કાર્યાલયના પ્રાંગણમાં સત્યનિષ્ઠા અને ભ્રષ્ટાચારને દૂર કરવાની શપથ અપાવતાં પોતાના સંબોધનમાં શ્રી શર્માએ તમામને ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે પોતાના રોજિંદા કામકાજમાં પ્રામાણિકતાના મૂલ્યોને સામેલ કરવાનો આગ્રહ કર્યો. રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને ‘રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા’ને જાળવી રાખવા તથા એકબીજા સાથે ભાઇચારાથી હળીમળીને રહેવાનો અને સત્યનિષ્ઠા જાળવી રાખવાના શપથ લેવડાવ્યા.
સરદાર પટેલની જયંતી પર અગ્રણી મંડળ કાર્મિક અધિકારી શ્રી જીતેશ અગ્રવાલે જણાવ્યું કે આપણે આપણા દેશની એકતા, સુરક્ષા અને વિકાસ માટે આપણા રોજિંદા જીવનમાં એકતા, રાષ્ટ્રની સુરક્ષા અને અખંડતાના સિદ્ધાંતોનો સમાવેશ કરવો.
વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!
ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.