PM Modi Gujarat Visit : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 સપ્ટેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર આગમન સાથે તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતની શરૂઆત કરી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 સપ્ટેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર આગમન સાથે તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતની શરૂઆત કરી. ત્યાંથી, તેઓ વડસર એરફોર્સ સ્ટેશન ગયા, જ્યાં તેમણે નવા ઓપરેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. જેના પગલે તેઓ ગાંધીનગરના રાજભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ રાત્રી રોકાણ કરશે.
તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી અનેક મહત્વની પ્રવૃત્તિઓમાં સામેલ થશે. આવતીકાલે તેઓ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધવાના છે. આ મુલાકાતમાં વિવિધ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને લોકાર્પણનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, તેઓ મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર-અમદાવાદ મેટ્રો, વંદે ભારત મેટ્રો અને રિન્યુએબલ એનર્જી એક્સપોનું ઉદ્ઘાટન કરશે.
પીએમ મોદીનું આગમન થતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન અને વરિષ્ઠ અધિકારીઓ સહિત અન્ય મહાનુભાવોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.
નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.