PM Modi Gujarat Visit : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 સપ્ટેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર આગમન સાથે તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતની શરૂઆત કરી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 સપ્ટેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર આગમન સાથે તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતની શરૂઆત કરી. ત્યાંથી, તેઓ વડસર એરફોર્સ સ્ટેશન ગયા, જ્યાં તેમણે નવા ઓપરેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. જેના પગલે તેઓ ગાંધીનગરના રાજભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ રાત્રી રોકાણ કરશે.
તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી અનેક મહત્વની પ્રવૃત્તિઓમાં સામેલ થશે. આવતીકાલે તેઓ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધવાના છે. આ મુલાકાતમાં વિવિધ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને લોકાર્પણનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, તેઓ મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર-અમદાવાદ મેટ્રો, વંદે ભારત મેટ્રો અને રિન્યુએબલ એનર્જી એક્સપોનું ઉદ્ઘાટન કરશે.
પીએમ મોદીનું આગમન થતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન અને વરિષ્ઠ અધિકારીઓ સહિત અન્ય મહાનુભાવોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ૨,૮૪૧થી વધુ કાર્યક્રમો યોજાયા છે, જેમાં રાજ્યભરના ૨,૩૨,૦૬૪થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લામાં ભારત સરકારશ્રી દ્વારા ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (નવસારી કૃષિ યુનિવર્સિટી), દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે તા. ૪/૬/૨૦૨૫ ના રોજ સાગબારા તાલુકાના પાનખલા ગામમાં ખેડૂતલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ 02 જૂન 2025 ના રાત્રે લગભગ 22:00 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન ના સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર સુરક્ષા નિરીક્ષણ દરમ્યાન રેલવે સુરક્ષા બળ ના એસઆઈપીએફ પિયુષ ચૌધરી ને એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ટીટીઈ ની વર્દીમાં જોવા મળ્યો.