PM મોદીએ તિરુપતિ મંદિરની મુલાકાત લીધી, 140 કરોડ ભારતીયોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી
PM મોદી 3 દિવસ માટે તેલંગાણાના પ્રવાસે છે. તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા કરવામાં આવી હતી.
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરના પ્રખ્યાત મંદિરની મુલાકાત લીધી હતી અને તમામ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન સવારે લગભગ આઠ વાગે મંદિર પહોંચ્યા હતા. પીએમ મોદીના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરના દર્શનની તસવીરો પણ શેર કરવામાં આવી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, "તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી."
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન રવિવારે રાત્રે તિરુમાલા પહોંચ્યા હતા. વડાપ્રધાન સાંજે 7.40 કલાકે તિરુપતિ નજીક રેનીગુંટા એરપોર્ટ પર ઉતર્યા હતા. આ દરમિયાન આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. પીએમ 3 દિવસના તેલંગાણા પ્રવાસ પર છે.
પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને તિરુમાલામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. રેનીગુંટા એરપોર્ટથી તિરુમાલા મંદિર સુધીના રસ્તાઓ પર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રસ્તાઓ પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા અને વાહનોની અવરજવર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું હતું.મળતી માહિતી મુજબ મંદિરના દર્શન કર્યા બાદ વડાપ્રધાન મોદી તેલંગાણા જવા રવાના થશે.
પપ્પુ યાદવ જામીન પટના કોર્ટે મંજૂર કરી. 3 દિવસની કસ્ટડી બાદ રિલીઝ. જાણો 1995ના બનાવટી દસ્તાવેજ કેસની સંપૂર્ણ માહિતી.
મણિપુરના ઉખરુલમાં ફરી હિંસા ફાટી! તાંગખુલ નાગા પર હુમલા બાદ ખાલી ઘરોમાં આગ લગાવી, ગોળીબાર થયો. પરિસ્થિતિ તંગ, 5 દિવસ માટે ઇન્ટરનેટ સ્થગિત. કુકી લોકો ગામ છોડી ભાગી રહ્યા, સુરક્ષા દળો તૈનાત પણ લોકોમાં અસંતોષ. વાંચો વિગતો.
પૂર્વ જયંતિયા હિલ્સમાં ગેરકાયદે રેટ-હોલ માઈનિંગ ઓપરેશનમાં વિસ્ફોટથી 28 મજૂરોના મોત. એનડીઆરએફ બચાવ કામગીરી ચાલુ, રાજ્યે ન્યાયિક તપાસના આદેશ.