દેશની પહેલી વોટર મેટ્રોનું પી એમ મોદી કરશે લોકાર્પણ
અત્યાર સુધી તમે મેટ્રોને પાટા પર દોડતી જોઈ હશે, પરંતુ હવે તમે પાણી પર દોડતી મેટ્રોની મજા માણી શકશો.
આવતીકાલે એટલે કે મંગળવારે દેશને તેની પ્રથમ વોટર મેટ્રો મળશે. PM મોદી 25 એપ્રિલ 2023ના રોજ દેશને પ્રથમ વોટર મેટ્રો સમર્પિત કરશે. આ આ વોટર મેટ્રોથી આસપાસના લોકોને ઘણી આંશિક રાહત મડશે. વોટર મેટ્રો લોકોને આર્થિક અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડશે. આ વોટર મેટ્રો કોચી અને તેની આસપાસના 10 ટાપુઓને જોડશે. કોચી અને દસ નજીકના ટાપુઓ વચ્ચે શરૂ થનારી સેવાને આવા શહેરો માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે, જ્યાં પરંપરાગત મેટ્રો રેલના ઘણા અવરોધો છે.તસવીરો જાહેર કરતા પીએમ મોદીએ કહ્યું, કોચી વોટર મેટ્રો શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. રૂ. 1,136 કરોડના પ્રોજેક્ટને કેરળ માટે ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે. તે જાહેર પરિવહન અને પર્યટન દ્વારા શહેરમાં આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી શકશે.
દરેક મેટ્રો 50 થી 100 મુસાફરોની ક્ષમતાં ધરાવે છે. આ વોટર મેટ્રોમાં દિવ્યાંગો માટે રેમ્પ, માતાઓ માટે ફીડીંગ ચેમ્બર અને મોબાઈલ રિચાર્જની સુવિધા હશે. વોટર મેટ્રો 8 નોટ પ્રતિ કલાકની ઝડપે દોડશે. ખાસ વાત એ છે કે લો ટાઈડ અને હાઈ ટાઈડમાં વોટર મેટ્રો એક જ લેવલ પર રહેશે.
તે મેટ્રો ટ્રેનની જેમ સંપૂર્ણપણે વાતાનુકૂલિત હશે અને દરરોજ 15 મિનિટના અંતરે 12 કલાક ચાલશે. અત્યારે શરૂઆતમાં 23 બોટ અને 14 ટર્મિનલ છે. તે જ સમયે, દરેક મેટ્રોમાં 50 થી 100 મુસાફરો બેસી શકે છે.
વોટર મેટ્રો પ્રોજેક્ટ 78 કિલોમીટરમાં ફેલાયેલો છે અને તે 15 રૂટમાંથી પસાર થશે. આ પ્રોજેક્ટ આધુનિક, ઉર્જા કાર્યક્ષમ, પર્યાવરણને અનુકૂળ હશે અને મુસાફરોના અનુભવને વધારશે.
યાત્રીઓ 1 કાર્ડનો ઉપયોગ કરીને કોચી મેટ્રો અને વોટર મેટ્રો બંનેમાં મુસાફરી કરી શકે છે. તમે ડિજિટલ રીતે ટિકિટ બુક કરી શકો છો.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ રમેશ જે સીટ પર બેઠેલા હતા, જે સીટ પર થાઈ ગાયક લોયચુસાક ૨૭ વર્ષ પહેલાં બેઠેલા હતા એટલે કે સીટ નંબર ૧૧એ. ૧૯૯૮ના વિમાન દુર્ઘટનામાં પણ લોયચુસાક એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (15 જૂન) સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેઓ કેનેડામાં G7 સમિટમાં હાજરી આપશે અને સાયપ્રસ અને ક્રોએશિયાની પણ મુલાકાત લેશે.
આ કેરી ઉત્સવ દિલ્હીમાં પણ યોજાઈ રહ્યો છે. તે 27 જૂનથી દિલ્હીના માલવિયા નગરમાં શરૂ થશે અને 6 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં ક્લાસિકથી લઈને ફ્યુઝન અને સર્જનાત્મક કેરીની વાનગીઓની શ્રેણી હશે. ભલે તમે પરંપરાગત કેરીના સ્વાદના શોખીન હોવ અથવા નવા સ્વાદનો પ્રયાસ કરવા માંગતા હોવ, અહીં દરેક પ્રકારના કેરી પ્રેમી માટે કંઈકને કંઈક હશે.